ETV Bharat / bharat

ભાઈબીજ: આનંદપૂર્વક ઉજવાતા ભારતીય તહેવારોમાંનો એક

ભાઈ અને બહેનના સ્નેહને સમર્પિત ભાઈબીજનો આ તહેવાર (Festival of Bhai Dooj) દિવાળીના બે દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને બદલામાં ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. આ આનંદપૂર્વક ઉજવાતા ભારતીય (Bhai Dooj Celebration in India) તહેવારોમાંનો એક છે.

author img

By

Published : Oct 19, 2022, 10:20 AM IST

Etv Bharatભારતમાં ભાઈબીજની ઉજવણી અને મહત્વ, ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક
Etv Bharatભારતમાં ભાઈબીજની ઉજવણી અને મહત્વ, ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક

ન્યૂઝ ડેસ્ક: દિવાળીના તહેવારોની શ્રૃંખલાના છેલ્લા તહેવાર તરીકે ઉજવાતા તહેવારને ક્યાંક ભાઈબીજ કે અન્નકૂટના નામથી પણ ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તે ભ્રાત્રી દ્વિતિયા અથવા યમ દ્વિતિયા તરીકે ઓળખાય છે. ભાઈબીજ (Festival of Bhai Dooj) અથવા ભાઈ ટીકા એ ભાઈ અને બહેનનો પ્રેમ દર્શાવતો હિન્દુ તહેવાર છે. તે આનંદપૂર્વક ઉજવાતા ભારતીય (Bhai Dooj Celebration in India) તહેવારોમાંનો એક છે. આ હિન્દુ તહેવાર ભારતના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે. તે મહારાષ્ટ્રમાં ભાઉબીજ અને પશ્ચિમ બંગાળમાં ભાઈ ફોન્ટા તરીકે પણ ઓળખાય છે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવાતો આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે. ભાઈ અને બહેનના સ્નેહને સમર્પિત આ તહેવાર દિવાળીના બે દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને બદલામાં ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે.

ભાઈબીજ 2022: આ એક શુભ સમય હશે, હવે વર્ષ 2022માં ભાઈબીજનો તહેવાર તારીખ 26 ઓક્ટોબર બુધવારે ઉજવવામાં આવશે, પરંતુ હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની બીજી તિથિ બપોરે 2:42 વાગ્યાથી શરૂ થઈ રહી છે. તારીખ 26 ઓક્ટોબરે અને તારીખ 27 ઓક્ટોબરના રોજ 2022 બપોરે 12:45 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે ભાઈબીજ તિલકનો સમય તારીખ 27 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 12:14 થી 12:47 સુધીનો રહેશે.

ભાઈબીજ તહેવાર: આરતી અને ટીકાનું મહત્વ ભાઈબીજના અવસરે બહેનો તેમના ભાઈઓને તેમના સ્થાને આમંત્રિત કરે છે. બહેનો તેમના ભાઈઓને આરતી દ્વારા આવકારે છે અને તેમના કપાળ પર સિંદૂર અને ચોખાનું તિલક લગાવીને તેમને મીઠાઈ ખવડાવે છે અને તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે. બદલામાં ભાઈ તેની બહેનો માટે જીવન રક્ષણ કરવાનું વચન આપે છે અને તેમની અનુકૂળતા અનુસાર તેમની બહેનને ભેટો આપે છે. આવી સ્ત્રીઓ જેમનો કોઈ સગો ભાઈ નથી, તો તેઓ આ તહેવાર કોઈ દૂરના સંબંધી અથવા નજીકના ભાઈ સાથે ઉજવે છે. આ દરમિયાન તેઓ આરતી કરતી વખતે ચંદ્રમાં પાસે તેના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ઘણી જગ્યાએ આ પ્રસંગે ભાઈઓને મિજબાની પણ આપવામાં આવે છે. આ પ્રસંગે બહેનો તેમના ભાઈની પસંદગીની મીઠાઈઓ અને વાનગીઓ બનાવીને પીરસે છે.

રાજ્યોમાં નામ અલગ: મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના કેટલાક ભાગોમાં આ તહેવારને અલગ નામથી ઉજવવામાં આવે છે. આ રાજ્યોમાં આ તહેવાર ભાઉ બીજ તરીકે ઓળખાય છે. આ દિવસે ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ જોવા મળે છે. બહેનો અને ભાઈઓ ભેટની આપ લે કરે છે, નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરે છે અને બાસુંદી પુરી જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરે છે, જે લોકપ્રિય (મહારાષ્ટ્ર) સ્થાનિક વાનગી છે.

ભાઈબીજના અલગ નામ: આ તહેવાર પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભવ્ય ઉજવણી અને ભાઈ ફોન્ટાના રૂપમાં ભવ્ય મિજબાની સાથે પણ એક પરંપરા છે. આમાં બહેનો તેમના ભાઈના કપાળ પર ફોન્ટા અથવા ચંદનનું પેસ્ટ ન લગાવે ત્યાં સુધી ઉપવાસ કરે છે અને બહેન તેમના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, આ ભાઈ બહેનના પ્રેમના તહેવારને ઉજવવા માટે ભારતના દરેક ભાગમાં અલગ અલગ પરંપરાઓ અને વિધિઓનું પાલન કરવામાં આવે છે. જો કે તમામ સ્થળોએ આ તહેવારનો અર્થ ભાઈ અને બહેન વચ્ચેના સુંદર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે.

ન્યૂઝ ડેસ્ક: દિવાળીના તહેવારોની શ્રૃંખલાના છેલ્લા તહેવાર તરીકે ઉજવાતા તહેવારને ક્યાંક ભાઈબીજ કે અન્નકૂટના નામથી પણ ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તે ભ્રાત્રી દ્વિતિયા અથવા યમ દ્વિતિયા તરીકે ઓળખાય છે. ભાઈબીજ (Festival of Bhai Dooj) અથવા ભાઈ ટીકા એ ભાઈ અને બહેનનો પ્રેમ દર્શાવતો હિન્દુ તહેવાર છે. તે આનંદપૂર્વક ઉજવાતા ભારતીય (Bhai Dooj Celebration in India) તહેવારોમાંનો એક છે. આ હિન્દુ તહેવાર ભારતના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે. તે મહારાષ્ટ્રમાં ભાઉબીજ અને પશ્ચિમ બંગાળમાં ભાઈ ફોન્ટા તરીકે પણ ઓળખાય છે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવાતો આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે. ભાઈ અને બહેનના સ્નેહને સમર્પિત આ તહેવાર દિવાળીના બે દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને બદલામાં ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે.

ભાઈબીજ 2022: આ એક શુભ સમય હશે, હવે વર્ષ 2022માં ભાઈબીજનો તહેવાર તારીખ 26 ઓક્ટોબર બુધવારે ઉજવવામાં આવશે, પરંતુ હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની બીજી તિથિ બપોરે 2:42 વાગ્યાથી શરૂ થઈ રહી છે. તારીખ 26 ઓક્ટોબરે અને તારીખ 27 ઓક્ટોબરના રોજ 2022 બપોરે 12:45 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે ભાઈબીજ તિલકનો સમય તારીખ 27 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 12:14 થી 12:47 સુધીનો રહેશે.

ભાઈબીજ તહેવાર: આરતી અને ટીકાનું મહત્વ ભાઈબીજના અવસરે બહેનો તેમના ભાઈઓને તેમના સ્થાને આમંત્રિત કરે છે. બહેનો તેમના ભાઈઓને આરતી દ્વારા આવકારે છે અને તેમના કપાળ પર સિંદૂર અને ચોખાનું તિલક લગાવીને તેમને મીઠાઈ ખવડાવે છે અને તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે. બદલામાં ભાઈ તેની બહેનો માટે જીવન રક્ષણ કરવાનું વચન આપે છે અને તેમની અનુકૂળતા અનુસાર તેમની બહેનને ભેટો આપે છે. આવી સ્ત્રીઓ જેમનો કોઈ સગો ભાઈ નથી, તો તેઓ આ તહેવાર કોઈ દૂરના સંબંધી અથવા નજીકના ભાઈ સાથે ઉજવે છે. આ દરમિયાન તેઓ આરતી કરતી વખતે ચંદ્રમાં પાસે તેના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ઘણી જગ્યાએ આ પ્રસંગે ભાઈઓને મિજબાની પણ આપવામાં આવે છે. આ પ્રસંગે બહેનો તેમના ભાઈની પસંદગીની મીઠાઈઓ અને વાનગીઓ બનાવીને પીરસે છે.

રાજ્યોમાં નામ અલગ: મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના કેટલાક ભાગોમાં આ તહેવારને અલગ નામથી ઉજવવામાં આવે છે. આ રાજ્યોમાં આ તહેવાર ભાઉ બીજ તરીકે ઓળખાય છે. આ દિવસે ભાઈ બહેન વચ્ચે અપાર પ્રેમ જોવા મળે છે. બહેનો અને ભાઈઓ ભેટની આપ લે કરે છે, નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કરે છે અને બાસુંદી પુરી જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરે છે, જે લોકપ્રિય (મહારાષ્ટ્ર) સ્થાનિક વાનગી છે.

ભાઈબીજના અલગ નામ: આ તહેવાર પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભવ્ય ઉજવણી અને ભાઈ ફોન્ટાના રૂપમાં ભવ્ય મિજબાની સાથે પણ એક પરંપરા છે. આમાં બહેનો તેમના ભાઈના કપાળ પર ફોન્ટા અથવા ચંદનનું પેસ્ટ ન લગાવે ત્યાં સુધી ઉપવાસ કરે છે અને બહેન તેમના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, આ ભાઈ બહેનના પ્રેમના તહેવારને ઉજવવા માટે ભારતના દરેક ભાગમાં અલગ અલગ પરંપરાઓ અને વિધિઓનું પાલન કરવામાં આવે છે. જો કે તમામ સ્થળોએ આ તહેવારનો અર્થ ભાઈ અને બહેન વચ્ચેના સુંદર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.