10માં સમુહમાં 5273 અમરનાથ યાત્રીઓ છે. આ બધા યાત્રીઓ 3,880 મીટરની ઉંચાઇ પર સ્થિત અમરનાથ ગુફા તરફ ચઢાણ શરૂ કર્યું છે. આ તમામ બેસ કેમ્પથી રવાના થયા છે.

યાત્રા શરૂ થયા બાદ અત્યારસુધી ભગવતી નગર બેસ કેમ્પથી 47,546 યાત્રીઓ જમ્મુથી રવાના થયા છે અને તે સાથે જ પહેલો જથ્થો રવાના થયો છે. આ યાત્રા 46 દિવસો સુધી ચાલશે અને યાત્રી પહલગામ અને બાલટાલના રસ્તેથી અમરનાથ સુધી પહોંચશે.

મંગળવારે સાંજ સુધી 1,21,196 બાબા ધામ સુધી પહોંચ્યા હતા અને પૂજા- અર્ચના કરી હતી. આ સ્થાન પર સ્વયંભૂ બનેલા શિવલિંગ છે અને જેના દર્શન માટે લોકો દેશના ખૂણે-ખૂણેથી આવતા હોય છે.

15 ઓગસ્ટે રક્ષાબંધનનો પાવન પર્વ પર આ તીર્થ યાત્રાનું સમાપન થશે.

અત્યાર સુધીમાં યાત્રાએ ગયેલા સમુહમાં 26 બાળકો પણ હતા. 226 વાહનોના આશરે બધાને બંને માર્ગથી બેસ કેમ્પ સુધી પરત લાવવામાં આવશે અને તે માટે કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બુધવારે રવાના થયેલા યાત્રીઓના સમુહમાં કુલ 3,496 યાત્રીઓ હતાં, જેમાં 492 મહિલાઓ, 11 બાળકો અને 188 સંતનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રીઓ પહેલગામના રસ્તેથી રવાના થયા છે અને 1,777 યાત્રી બાલટાલ માર્ગના રસ્તેથી રવાના થયા હતા. જેમાં 481 મહિલાઓ અને 15 બાળકો હતા.