છત્તીસગઢ: છત્તીસગઢના દાંતીવાડા જિલ્લામાં ગુરુવારે કુઆકોંડા પોલીસ સ્ટેશનમાં 25 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતુ. આ નક્સલવાદીઓમાંથી 3 પર છત્તીસગઢ સરકાર દ્વારા એક એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આમાંથી અમુક નક્સલીઓ મેલાવાડા બ્લાસ્ટ કેસમાં સામેલ હતા જેમાં CRPF ના 7 જવાનો શહીદ થયા હતા. તેમજ એક પોસ્ટ માસ્તરની પણ તેમણે હત્યા કરી હતી.
આ નક્સલવાદીઓ સુરંગ બનાવવી, સડક ખોદી નાખવી, સ્કૂલો તેમજ આશ્રમ તોડી પાડવા જેવી ઘટનાઓ માં પણ સામેલ હતા. આત્મસમર્પણ દરમિયાન તેમણે જિલ્લા કલેક્ટરને તેમના ગામનો વિકાસ કરવાની માગ કરી હતી જે કલેક્ટરે સ્વીકારી હતી. તેમણે તમામ નક્સલવાદીઓ ને 10 -10 હજાર રૂપિયા પ્રોત્સાહન રાશિ આપી અભિનંદન પાઠવ્યા હતા.