ETV Bharat / bharat

ગુના પહોંચેલી સાબરમતી એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

author img

By

Published : Mar 9, 2021, 3:18 PM IST

બિહારના દરભંગાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કપલિંગમાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. આના કારણે 10 મિનીટ સુધી ગુના સ્ટેશન પર ઊભી રહી હતી.

ગુના પહોંચેલી સાબરમતી એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
ગુના પહોંચેલી સાબરમતી એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
  • સાબરમતી એક્સપ્રેસના કપલિંગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો
  • ટેક્નિકલ ખામીના કારણે સ્ટેશન પર 10 મિનીટ સુધી ઊભી રહી ટ્રેન
  • સાબરમતી એક્સપ્રેસ અશોકનગરથી નીકળી ગુનાના હિનોતિયામાં પહોંચી હતી

આ પણ વાંચોઃ કિસાન રેન્ક ટ્રેન મારફતે ધોરાજીથી 550 મેટ્રિક ટન ડુંગળી ગુવાહાટી મોકલાઈ

ગુનાઃ બિહારના દરભંગાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કપલિંગમાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. આના કારણે 10 મિનીટ સુધી ગુના સ્ટેશન પર ઊભી રહી હતી. આ ઘટના લગભગ 12 વાગ્યે થઈ હતી. જ્યારે સાબરમતી એક્સપ્રેસ 019166 અશોકનગરથી નીકળીને ગુનાના હિનોતિયા ગામમાં પહોંચી હતી.

આ પણ વાંચોઃ આનંદો...હવે ટ્રેનમાં બેસવા ટિકિટ રિઝર્વેશન કરાવી નહી પડે

ટેક્નિકલ ખામી દૂર કરી ટ્રેન અમદાવાદ આવવા રવાના

આ સમયે ટ્રેનના ડબ્બાઓ જોડનારી કપલિંગમાં ધુમાડો થવા લાગ્યો હતો. આ જોઈને પાયલટે ટ્રેનને રોકી લીધી હતી. ટ્રેનની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે કપલિંગ લિન્કમાં બુશ ચોટાડવાની જગ્યાએ ધુમાડો નીકળતો હતો. ત્યારબાદ ટ્રેનને ગમે તેમ કરીને ગુના સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી. રેલવેની C&W શાખા દ્વારા આ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ટ્રેનને સુરક્ષિત અમદાવાદ મોકલવામાં આવી છે.

  • સાબરમતી એક્સપ્રેસના કપલિંગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો
  • ટેક્નિકલ ખામીના કારણે સ્ટેશન પર 10 મિનીટ સુધી ઊભી રહી ટ્રેન
  • સાબરમતી એક્સપ્રેસ અશોકનગરથી નીકળી ગુનાના હિનોતિયામાં પહોંચી હતી

આ પણ વાંચોઃ કિસાન રેન્ક ટ્રેન મારફતે ધોરાજીથી 550 મેટ્રિક ટન ડુંગળી ગુવાહાટી મોકલાઈ

ગુનાઃ બિહારના દરભંગાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કપલિંગમાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. આના કારણે 10 મિનીટ સુધી ગુના સ્ટેશન પર ઊભી રહી હતી. આ ઘટના લગભગ 12 વાગ્યે થઈ હતી. જ્યારે સાબરમતી એક્સપ્રેસ 019166 અશોકનગરથી નીકળીને ગુનાના હિનોતિયા ગામમાં પહોંચી હતી.

આ પણ વાંચોઃ આનંદો...હવે ટ્રેનમાં બેસવા ટિકિટ રિઝર્વેશન કરાવી નહી પડે

ટેક્નિકલ ખામી દૂર કરી ટ્રેન અમદાવાદ આવવા રવાના

આ સમયે ટ્રેનના ડબ્બાઓ જોડનારી કપલિંગમાં ધુમાડો થવા લાગ્યો હતો. આ જોઈને પાયલટે ટ્રેનને રોકી લીધી હતી. ટ્રેનની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે કપલિંગ લિન્કમાં બુશ ચોટાડવાની જગ્યાએ ધુમાડો નીકળતો હતો. ત્યારબાદ ટ્રેનને ગમે તેમ કરીને ગુના સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી. રેલવેની C&W શાખા દ્વારા આ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ ટ્રેનને સુરક્ષિત અમદાવાદ મોકલવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.