
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી શર્મજનક હાર બાદ ખુર્શીદનું આ નિવેદન ખુબ જ મહત્વ ધરાવે છે. તેઓએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યા બાદ પણ તેઓના ઉત્તરાઘિકારી બનવાને લઈને ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, ફરુખાબાદથી 2009માં સાંસદ તરીકે ચૂંટાયેલા ખુર્શીદને 2014 અને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની ચૂંટણીમાં ખુર્શીદને લગભગ 55258 મત મળ્યા હતા.