નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથેના તણાવ અને પેટ્રોલના વધતા ભાવને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં ભાવમાં 22 ગણો વધારો કરવામાં આવ્યો છે, તે જ સમયે, ચીન વિશે કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે પીએમ મોદીને કહેવું જોઈએ કે તેઓ ચીની સેનાને દેશમાંથી ક્યારે અને કેવી રીતે હટાવશે.
-
उम्मीद है देश हित में इन सुझावों को PM ज़रूर मानेंगे।
— Rahul Gandhi (@RahulGandhi) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
यही सच्ची देश सेवा भी है और राष्ट्र भक्ती भी। pic.twitter.com/kQc2hgol0S
">उम्मीद है देश हित में इन सुझावों को PM ज़रूर मानेंगे।
— Rahul Gandhi (@RahulGandhi) June 30, 2020
यही सच्ची देश सेवा भी है और राष्ट्र भक्ती भी। pic.twitter.com/kQc2hgol0Sउम्मीद है देश हित में इन सुझावों को PM ज़रूर मानेंगे।
— Rahul Gandhi (@RahulGandhi) June 30, 2020
यही सच्ची देश सेवा भी है और राष्ट्र भक्ती भी। pic.twitter.com/kQc2hgol0S
રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં કિંમતોમાં 22 ગણો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાએ દેશના અર્થતંત્રને નુકસાન કર્યું છે. જેમાં ગરીબોએ સૌથી વધુ સહન કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સૂચન કર્યું હતું કે ન્યાયા યોજના જેવી યોજના લાગુ કરવામાં આવે. દરેક પરિવારના ખાતામાં 7 હજાર રૂપિયા નાખવામાં આવે, પરંતુ સરકારે આ સૂચન સ્વીકાર્યું નહીં. આ સાથે જ રાહુલ ગાંધીએ ચીન વિશે કહ્યું કે આપણે જાણીએ છીએ કે ચીન દેશમાં ચાર જગ્યાએ અંદર આવી ગયું છે. ચીની સેનાને ક્યારે અને કેવી રીતે દૂર કરશે તે પણ વડાપ્રધાન મોદી જણાવે.