ETV Bharat / bharat

કર્ણાટકમાં શરૂ થઇ ત્રીજી લહેર! 5 દિવસમાં 242 બાળકો સંક્રમિત

કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં આ સંખ્યા વધી શકે છે. કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક્સપર્ટ આશંકા કરી રહ્યા છે કે, ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. એવામાં આ આંકડા ભયંકર છે.

author img

By

Published : Aug 12, 2021, 12:42 PM IST

કર્ણાટકમાં શરૂ થઇ ત્રીજી લહેર
કર્ણાટકમાં શરૂ થઇ ત્રીજી લહેર
  • કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે
  • ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે
  • કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે

બેંગ્લોર: કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે. આ જાણકારી સરકારી આંકડાથી મળી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં આ સંખ્યા વધી શકે છે. કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક્સપર્ટ આશંકા કરી રહ્યા છે કે, ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. એવામાં આ આંકડા ભયંકર છે.

આ પણ વાંચો- કોરોનાનું સંક્રમણ 15થી 30 દિવસમાં બેગણું વધી શકે છેઃ કર્ણાટક સ્વાસ્થ્ય પ્રધાન

ગયા મંગળવારે રાજ્યમાં સંક્રમણના 1 હજાર 338 નવા કેસ આવ્યા

બ્રુહટ બેંગ્લોર મહાનગરપાલિકાએ કહ્યું કે, ગયા પાંચ દિવસમાં 19 વર્ષથી ઓછી ઉંમરના 242 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક્સપર્ટ ચેતવણી આપી ચૂક્યા છે કે, કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. આંકડા દર્શાવી રહ્યા છે કે, આમાં 106 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી છે. જ્યારે 136 બાળકો 9 અને 19 વર્ષથી વચ્ચેના છે. ગયા મંગળવારે રાજ્યમાં સંક્રમણના 1 હજાર 338 નવા કેસ આવ્યા છે. આ દરમિયાન 31 દર્દીના મોત નિપજ્યા છે.

વધ્યા કેસ!

સ્વાસ્થ્ય વિભાગે એક અધિકારીએ જણાવ્યું કે, થોડા દિવસમાં કેસ ત્રણ ગણા થઇ જશે અને આ મોટો ખતરો છે. કર્ણાટક સરકારે પહેલા જ બધા જિલ્લામાં રાત્રિ અને વીકેન્ડ કરફ્યૂનું એલાન કરી દીધું છે. આ ઉપરાંત કેરલ-કર્ણાટક, મહારાષ્ટ્ર કર્ણાટકની સીમાઓ પર પ્રવેશ પર પાબંધી લગાવી દીધી છે. આ દરમિયાન ફક્ત RT-PCR સર્ટિફિકેટવાળા યાત્રિઓને જ આવાજવાની પરમિશન હશે. આ સર્ટિફિકેટ 72 ક્લાકથી વધુ જૂનું ન હોવું જોઇએ.

આ પણ વાંચો- ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ

કર્ણાટકમાં ગયા મહિને દરરોજ 1500 કેસ સામે આવ્યા

કર્ણાટકમાં ગયા મહિને દરરોજ 1500 કેસ સામે આવ્યા હતા. તાજેતરમાં જ સત્તા સંભાળનાર નવા મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઇએ વેક્સિનના ડોઝને 65 લાખથી 1 કરોડ પ્રતિમાસ કરવાનો વાયદો કર્યો છે. સૂત્રોએ જાણકારી આપી છે કે, સરકાર 16 ઓગસ્ટથી આંશિક લોકડાઉન કરી શકે છે. રાજ્યમાં અત્યારસુધી કોવિડ-19ના 29 લાખ 21 હજાર 049 દર્દી મળી ચૂક્યા છે. આમાંથી 36 હજાર 88 દર્દીઓની મોત થઇ ચૂકી છે. હાલ 22 હજાર 702 દર્દીઓ સારવાર હેઠળ છે.

  • કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે
  • ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે
  • કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે

બેંગ્લોર: કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે. આ જાણકારી સરકારી આંકડાથી મળી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં આ સંખ્યા વધી શકે છે. કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક્સપર્ટ આશંકા કરી રહ્યા છે કે, ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. એવામાં આ આંકડા ભયંકર છે.

આ પણ વાંચો- કોરોનાનું સંક્રમણ 15થી 30 દિવસમાં બેગણું વધી શકે છેઃ કર્ણાટક સ્વાસ્થ્ય પ્રધાન

ગયા મંગળવારે રાજ્યમાં સંક્રમણના 1 હજાર 338 નવા કેસ આવ્યા

બ્રુહટ બેંગ્લોર મહાનગરપાલિકાએ કહ્યું કે, ગયા પાંચ દિવસમાં 19 વર્ષથી ઓછી ઉંમરના 242 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક્સપર્ટ ચેતવણી આપી ચૂક્યા છે કે, કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. આંકડા દર્શાવી રહ્યા છે કે, આમાં 106 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી છે. જ્યારે 136 બાળકો 9 અને 19 વર્ષથી વચ્ચેના છે. ગયા મંગળવારે રાજ્યમાં સંક્રમણના 1 હજાર 338 નવા કેસ આવ્યા છે. આ દરમિયાન 31 દર્દીના મોત નિપજ્યા છે.

વધ્યા કેસ!

સ્વાસ્થ્ય વિભાગે એક અધિકારીએ જણાવ્યું કે, થોડા દિવસમાં કેસ ત્રણ ગણા થઇ જશે અને આ મોટો ખતરો છે. કર્ણાટક સરકારે પહેલા જ બધા જિલ્લામાં રાત્રિ અને વીકેન્ડ કરફ્યૂનું એલાન કરી દીધું છે. આ ઉપરાંત કેરલ-કર્ણાટક, મહારાષ્ટ્ર કર્ણાટકની સીમાઓ પર પ્રવેશ પર પાબંધી લગાવી દીધી છે. આ દરમિયાન ફક્ત RT-PCR સર્ટિફિકેટવાળા યાત્રિઓને જ આવાજવાની પરમિશન હશે. આ સર્ટિફિકેટ 72 ક્લાકથી વધુ જૂનું ન હોવું જોઇએ.

આ પણ વાંચો- ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ

કર્ણાટકમાં ગયા મહિને દરરોજ 1500 કેસ સામે આવ્યા

કર્ણાટકમાં ગયા મહિને દરરોજ 1500 કેસ સામે આવ્યા હતા. તાજેતરમાં જ સત્તા સંભાળનાર નવા મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઇએ વેક્સિનના ડોઝને 65 લાખથી 1 કરોડ પ્રતિમાસ કરવાનો વાયદો કર્યો છે. સૂત્રોએ જાણકારી આપી છે કે, સરકાર 16 ઓગસ્ટથી આંશિક લોકડાઉન કરી શકે છે. રાજ્યમાં અત્યારસુધી કોવિડ-19ના 29 લાખ 21 હજાર 049 દર્દી મળી ચૂક્યા છે. આમાંથી 36 હજાર 88 દર્દીઓની મોત થઇ ચૂકી છે. હાલ 22 હજાર 702 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.