શૈલેન્દ્ર કુમારે જાહેરાત કરતા કહ્યું હતું કે, ચૂંટણી અંગેનું નોટિફિકેશન 1 ઓક્ટોબરે જાહેર થશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર છે. 10 ઓક્ટોબરે દસ્તાવેજોની ચકાસણી કરાશે જ્યારે 11 ઓક્ટોબરે ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પાછુ ખેંચી શકશે.
શૈલેન્દ્ર કુમારે મીડિયાને માહિતી આપી હતી કે, કુલગામ અને શ્રીનગરમાં ચૂંટણીઓ નહીં થાય. જે ચાર બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. તેની ઉપર જ ચૂંટણીઓ યોજાશે. આ બેઠકો અનુસુચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે રીર્ઝવ રખાય છે.
ચૂંટણીઓ માટે દરેક બ્લૉકમાં પોલીંગ બુથ બનાવાશે. આ ચૂંટણીમાં બેલેટ બોક્સનો ઉપયોગ થશે. બે બ્લૉક માટે નોડલ ઓફિસરની નિમણૂંક થશે. જે ચૂંટણીની કામગીરી ઉપર નજર રાખશે. આ ઉપરાંત દરેક કાર્યક્રમની વીડિયોગ્રાફી કરાશે.