ETV Bharat / bharat

ICMRએ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપી, કિંમત 450 રૂપિયા - કોવિડ 19 ટેસ્ટ

દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય તબીબી સંશોધન પરિષદે કોરોના વાઇરસ માટે એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપી દીધી છે. તેનાથી રિપોર્ટ માત્ર 30 મિનિટમાં આવી જાય છે.

ICMRએ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપી, કિંમત 450 રૂપિયા
ICMRએ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપી, કિંમત 450 રૂપિયા
author img

By

Published : Jun 17, 2020, 9:03 PM IST

નવી દિલ્હી: દેશમાં કોવિડ-19ના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ભારતીય તબીબી સંશોધન પરિષદે એન્ટિજન તપાસને મંજૂરી આપી દીધી છે. ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવએ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને માહિતી આપી છે કે, ભારતીય તબીબી સંશોધન પરિષદએ કોવિડ-19ના ટેસ્ટ માટે એન્ટિજન ડિટેક્શન ટેસ્ટની કિંમત 450 રૂપિયા કરવાની વાત કરી છે.

ડૉ.ભાર્ગવે કહ્યું કે, કોરોના ચેપને રોકવા માટે દિલ્હીના કંસ્ટ્રક્શન ઝોનમાં કોવિડ-19 ટેસ્ટ તાત્કાલિક વધારવાની જરૂરી છે. હાલમાં દિલ્હીમાં જાહેરમાં અને ખાનગીમાં 40 RTPCR ટેસ્ટ પ્રયોગશાળાઓ છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ માં સીઓબીએઅસ સિસ્ટમ્સ છે. દિલ્હીમાં પરીક્ષણ માટે લગભગ 18,000 નમૂના લેવામાં આવી રહ્યા છે.

આઇસીએમઆરએ કહ્યું કે, રેપિડ અંટીઝન ટેસ્ટમાં નેગેટિવ ટેસ્ટ કરનાર કોવિડ-19 સંક્રમિત લોકોને સંક્રમણથી બચવા માટે RTPCRથી ટેસ્ટ કરાવવું જોઇએ. જો કે, પોઝિટિવ પરિણામ પોઝિટિવ જ માનવામાં આવશે.

દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ને સંબોધન કરતા માર્ગદર્શિકામાં કહ્યું કે, આ રોગચાળો એક સાર્વજનિક આરોગ્યની કટોકટી છે, જે બધા માટે તણાવપૂર્ણ અને મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી રહી છે. કટોકટી દરમિયાન અફવાઓ અને ખોટી માહિતી વધુ તણાવ પેદા કરે છે. આને દૂર કરવા માટે, લોકોએ તેનાથી દૂર રહેવું જોઇએ. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ-19થી પ્રભાવિત લોકો અને તેમના પરિવારો, આરોગ્ય કાર્યકરો, કોરોનાથી સાજા થયેલા લોકોને સમાજનો સામનો કરવો પડે છે.

નવી દિલ્હી: દેશમાં કોવિડ-19ના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ભારતીય તબીબી સંશોધન પરિષદે એન્ટિજન તપાસને મંજૂરી આપી દીધી છે. ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવએ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને માહિતી આપી છે કે, ભારતીય તબીબી સંશોધન પરિષદએ કોવિડ-19ના ટેસ્ટ માટે એન્ટિજન ડિટેક્શન ટેસ્ટની કિંમત 450 રૂપિયા કરવાની વાત કરી છે.

ડૉ.ભાર્ગવે કહ્યું કે, કોરોના ચેપને રોકવા માટે દિલ્હીના કંસ્ટ્રક્શન ઝોનમાં કોવિડ-19 ટેસ્ટ તાત્કાલિક વધારવાની જરૂરી છે. હાલમાં દિલ્હીમાં જાહેરમાં અને ખાનગીમાં 40 RTPCR ટેસ્ટ પ્રયોગશાળાઓ છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ માં સીઓબીએઅસ સિસ્ટમ્સ છે. દિલ્હીમાં પરીક્ષણ માટે લગભગ 18,000 નમૂના લેવામાં આવી રહ્યા છે.

આઇસીએમઆરએ કહ્યું કે, રેપિડ અંટીઝન ટેસ્ટમાં નેગેટિવ ટેસ્ટ કરનાર કોવિડ-19 સંક્રમિત લોકોને સંક્રમણથી બચવા માટે RTPCRથી ટેસ્ટ કરાવવું જોઇએ. જો કે, પોઝિટિવ પરિણામ પોઝિટિવ જ માનવામાં આવશે.

દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ને સંબોધન કરતા માર્ગદર્શિકામાં કહ્યું કે, આ રોગચાળો એક સાર્વજનિક આરોગ્યની કટોકટી છે, જે બધા માટે તણાવપૂર્ણ અને મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી રહી છે. કટોકટી દરમિયાન અફવાઓ અને ખોટી માહિતી વધુ તણાવ પેદા કરે છે. આને દૂર કરવા માટે, લોકોએ તેનાથી દૂર રહેવું જોઇએ. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ-19થી પ્રભાવિત લોકો અને તેમના પરિવારો, આરોગ્ય કાર્યકરો, કોરોનાથી સાજા થયેલા લોકોને સમાજનો સામનો કરવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.