અમિત શાહે રેલીમાં આવેલા 25-25 લોકોને ફોન પર કમળ પર મત આપવા અપીલ કરવા કહ્યું. ચતરામાં યોજાયેલી સભામાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, " આટલી સંખ્યામાં ચૂંટણી કેવી રીતે જીતી શકાય. તમે મને શું બેવકુફ બનાવો છો. હું પણ વેપારી છું. ગણિત મને પણ આવડે છે. અહીંથી ધરે જઇને 25-25 લોકોને ફોન કરી અને ભાજપને મત આપવાની અપીલ કરી હતી.”
હકીકતમાં, ભાજપ અધ્યક્ષ 25-25 લોકો દ્વારા કાર્યકર્તાઓને પક્ષ માટે વધુ સંખ્યાને લઇને સલાહ આપી હતી. અમિત શાહે પક્ષમાં કેટલીક બેઠકોને લઇને અધિકારીઓને વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરવા સૂચન કર્યુ હતું.
શાહે રેલીમાં કોંગ્રેસ અને ઝામુમોની સાથે મળીને ચૂંટણી લડવા પર પણ આકરા પ્રહાર કર્યા હતાં.