ETV Bharat / bharat

લોકકલ્યાણ માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કર્યો રૂદ્રાભિષેક

author img

By

Published : May 23, 2020, 4:12 PM IST

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને ગૌરક્ષાપીઠાધિશ્વર એવા યોગી આદિત્યનાથે શનિવારે સવારે શક્તિ મંદિરમાં આદર અને સામાજિક અંતરના ધોરણોના પાલન સાથે રૂદ્રાભિષેક કર્યો હતો.

cm_yogi
ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કર્યો રૂદ્રાભિષેક

ગોરખપુર: ગૌરક્ષાપીઠધીશ્વર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે સવારે શક્તિ મંદિરમાં આદર અને સામાજિક અંતરના ધોરણોના પાલન સાથે રૂદ્રાભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમને કોરોના વાઈરસ સામે લડતા સમગ્ર વિશ્વના કલ્યાણ, મુક્તિ, સમૃદ્ધિ અને શાંતિ માટે દેવાધિ દેવ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.

cm_yogi
ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કર્યો રૂદ્રાભિષેક

યોગી શનિવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી આશ્રમમાંથી બહાર આવ્યા, ત્યારે તેમણે ગુરૂ ગોરખનાથ અને અખંડ જ્યોતિની પૂજા કરી હતી. તે બાદ બ્રહ્મલીન મહંત અવેદ્યનાથની સમાધિ પર ગયા અને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે મંદિર સંકુલની મુલાકાત દરમિયાન ગૌશાળામાં લગભગ 30 મિનિટ વિતાવી હતી.

જે બાદ ગાય અને વાછરડાઓને ગોળ અને ચારો ખવડાવો હતો. ગૌશાળાઓને વધુ સારી રીતે સાફ કરવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી. બે મહિના પછી તેમનો પાલતુ કૂતરો કાલુ પણ તેમને જોઈને ગેલમાં આવી ગયો હતો.

મુખ્યપ્રધાન બે મહિના પછી શુક્રવારે ગોરખપુરના ગોરખનાથ મંદિર ખાતે આવેલા તેમના આશ્રમમાં પહોંચ્યા હતા. ગૌરક્ષપીઠધીશ્વરની જવાબદારી સંભાળ્યા બાદ પહેલી વાર તેઓ સતત બે મહિના તેમની પીઠ(ગૌરક્ષનાથ), આશ્રમ અને પોતાના લોકોથી દૂર રહ્યા હતા.

ગોરખપુર: ગૌરક્ષાપીઠધીશ્વર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે સવારે શક્તિ મંદિરમાં આદર અને સામાજિક અંતરના ધોરણોના પાલન સાથે રૂદ્રાભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમને કોરોના વાઈરસ સામે લડતા સમગ્ર વિશ્વના કલ્યાણ, મુક્તિ, સમૃદ્ધિ અને શાંતિ માટે દેવાધિ દેવ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.

cm_yogi
ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કર્યો રૂદ્રાભિષેક

યોગી શનિવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી આશ્રમમાંથી બહાર આવ્યા, ત્યારે તેમણે ગુરૂ ગોરખનાથ અને અખંડ જ્યોતિની પૂજા કરી હતી. તે બાદ બ્રહ્મલીન મહંત અવેદ્યનાથની સમાધિ પર ગયા અને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે મંદિર સંકુલની મુલાકાત દરમિયાન ગૌશાળામાં લગભગ 30 મિનિટ વિતાવી હતી.

જે બાદ ગાય અને વાછરડાઓને ગોળ અને ચારો ખવડાવો હતો. ગૌશાળાઓને વધુ સારી રીતે સાફ કરવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી. બે મહિના પછી તેમનો પાલતુ કૂતરો કાલુ પણ તેમને જોઈને ગેલમાં આવી ગયો હતો.

મુખ્યપ્રધાન બે મહિના પછી શુક્રવારે ગોરખપુરના ગોરખનાથ મંદિર ખાતે આવેલા તેમના આશ્રમમાં પહોંચ્યા હતા. ગૌરક્ષપીઠધીશ્વરની જવાબદારી સંભાળ્યા બાદ પહેલી વાર તેઓ સતત બે મહિના તેમની પીઠ(ગૌરક્ષનાથ), આશ્રમ અને પોતાના લોકોથી દૂર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.