ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સપા નેતા પોતાની અરાજકતાની ગતિવિધિયોંથી ઉપર આવું જોઈએ. સુરક્ષા વ્યવસ્થા ન બગડે, તે માટે અખિલેશને સંચાલનના અનુરોધ પર રોકવામાં આવ્યા. યોગીએ કહ્યું કે અખિલેશ કાર્યક્રમમાં જતા તો હિંસા થઈ શકતી હતી. જેથી ઈલાહાબાદ યૂનિવર્સિટીના અનુરોધ પર સંચાલને આ નિર્ણય લીધો છે.
![yogi](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2431742_96_2bb4abd2-9372-497f-ad13-934ad7bc4960.png)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
યોગીએ કહ્યું કે પ્રયાગરાજમાં અત્યારે કુંભ ચાલી રહ્યો છે. 10 દિવસ પહેલા જ અખિલેશ યાદવ પ્રયાગરાજ ગયા હતા અને દર્શન કરી સ્નાન કર્યું હતું. ઈલાહાબાદ યૂનિવર્સિટીમાં તોડફોડ અને હિંસા થઈ શકે છે. જેથી સંચાલને તેમને રોકવાનો નિર્ણય કર્યો.
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવને આજે પ્રયાગરાજ જતા રોકવા પર BSPનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું કે BJP સરકારની તાનાશાહી અને લોકશાહી હત્યાનું પ્રતીક છે.
માયાવતીએ સવાલ કર્યો કે શું BJPની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર BSP-SP ગઠબંધનથી આટલી ડરે છે કે તેમની પોતાની રાજકિય ગતિવિધિઓ અને પાર્ટીના પ્રોગ્રામ કરવા માટે પણ રોકવા માટે BJP લાગી ગઈ છે. માયાવતીએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી લોકશાહીની કાર્યવાહીનો મુકાબલો કરવામાં આવશે.