ETV Bharat / bharat

અફઘાન મુદ્દે 26 ઓગસ્ટે તમામ રાજકીય પક્ષોની બેઠક, વડાપ્રધાને આપી સૂચના

author img

By

Published : Aug 23, 2021, 4:22 PM IST

કેન્દ્ર સરકાર યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના વિકાસ વિશે આગામી 26 ઓગસ્ટના રોજ દેશના વિવિધ રાજકીય પક્ષોના સંસદીય નેતાઓની બેઠક મળશે. આ અંગે વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રાલયને સૂચના આપી છે.

  • રાજકીય પક્ષોના નેતાઓની અફધાન મૂદ્દે બેઠક
  • અફઘાનની સ્થિતિ જોતા વડાપ્રધાને આપી સુચના
  • 17 ઓગસ્ટે કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સંસદમાં અફઘાનિસ્તાનના વિકાસની માહિતી આપવામાં આવશે. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલય (MEA) ને અફઘાનિસ્તાન વિશેની સંપૂર્ણ માહિતી રાજકીય પક્ષોને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

વિદેશ પ્રધાનનું અફઘાન વિશે ટ્વિટ

જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'અફઘાનિસ્તાનની ઘટનાઓને જોતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પક્ષોના માળખાના નેતાઓની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી આ સંદર્ભે વધુ માહિતી આપશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાને રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારથી અરાજકતાનું વાતાવરણ છે. અફઘાનિસ્તાન-તાલિબાન સંકટ વચ્ચે એક મહત્વપૂર્ણ વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ઓગસ્ટના રોજ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી.

આ પણ વાંચો: યુએસ ઇવેક્યુએશન ફ્લાઇટમાં અફઘાન મહિલાએ બાળકીને જન્મ આપ્યો

વડાપ્રધાની મહત્વપૂર્ણ બેઠક

વડાપ્રધાને તેમના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠક બાદ અધિકારીઓને આ સૂચનાઓ આપી હતી. આ દરમિયાન, સૂત્રોએ કહ્યું છે કે ભારત વેઇટ એન્ડ વોચ કરી સરકારની રચના કેવી રીતે સમાવિષ્ટ થશે અને તાલિબાન કેવી રીતે પોતાનું સંચાલન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાને કાશ્મીર અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ મુજબ તાલિબાન કાશ્મીરને દ્વિપક્ષીય, આંતરિક મુદ્દો માને છે. વડાપ્રધાને કહ્યું કે, હિન્દુઓ અને શીખોને આશ્રય આપવામાં આવશે.

  • રાજકીય પક્ષોના નેતાઓની અફધાન મૂદ્દે બેઠક
  • અફઘાનની સ્થિતિ જોતા વડાપ્રધાને આપી સુચના
  • 17 ઓગસ્ટે કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને સંસદમાં અફઘાનિસ્તાનના વિકાસની માહિતી આપવામાં આવશે. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલય (MEA) ને અફઘાનિસ્તાન વિશેની સંપૂર્ણ માહિતી રાજકીય પક્ષોને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

વિદેશ પ્રધાનનું અફઘાન વિશે ટ્વિટ

જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'અફઘાનિસ્તાનની ઘટનાઓને જોતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પક્ષોના માળખાના નેતાઓની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી આ સંદર્ભે વધુ માહિતી આપશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાને રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારથી અરાજકતાનું વાતાવરણ છે. અફઘાનિસ્તાન-તાલિબાન સંકટ વચ્ચે એક મહત્વપૂર્ણ વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ઓગસ્ટના રોજ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી.

આ પણ વાંચો: યુએસ ઇવેક્યુએશન ફ્લાઇટમાં અફઘાન મહિલાએ બાળકીને જન્મ આપ્યો

વડાપ્રધાની મહત્વપૂર્ણ બેઠક

વડાપ્રધાને તેમના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠક બાદ અધિકારીઓને આ સૂચનાઓ આપી હતી. આ દરમિયાન, સૂત્રોએ કહ્યું છે કે ભારત વેઇટ એન્ડ વોચ કરી સરકારની રચના કેવી રીતે સમાવિષ્ટ થશે અને તાલિબાન કેવી રીતે પોતાનું સંચાલન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાને કાશ્મીર અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ મુજબ તાલિબાન કાશ્મીરને દ્વિપક્ષીય, આંતરિક મુદ્દો માને છે. વડાપ્રધાને કહ્યું કે, હિન્દુઓ અને શીખોને આશ્રય આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.