ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જેટલીએ જણાવ્યું કે, "કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ રહ્યો છે કે, ગરીબોને નારા આપો પણ સાધન ન આપો. કોંગ્રેસ દ્વારા 2008માં દેવામાફી માટે 70 હજાર કરોડનું દેવું માફ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ દેવામાફી માત્ર 52 હજાર કરોડની જ કરવામાં આવી અને તે પણ દિલ્હીના વેપારીઓની જ."
આ ઉપરાંત જેટલીએ જણાવ્યું કે, "કોંગ્રેસ ગરીબી હટાઓના નામે ચૂંટણી જીતી હતી, પરંતુ તેમના કાર્યકાલમાં માત્ર ગરીબીનું જ વિતરણ થયું છે."