કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ ૨૫૦ જેટલા કોંગ્રેસના આગેવાનોને કેસરીયો ખેશ પેરાવીને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. માળીયા હાટીના તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દિલીપસિંહ શિશોડિયા ભાંદુરી અને જામવળી ગામના ૨૫૦ ટેકેદારો તેમજ જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન ગોસ્વામી બચુભાઈ શિશોડીયા અમીન ભાઈ પઠાણ, બાબરા ગામના ઉપ. સરપંચ આહીર સમાજના આગેવાન બાલુભાઈ. પોઠિયા પોતાના શેકડો કાર્યકરો સાથે કોંગ્રેસને રામ-રામ કરીને કેસરિયો ખેશ પહેરીને ભાજપમાં જોડાયા છે.
જુઓ વિડીઓ
મનસુખ ભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સંસ્કારી ખોરડું છે. આપણે તમામે ભેગા મળીને મોદી સાહેબના પગ મજબૂત કરવાના છે, અને આ વખતે પણ દેશના વડાપ્રધાન પદે મોદી સાહેબ જ આવવાના છે.