26 એપ્રિલે કરવામાં આવેલા એક સર્વે મુજબ 28.42 ટકા લોકો બેરોજગારીને પોતાની મુખ્યો મુદ્દો માને છે. આ સર્વેમાં 11672 લોકોમાંથી 57.04 લોકોએ માન્યું હતું કે, દેશની મુખ્ય સમસ્યા આર્થિક મુદ્દાઓ હોવા જોઈએ. જ્યારે 11.74 લોકો માને છે કે, સુરક્ષા મહત્વનો મુદ્દો હોવો જોઈએ.
મતદાન પ્રક્રિયા શરૂ થતા પહેલા જ બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન બનીને સામે આવ્યું છે. પણ માર્ચ આવતા આવતા તો સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દો આગળ નિકળી ગયો હતો.
માર્ચના પહેલા અઠવાડીયા સુધી લોકો માટે બેરોજગારી પણ વધારે આતંકવાદનો મુદ્દો મહત્વનો હતો. માર્ચમાં 26.12 ટકા લોકોએ આતંકવાદી હુમલાઓને મુદ્દો ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે 21.74 લોકોએ બેરોજગારીને મહત્વ આપ્યું છે.
બેરોજગારી જેવા વિકરાળ મુદ્દાની સામે હવે ધીમે ધીમે પાછું લોકો સુરક્ષાના મુદ્દાથી હટી રોજગાર પર આવી રહ્યા છે. 27 એપ્રિલે રોજગાર અને સુરક્ષા વચ્ચે 45.3 ટકાનું અંતર જોવા મળ્યું હતું.