ETV Bharat / bharat

પંજાબમાં રાજકીય ધર્મસંકટ: CM કેપ્ટન અમરિંદર બપોરે 3:30 કલાકે આપી શકે છે રાજીનામું

author img

By

Published : Sep 18, 2021, 1:39 PM IST

Updated : Sep 18, 2021, 2:14 PM IST

પંજાબમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (AICC)એ આજે પંજાબ કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. સાંજે 5 વાગ્યે આ બેઠક કરવાનું નક્કી થયું છે. સમાચાર પ્રમાણે સાંજે 5 વાગ્યે થનારી બેઠકથી પહેલા કેપ્ટને સમર્થકોની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે તેમના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે અને તેઓ બપોરે સાડા ત્રણ વાગ્યે રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. કારણ કે, તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ નાખવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં તેઓ પોતે પણ પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે.

પંજાબ CM કેપ્ટન અમરિંદરની ખુરશી સંકટમાં!
પંજાબ CM કેપ્ટન અમરિંદરની ખુરશી સંકટમાં!
  • અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ ધારાસભ્ય દળની બેઠક બોલાવી
  • 5 વાગ્યે મળશે ધારાસભ્યદળની બેઠક
  • સીએમ અમરિંદર સિંહને લઇને ધારાસભ્યોમાં અસંતોષ

ચંદીગઢ: પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (AICC)એ શનિવારના રાજ્યના કૉંગ્રેસે ધારાસભ્યદળની બેઠક બોલાવી છે. AICCના મહાસચિવ તેમજ પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારના આ વિશે જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે તેમના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે અને તેઓ બપોરે સાડા ત્રણ વાગ્યે રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. કારણ કે તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ નાખવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં તેઓ પોતે પણ પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે.

પંજાબ કૉંગ્રેસ પ્રભારીએ ટ્વીટ કરીને આપી માહિતી

રાવતે ટ્વીટ કર્યું કે, 'કૉંગ્રેસના અનેક ધારાસભ્યોએ AICCને પંજાબ કૉંગ્રેસ ધારાસભ્ય દળની તાત્કાલિક બેઠક બોલાવવા માટે અનુરોધ કર્યો. આ ક્રમમાં પંજાબ પ્રદેશ કૉંગ્રેસ સમિતિની ઑફિસમાં 18 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. પંજાબ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને બેઠકમાં સામેલ થવા માટે વિનંતી કરવામાં આવે છે.' આ ટ્વીટમાં તેમણે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને પંજાબ કૉંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુને પણ ટેગ કર્યા.

4 મંત્રીઓ અને અનેક ધારાસભ્યોનો વિદ્રોહ

તો નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવાર રાત્રે ટ્વિટર પર લખ્યું, 'AICCના નિર્દેશ પર કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પંજાબ કૉંગ્રેસ સમિતિની ઑફિસમાં 18 સપ્ટેમ્બર 2021ના સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે.' ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજ્યના 4 મંત્રીઓ અને અનેક ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિરુદ્ધ અસંતોષનો સ્વર ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, હવે એ વાતનો ભરોસો નથી કે અમરિંદર સિંહમાં અધૂરા વાયદા પૂરા કરવાની ક્ષમતા છે.

વધુ વાંચો: 'જો તમે મને નિર્ણય નહીં લેવા દો તો છોડીશ નહીં, ઇંટથી ઇંટ બજાવી દઇશઃ' પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસ કેપ્ટન અમરિંદરસિંહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશેઃ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત

  • અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ ધારાસભ્ય દળની બેઠક બોલાવી
  • 5 વાગ્યે મળશે ધારાસભ્યદળની બેઠક
  • સીએમ અમરિંદર સિંહને લઇને ધારાસભ્યોમાં અસંતોષ

ચંદીગઢ: પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (AICC)એ શનિવારના રાજ્યના કૉંગ્રેસે ધારાસભ્યદળની બેઠક બોલાવી છે. AICCના મહાસચિવ તેમજ પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારના આ વિશે જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ આજે તેમના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે અને તેઓ બપોરે સાડા ત્રણ વાગ્યે રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. કારણ કે તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ નાખવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં તેઓ પોતે પણ પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે.

પંજાબ કૉંગ્રેસ પ્રભારીએ ટ્વીટ કરીને આપી માહિતી

રાવતે ટ્વીટ કર્યું કે, 'કૉંગ્રેસના અનેક ધારાસભ્યોએ AICCને પંજાબ કૉંગ્રેસ ધારાસભ્ય દળની તાત્કાલિક બેઠક બોલાવવા માટે અનુરોધ કર્યો. આ ક્રમમાં પંજાબ પ્રદેશ કૉંગ્રેસ સમિતિની ઑફિસમાં 18 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. પંજાબ કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને બેઠકમાં સામેલ થવા માટે વિનંતી કરવામાં આવે છે.' આ ટ્વીટમાં તેમણે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને પંજાબ કૉંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુને પણ ટેગ કર્યા.

4 મંત્રીઓ અને અનેક ધારાસભ્યોનો વિદ્રોહ

તો નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવાર રાત્રે ટ્વિટર પર લખ્યું, 'AICCના નિર્દેશ પર કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પંજાબ કૉંગ્રેસ સમિતિની ઑફિસમાં 18 સપ્ટેમ્બર 2021ના સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે.' ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજ્યના 4 મંત્રીઓ અને અનેક ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિરુદ્ધ અસંતોષનો સ્વર ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, હવે એ વાતનો ભરોસો નથી કે અમરિંદર સિંહમાં અધૂરા વાયદા પૂરા કરવાની ક્ષમતા છે.

વધુ વાંચો: 'જો તમે મને નિર્ણય નહીં લેવા દો તો છોડીશ નહીં, ઇંટથી ઇંટ બજાવી દઇશઃ' પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસ કેપ્ટન અમરિંદરસિંહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશેઃ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત

Last Updated : Sep 18, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.