ETV Bharat / bharat

મધ્યપ્રદેશના નિવાડીમાં 4 દિવસ પહેલા બોરવેલમાં ફસાયેલો પ્રહલાદ મોત સામે જંગ હાર્યો

author img

By

Published : Nov 8, 2020, 12:38 PM IST

મધ્યપ્રદેશના નિવાડીમાં છેલ્લા ચાર દિવસથી બોરવેલમાં ફંસાયેલા પાંચ વર્ષનાં માસુમ પ્રહલાદનું મોત થયું છે. આશરે 90 કલાકની જેહમત બાદ સૈન્ય અને સંચાલન દ્વારા પ્રહલાદને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળ થયાં હતા. પરંતુ માસુમનો જીવ બચાવી શક્યા નહીં.

નિવાડી
નિવાડી

મધ્યપ્રદેશ : નિવાડીમાં છેલ્લાં ચાર દિવસથી બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના પ્રહલાદનું મોત નીપજ્યું છે. બોરવેલમાંથી બહાર કાઢયા બાદ પ્રહલાદને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. નિવાડી જિલ્લાના સૈતપુરા ગામે બુધવારે સવારે બોરવેલમાં પડી ગયેલા પ્રહલાદને રવિવારે સવારે બહાર કાઢવામાં આવ્યો હતો.

સારવાર બાદ પ્રહલાદને મૃત જોહેર કર્યો

આશરે 90 કલાકની જહેમત બાદ પ્રહલાદને બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો. જેમાં પ્રશાસન અને સેનાને સફળતા તો મળી પરંતુ પ્રહલાદને બચાવી શક્યા નહીં. પ્રહલાદને બહાર કાઢતાં જ ડોકટરેની ટીમ પ્રાથમિક સ્વસ્થ્ય કેન્દ્ર લઇ ગઇ હતી. જ્યાં તેમની સારવાર બાદ પ્રહલાદને મૃત જોહેર કર્યો હતો. મુખ્યપ્રધાન શિવરાજે પણ ટવીટ કરી પ્રાર્થના કરી હતી કે, પ્રહલાદને જલ્દીથી બહાર કાઢવામાં આવે. મુખ્યપ્રધાને ટવીટ કરીને લખ્યું હતું કે, પ્રહલાદને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સેના પણ રોકાયેલી છે.

પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પણ ટવીટ કર્યું

સીએમ સિવાય પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પણ ટવીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, "બોરવેલમાં એક માસુમ બાળક પ્રહલાદના પડી જવાના સમાચાર મળ્યાં છે. હું સરકાર પાસેથી માંગણી કરું છું કે, પ્રહલાદને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે. આશા છે કે, પ્રહલાદને જલ્દીથી સલામત રીતે બહાર કાઢવામાં આવશે. ચાલો આપણે બધા સાથે મળીને તેની સલામત માટે પ્રાર્થના કરીએ."

આ પણ વાંચો : મધ્યપ્રદેશ: 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો 3 વર્ષનો બાળક, બચાવ કામગીરી શરૂ

મધ્યપ્રદેશ : નિવાડીમાં છેલ્લાં ચાર દિવસથી બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના પ્રહલાદનું મોત નીપજ્યું છે. બોરવેલમાંથી બહાર કાઢયા બાદ પ્રહલાદને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. નિવાડી જિલ્લાના સૈતપુરા ગામે બુધવારે સવારે બોરવેલમાં પડી ગયેલા પ્રહલાદને રવિવારે સવારે બહાર કાઢવામાં આવ્યો હતો.

સારવાર બાદ પ્રહલાદને મૃત જોહેર કર્યો

આશરે 90 કલાકની જહેમત બાદ પ્રહલાદને બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો. જેમાં પ્રશાસન અને સેનાને સફળતા તો મળી પરંતુ પ્રહલાદને બચાવી શક્યા નહીં. પ્રહલાદને બહાર કાઢતાં જ ડોકટરેની ટીમ પ્રાથમિક સ્વસ્થ્ય કેન્દ્ર લઇ ગઇ હતી. જ્યાં તેમની સારવાર બાદ પ્રહલાદને મૃત જોહેર કર્યો હતો. મુખ્યપ્રધાન શિવરાજે પણ ટવીટ કરી પ્રાર્થના કરી હતી કે, પ્રહલાદને જલ્દીથી બહાર કાઢવામાં આવે. મુખ્યપ્રધાને ટવીટ કરીને લખ્યું હતું કે, પ્રહલાદને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સેના પણ રોકાયેલી છે.

પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પણ ટવીટ કર્યું

સીએમ સિવાય પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પણ ટવીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, "બોરવેલમાં એક માસુમ બાળક પ્રહલાદના પડી જવાના સમાચાર મળ્યાં છે. હું સરકાર પાસેથી માંગણી કરું છું કે, પ્રહલાદને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે. આશા છે કે, પ્રહલાદને જલ્દીથી સલામત રીતે બહાર કાઢવામાં આવશે. ચાલો આપણે બધા સાથે મળીને તેની સલામત માટે પ્રાર્થના કરીએ."

આ પણ વાંચો : મધ્યપ્રદેશ: 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો 3 વર્ષનો બાળક, બચાવ કામગીરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.