અમૃતસર: પંજાબના અમૃતસરના અજનાલામાં ગુરુવારે હિંસક પ્રદર્શન થયું હતું. વારિસ પંજાબ દાના પ્રમુખ સ્વયંભૂ ગોડમેન અમૃતપાલ સિંહના સમર્થકો અને પોલીસ વચ્ચે વારંવાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં ટોળાએ બેરિકેડ તોડી નાખ્યા હતા. ત્યારબાદ અમૃતપાલ અને તેના સહયોગીઓ વિરુદ્ધ FIR નોંધવાના વિરોધમાં ગુરુવારે સવારે અજનાલા પોલીસ સ્ટેશનની સામે મોટી સંખ્યામાં અમૃતપાલના અનુયાયીઓ એકઠા થવા લાગ્યા હતા.
-
#WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar
— ANI (@ANI) February 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO
">#WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar
— ANI (@ANI) February 23, 2023
They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO#WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar
— ANI (@ANI) February 23, 2023
They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO
આ પણ વાંચો: Complaint against Sanjay Raut: પૂર્વ મેયર મીનાક્ષી શિંદેની ફરિયાદ પછી શિવસેના સાંસદ સામે કેસ દાખલ
પોલીસ દળ કરાયું તૈનાત: અમૃતપાલ અને તેના સાથીદારોને અજનાલા પોલીસ સ્ટેશને ન પહોંચે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બેરિકેડ પણ લગાવી દીધા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અજનાલામાં પાંચ જિલ્લાના પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યા છે. અમૃતપાલે ચેતવણી આપી હતી કે જો સરકાર તેની અને તેના સહયોગીઓ સામે દાખલ કરવામાં આવેલી FIR રદ નહીં કરે તો તે અજનલા ખાતે મીટિંગ કરશે અને કોર્ટમાં તેમની ધરપકડ કરવાનું કેશે.
આ પણ વાંચો: Money Laundering Case: જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ EDની FIR રદ
અનુયાયીઓ વિરુદ્ધ કેસ: નોંધનીય છે કે, ચમકૌર સાહિબના રહેવાસી વરિન્દર સિંહે અમૃતપાલ અને તેના અનુયાયીઓ સામે કથિત રીતે અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે તે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજનલા ગયો હતો. અમૃતપાલે આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે, પોલીસે માનસિક રીતે અસ્થિર વ્યક્તિની ફરિયાદ પર તેની અને તેના અનુયાયીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જે તેના જૂથ વિરુદ્ધ પહેલેથી જ ઝેર ઉગાડતો હતો. જો કે, તેના પરિવારજનોએ કહ્યું હતું કે, તે નિર્દોષ છે અને તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.