ETV Bharat / bharat

એર માર્શલ વી.આર. ચૌધરી બન્યા વાયુસેનાના વડા, RKS ભદૌરિયા થયા નિવૃત્ત

author img

By

Published : Sep 30, 2021, 5:49 PM IST

એર ચીફ માર્શલ વી આર ચૌધરી ( VR Chowdhury) ભારતીય વાયુસેનાના નવા વડા( Chief of Air Force) બન્યા છે. તેમણે RKS ભદૌરિયાની નિવૃત્તિ બાદ પદભાર સંભાળ્યો હતો. એર માર્શલ વિવેક રામ ચૌધરીએ આ વર્ષે 1 જુલાઈના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નિવૃત્ત વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ વાયુસેના પ્રમુખે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી.

air marshal vr chowdhury chief of air force
એર માર્શલ વી.આર. ચૌધરી બન્યા વાયુસેનાના વડા

  • દેશના 27 માં વાયુસેનાના વડા તરીકે એર માર્શલ ચૌધરીએ કાર્યભાર સંભાળ્યો
  • 26 માં વાયુસેનાના વડાના પદ્દ પરથી RKS ભદૌરિયા થયા નિવૃત્ત
  • આ અગાઉ વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફની પણ નિયુક્તિ કરવામાં આવી હતી

નવી દિલ્હી : દેશના 26 માં એરફોર્સ ચીફ RKS ભદૌરિયા 41 વર્ષની લાંબી કારકિર્દી બાદ ગુરુવારે નિવૃત્ત થયા હતા. તેઓએ વાયું સેનાના વડા તરીકે તેમણે આજે સવારે છેલ્લી વખત નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ અર્પી હતી. આ બાદ, ભદૌરિયાએ 27 માં વાયું સેનાના વડા (Chief of Air Staff)નો પદભાર એર માર્શલ વી.આર.ચૌધરી( VR Chowdhury)ને સોંપવામાં આવ્યો છે. નવા અને જૂના વાયુ સેનાના વડાઓને હેડક્વાર્ટરમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. નવા IAF ચીફ શુક્રવારે નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ આપી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

VR ચૌધરી આગામી વાયુસેના પ્રમુખ બનશે

આ અગાઉ, 21 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે એર માર્શલ વી.આર.ચૌધરીને દેશના આગામી એર સ્ટાફ ચીફ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચૌધરી હાલ વાયુસેનાના ડેપ્યુટી ચીફ છે. હાલના વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જે બાદ ચૌધરી આ પદ સંભાળશે. એર માર્શલ વિવેક રામ ચૌધરીએ આ વર્ષે 1 જુલાઈના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

એર માર્શલ સંદીપ સિંહને ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્તિ કરાઈ

વાયુસેનામાં મોટા ફેરફારો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા એર માર્શલ વી.આર.ચૌધરી(Air Marshal VR Chaudhury)ને વાયુસેનાના પ્રમુખ બનાવવાની 24 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ બાદ વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ( Vice Chief of Air Force)ના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં એર માર્શલ સંદીપ સિંહ (Air Marshal Sandeep Singh)ને ભારતીય વાયુસેનાના આગામી ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

  • દેશના 27 માં વાયુસેનાના વડા તરીકે એર માર્શલ ચૌધરીએ કાર્યભાર સંભાળ્યો
  • 26 માં વાયુસેનાના વડાના પદ્દ પરથી RKS ભદૌરિયા થયા નિવૃત્ત
  • આ અગાઉ વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફની પણ નિયુક્તિ કરવામાં આવી હતી

નવી દિલ્હી : દેશના 26 માં એરફોર્સ ચીફ RKS ભદૌરિયા 41 વર્ષની લાંબી કારકિર્દી બાદ ગુરુવારે નિવૃત્ત થયા હતા. તેઓએ વાયું સેનાના વડા તરીકે તેમણે આજે સવારે છેલ્લી વખત નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ અર્પી હતી. આ બાદ, ભદૌરિયાએ 27 માં વાયું સેનાના વડા (Chief of Air Staff)નો પદભાર એર માર્શલ વી.આર.ચૌધરી( VR Chowdhury)ને સોંપવામાં આવ્યો છે. નવા અને જૂના વાયુ સેનાના વડાઓને હેડક્વાર્ટરમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. નવા IAF ચીફ શુક્રવારે નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ આપી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

VR ચૌધરી આગામી વાયુસેના પ્રમુખ બનશે

આ અગાઉ, 21 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે એર માર્શલ વી.આર.ચૌધરીને દેશના આગામી એર સ્ટાફ ચીફ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચૌધરી હાલ વાયુસેનાના ડેપ્યુટી ચીફ છે. હાલના વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જે બાદ ચૌધરી આ પદ સંભાળશે. એર માર્શલ વિવેક રામ ચૌધરીએ આ વર્ષે 1 જુલાઈના રોજ વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

એર માર્શલ સંદીપ સિંહને ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્તિ કરાઈ

વાયુસેનામાં મોટા ફેરફારો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા એર માર્શલ વી.આર.ચૌધરી(Air Marshal VR Chaudhury)ને વાયુસેનાના પ્રમુખ બનાવવાની 24 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ બાદ વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ( Vice Chief of Air Force)ના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં એર માર્શલ સંદીપ સિંહ (Air Marshal Sandeep Singh)ને ભારતીય વાયુસેનાના આગામી ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.