ETV Bharat / bharat

CAB: રાજ્યસભામાં 125 મતે પાસ, વિરુદ્ધમાં 105 મત, શિવસેનાનું વૉકઆઉટ

author img

By

Published : Dec 11, 2019, 5:25 AM IST

Updated : Dec 11, 2019, 9:32 PM IST

નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 125 મતે પાસ થયું છે. વિરુદ્ધ 105 મત પડ્યા છે. શિવસેનાએ વોટિંગ દરમિયાન વૉકઆઉટ કર્યું હતું.

amit
અમિત શાહ

શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલની તરફેણમાં લોકસભામાં જનતા દળ (યુ), શિવસેના અને અન્ય કેટલાક પક્ષોના એકઠા થવાને કારણે સરકારને બિલ પસાર કરવામાં મુશ્કેલી ન પડી. લોકસભામાં આ બિલના સમર્થનમાં 311 મતો પડ્યા હતા જ્યારે વિપક્ષમાં 80 મત પડ્યા હતા. જોકે, ભાજપને વિશ્વાસ છે કે આ બિલ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવશે.

રાજ્યસભામાં અમિત શાહ રજૂ કરી રહ્યા છે નાગરિકતા સંશોધન બિલ

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના સાંસદ મમતા બેનર્જીએ પડકાર ફેંક્યો છે કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગુ કરવામાં આવશે નહીં. આ અંગે સરકારે કહ્યું કે દેશ બંધારણ અને કાયદાની સાથે ચાલી રહ્યો છે. મમતા બેનર્જી કાયદા બનાવી રહ્યા નથી. CAB લાગુ થયા પછી જે ઘુસણખોર છે તે અહીંથી રવાના થશે.

રાજ્યસભામાં કોંગ્રેસ કરશે વિરોધ

જો આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યસભામાં સાંસદોની વર્તમાન સંખ્યા 240 છે. એવામાં નાગરિકતા સંશોધન બિલ પર બહુમતી મેળવવા માટે 121 સાંસદોનું સમર્થન જોઈશે. સત્તાધારી ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. મતલબ કે આ બિલને કાયદો બનાવવા માટે ભાજપ પાસે રાજ્યસભામાં અન્ય 37 સાંસદોનું સમર્થન મેળવવું પડશે.

રાજ્યસભામાં આ બિલ પસાર થાય તે માટે સરકારે વધું મહેનત કરવી પડશે નહીં, પરંતુ લોકસભામાં પાસ થયા પછી નીતિશ કુમારની પાર્ટી જેડી (યુ) ફરી ગઈ હોય તેવું લાગે છે. શિવસેનાનું સ્ટેન્ડ પણ હજી સ્પષ્ટ નથી. શિવસેનાનું કહેવું છે કે રાજ્યસભામાં જ આ બિલ પર સ્પષ્ટતા થવી જોઈએ. આ મુદ્દે ભાજપમાં ચિંતા છે.

નાગરિકતા સુધારણા બિલ પર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારા પક્ષકારોને જો આધાર તરીકે જોવામાં આવે તો રાજ્યસભામાં કુલ સંખ્યા 122 થશે. જેમાં ભાજપના 83, અકાલી દળના 3, AIADMKના 11, શિવસેનાના 3, BJD 7, YSR કોંગ્રેસના 2, AGP 1, BPF 1, RPIના 1, LJPના 1, NPF 1, SDFના 1, નૉમિનેટેડ 3 સદસ્ય, અપક્ષ અને અન્ય 4 સભ્યો સાથે કુલ 122 સાંસદો છે.

ભાજપને કોનું સમર્થન ?

ભારતીય જનતા પાર્ટી પાસે રાજ્યસભામાં 83 સાંસદ છે. શિવસેના દ્વારા બેવડું વલણ દાખવતા એ શક્ય છે કે રાજ્યસભામાં પણ તેમના ત્રણ સાંસદોનું સમર્થન મળે. આ સિવાય AIADMKના 11 સાંસદ સત્તાધારી ભાજપને સમર્થન આપશે. તેમજ ભાજપને BJDના 7, JDUના 6, અકાલીદળના 3, નૉમીનેટેડ 4 અને અન્ય 11 સાંસદોનું સમર્થન પણ મળી શકે છે. આ બધા સાથ આપે તો ભાજપને કુલ 128 સાંસદોનું સમર્થન મળશે, જેથી આ બિલ પસાર થઈ શકે છે. પૂર્વોત્તરના બે સાંસદોની બાદબાકી કરાઈ છે કારણ કે તેમણે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું નથી.

તો આ બાજુ વિપક્ષની વાત કરીએ તો, કોંગ્રેસ અને અન્ય પક્ષો સહિત નાગરિકતા સંશોધન બિલ પર તેના સભ્યોની કુલ સંખ્યા 100 છે. આ પ્રમાણે શાસક પક્ષની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે અને આ કારણ છે કે ભાજપ અને કેન્દ્ર સરકારમાં આત્મવિશ્વાસ દેખાય રહ્યો છે.

શાસક પક્ષ અને વિપક્ષ સિવાય રાજ્યસભામાં વધુ 19 સભ્યો છે, જેના પર ઘણા આધાર રાખે છે, જેમાં બૉર્ડરલાઈન પીપલ્સ પાર્ટી, MDMK અને PMKના એક-એક સદસ્યનો સમાવેશ થાય છે.

આ પક્ષોનું વલણ રાજ્યસભામાં આ બિલ રજૂ થયા પછી જ જાણી શકાય છે, પરંતુ અંદરખાને ભાજપના નેતાઓએ આ તમામ નાના પક્ષો સાથે સંપર્ક સાધ્યો છે. હવે જોવાનું એ છે કે રાજ્યસભામાં આ બિલ રજૂ થયા પછી સરકાર અને ભાજપની મહેનત કેટલી રંગ લાવે છે.

શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલની તરફેણમાં લોકસભામાં જનતા દળ (યુ), શિવસેના અને અન્ય કેટલાક પક્ષોના એકઠા થવાને કારણે સરકારને બિલ પસાર કરવામાં મુશ્કેલી ન પડી. લોકસભામાં આ બિલના સમર્થનમાં 311 મતો પડ્યા હતા જ્યારે વિપક્ષમાં 80 મત પડ્યા હતા. જોકે, ભાજપને વિશ્વાસ છે કે આ બિલ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવશે.

રાજ્યસભામાં અમિત શાહ રજૂ કરી રહ્યા છે નાગરિકતા સંશોધન બિલ

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના સાંસદ મમતા બેનર્જીએ પડકાર ફેંક્યો છે કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગુ કરવામાં આવશે નહીં. આ અંગે સરકારે કહ્યું કે દેશ બંધારણ અને કાયદાની સાથે ચાલી રહ્યો છે. મમતા બેનર્જી કાયદા બનાવી રહ્યા નથી. CAB લાગુ થયા પછી જે ઘુસણખોર છે તે અહીંથી રવાના થશે.

રાજ્યસભામાં કોંગ્રેસ કરશે વિરોધ

જો આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યસભામાં સાંસદોની વર્તમાન સંખ્યા 240 છે. એવામાં નાગરિકતા સંશોધન બિલ પર બહુમતી મેળવવા માટે 121 સાંસદોનું સમર્થન જોઈશે. સત્તાધારી ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. મતલબ કે આ બિલને કાયદો બનાવવા માટે ભાજપ પાસે રાજ્યસભામાં અન્ય 37 સાંસદોનું સમર્થન મેળવવું પડશે.

રાજ્યસભામાં આ બિલ પસાર થાય તે માટે સરકારે વધું મહેનત કરવી પડશે નહીં, પરંતુ લોકસભામાં પાસ થયા પછી નીતિશ કુમારની પાર્ટી જેડી (યુ) ફરી ગઈ હોય તેવું લાગે છે. શિવસેનાનું સ્ટેન્ડ પણ હજી સ્પષ્ટ નથી. શિવસેનાનું કહેવું છે કે રાજ્યસભામાં જ આ બિલ પર સ્પષ્ટતા થવી જોઈએ. આ મુદ્દે ભાજપમાં ચિંતા છે.

નાગરિકતા સુધારણા બિલ પર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારા પક્ષકારોને જો આધાર તરીકે જોવામાં આવે તો રાજ્યસભામાં કુલ સંખ્યા 122 થશે. જેમાં ભાજપના 83, અકાલી દળના 3, AIADMKના 11, શિવસેનાના 3, BJD 7, YSR કોંગ્રેસના 2, AGP 1, BPF 1, RPIના 1, LJPના 1, NPF 1, SDFના 1, નૉમિનેટેડ 3 સદસ્ય, અપક્ષ અને અન્ય 4 સભ્યો સાથે કુલ 122 સાંસદો છે.

ભાજપને કોનું સમર્થન ?

ભારતીય જનતા પાર્ટી પાસે રાજ્યસભામાં 83 સાંસદ છે. શિવસેના દ્વારા બેવડું વલણ દાખવતા એ શક્ય છે કે રાજ્યસભામાં પણ તેમના ત્રણ સાંસદોનું સમર્થન મળે. આ સિવાય AIADMKના 11 સાંસદ સત્તાધારી ભાજપને સમર્થન આપશે. તેમજ ભાજપને BJDના 7, JDUના 6, અકાલીદળના 3, નૉમીનેટેડ 4 અને અન્ય 11 સાંસદોનું સમર્થન પણ મળી શકે છે. આ બધા સાથ આપે તો ભાજપને કુલ 128 સાંસદોનું સમર્થન મળશે, જેથી આ બિલ પસાર થઈ શકે છે. પૂર્વોત્તરના બે સાંસદોની બાદબાકી કરાઈ છે કારણ કે તેમણે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું નથી.

તો આ બાજુ વિપક્ષની વાત કરીએ તો, કોંગ્રેસ અને અન્ય પક્ષો સહિત નાગરિકતા સંશોધન બિલ પર તેના સભ્યોની કુલ સંખ્યા 100 છે. આ પ્રમાણે શાસક પક્ષની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે અને આ કારણ છે કે ભાજપ અને કેન્દ્ર સરકારમાં આત્મવિશ્વાસ દેખાય રહ્યો છે.

શાસક પક્ષ અને વિપક્ષ સિવાય રાજ્યસભામાં વધુ 19 સભ્યો છે, જેના પર ઘણા આધાર રાખે છે, જેમાં બૉર્ડરલાઈન પીપલ્સ પાર્ટી, MDMK અને PMKના એક-એક સદસ્યનો સમાવેશ થાય છે.

આ પક્ષોનું વલણ રાજ્યસભામાં આ બિલ રજૂ થયા પછી જ જાણી શકાય છે, પરંતુ અંદરખાને ભાજપના નેતાઓએ આ તમામ નાના પક્ષો સાથે સંપર્ક સાધ્યો છે. હવે જોવાનું એ છે કે રાજ્યસભામાં આ બિલ રજૂ થયા પછી સરકાર અને ભાજપની મહેનત કેટલી રંગ લાવે છે.

Intro:Body:

Citizenship Amendment Bill To be introduced in Rajya Sabha today


Conclusion:
Last Updated : Dec 11, 2019, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.