ETV Bharat / bharat

સરકારની ઉદાસીનતાને કારણે રાજ્યના લોકો માટે સમસ્યા ઉભી થઈ: અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, રાજ્યમાં લોકોની સામે રોજગાર અને આજીવિકાનું સંકટ હતું. સરકારની ઉદાસીનતા અને ટૂંકી દ્રષ્ટિના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

author img

By

Published : May 27, 2020, 11:09 PM IST

akhilesh yadav_comment_up_government
સરકારની ઉદાસીનતાને કારણે રાજ્યના લોકો માટે સમસ્યા ઉભી થઈ: અખિલેશ યાદવ

લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, રાજ્યમાં લોકોની સામે રોજગાર અને આજીવિકાનું સંકટ હતું. સરકારની ઉદાસીનતા અને ટૂંકી દ્રષ્ટિના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર ન તો વેપારીઓને મદદ કરી રહી છે કે ન તો દુકાનો ખોલવા અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. મોટી સંખ્યામાં નાના વેપારીઓ પર સતામણી થઈ રહી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વેપારીઓ પર બળજબરીથી દંડ લાદી રહ્યાં છે.

અખિલેશે કહ્યું કે બે મહિનાના લોકડાઉનના કારણે વેપારીઓ, જેઓ ભૂખમરાની આરે પહોંચી ચૂક્યા છે, તેઓ હવે આ સરકારી આતંક અને દંડનો સામનો કરશે. લોકશાહીમાં આ અન્યાયી તંત્ર ગેરકાયદેસર અને અનૈતિક છે. જ્યાં સુધી વેપારની વાત છે, લોકડાઉન સમયગાળા દરમિયાન, સૌથી વધુ અસર નાના વેપારીઓને બજાર બંધ થવાથી થઈ છે. શેરી વિક્રેતાઓ અને જેઓ અન્ય નાનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના જીવનના આ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા છે. તે બધા રોજ કમાતા અને ખાતા હોય છે. તેમને કોઈ રાહત આપવામાં આવી ન હતી.

લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, રાજ્યમાં લોકોની સામે રોજગાર અને આજીવિકાનું સંકટ હતું. સરકારની ઉદાસીનતા અને ટૂંકી દ્રષ્ટિના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર ન તો વેપારીઓને મદદ કરી રહી છે કે ન તો દુકાનો ખોલવા અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. મોટી સંખ્યામાં નાના વેપારીઓ પર સતામણી થઈ રહી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વેપારીઓ પર બળજબરીથી દંડ લાદી રહ્યાં છે.

અખિલેશે કહ્યું કે બે મહિનાના લોકડાઉનના કારણે વેપારીઓ, જેઓ ભૂખમરાની આરે પહોંચી ચૂક્યા છે, તેઓ હવે આ સરકારી આતંક અને દંડનો સામનો કરશે. લોકશાહીમાં આ અન્યાયી તંત્ર ગેરકાયદેસર અને અનૈતિક છે. જ્યાં સુધી વેપારની વાત છે, લોકડાઉન સમયગાળા દરમિયાન, સૌથી વધુ અસર નાના વેપારીઓને બજાર બંધ થવાથી થઈ છે. શેરી વિક્રેતાઓ અને જેઓ અન્ય નાનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના જીવનના આ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા છે. તે બધા રોજ કમાતા અને ખાતા હોય છે. તેમને કોઈ રાહત આપવામાં આવી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.