ETV Bharat / bharat

UPમાં શ્રમિકોને લઇ જતી બસને નડ્યો અકસ્માત, 12 લોકો ઇજાગ્રસ્ત

author img

By

Published : May 18, 2020, 9:35 AM IST

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર બિહારના પ્રવાસી શ્રમિકોને લઇને જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી રહી છે.

Etv Bharat, Gujarati News, UP Accident, Covid 19
UP Accident

ઉત્તર પ્રદેશઃ કુશીનગર જિલ્લામાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર બિહારના પ્રવાસી શ્રમિકોને લઇને જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી સામે આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Etv Bharat, Gujarati News, UP Accident, Covid 19
ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં 12 શ્રમિકો ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ પ્રવાસી મજૂરોને લઇને બિહાર જઇ રહેલી બસ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉભેલા ટ્રક સાથે અથડાતા અકસ્તમાત સર્જાયો હતો. બસ વધુ સ્પીડમાં હોવાથી આગળના ભાગે બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આઠ લોકોની હાલત ગંભીર હોવાથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું કે, આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ શ્રમિકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશઃ કુશીનગર જિલ્લામાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર બિહારના પ્રવાસી શ્રમિકોને લઇને જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી સામે આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Etv Bharat, Gujarati News, UP Accident, Covid 19
ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં 12 શ્રમિકો ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ પ્રવાસી મજૂરોને લઇને બિહાર જઇ રહેલી બસ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉભેલા ટ્રક સાથે અથડાતા અકસ્તમાત સર્જાયો હતો. બસ વધુ સ્પીડમાં હોવાથી આગળના ભાગે બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આઠ લોકોની હાલત ગંભીર હોવાથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું કે, આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ શ્રમિકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.