ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં ફસાયેલા 92 માછીમારોને બચાવી લેવાયા

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લા નજીક આવેલા એક ટાપુ નજીક તેમની બોટ પર ફસાયેલા લગભગ 92 માછીમારો ખરાબ હવામાનને કારણે બચાવી લેવામાં આવ્યા છે. ત્યારબાદ હવામાન સામાન્ય થયા પછી તેમના ઘરે મોકલવામાં આવશે.

author img

By

Published : Apr 28, 2020, 8:06 AM IST

આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ

મચિલીપટ્ટનમ (AP): આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિઝિયાનાગારમના લગભગ 92 જેટલા માછીમારો દરિયાની ખરાબ પરિસ્થિતિને કારણે કૃષ્ણા જિલ્લાના એક ટાપુ નજીક તેમની નૌકામાં ફસાયા હતા. જેમને સોમવારે બચાવી લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

માછીમારો 24 એપ્રિલે ચેન્નઈથી શ્રીકાકુલમ જવા રવાના થયા હતા. જે સોમવારે ખરાબ હવામાનને કારણે એડુરુમોંડી ટાપુ નજીક અટવાઈ ગયા હતા.

અધિકારીઓ તેમને કાંઠે લાવ્યા અને એડુરુમોંડી ગામની સરકારી ઉચ્ચ શાળામાં રહેવા માટે સલાહ આપી હતી. ત્યારબાદ સામાન્ય પરિસ્થિતિ થયા બાદ તેમને પરત લવાયા હતા.

મચ્છિલીપટ્ટનમ રેવન્યુ ડિવિઝન ઓફિસર એન. એસ. કાજા વાલીએ જણાવ્યું હતું કે, હવામાન સામાન્ય થયા પછી તેમને તેમના વતન સ્થાને પાછા ફરવા દેવામાં આવશે.

મચિલીપટ્ટનમ (AP): આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિઝિયાનાગારમના લગભગ 92 જેટલા માછીમારો દરિયાની ખરાબ પરિસ્થિતિને કારણે કૃષ્ણા જિલ્લાના એક ટાપુ નજીક તેમની નૌકામાં ફસાયા હતા. જેમને સોમવારે બચાવી લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

માછીમારો 24 એપ્રિલે ચેન્નઈથી શ્રીકાકુલમ જવા રવાના થયા હતા. જે સોમવારે ખરાબ હવામાનને કારણે એડુરુમોંડી ટાપુ નજીક અટવાઈ ગયા હતા.

અધિકારીઓ તેમને કાંઠે લાવ્યા અને એડુરુમોંડી ગામની સરકારી ઉચ્ચ શાળામાં રહેવા માટે સલાહ આપી હતી. ત્યારબાદ સામાન્ય પરિસ્થિતિ થયા બાદ તેમને પરત લવાયા હતા.

મચ્છિલીપટ્ટનમ રેવન્યુ ડિવિઝન ઓફિસર એન. એસ. કાજા વાલીએ જણાવ્યું હતું કે, હવામાન સામાન્ય થયા પછી તેમને તેમના વતન સ્થાને પાછા ફરવા દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.