ETV Bharat / bharat

Tamilnadu News : ત્રિચી એરપોર્ટ પર મુસાફરોની બેગમાંથી 47 અજગર અને 2 ગરોળી મળી આવી -

ત્રિચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ વન્યજીવોની દાણચોરીના આરોપમાં એક મલેશિયન મુસાફરને પકડ્યો છે. અધિકારીઓએ મુસાફર પાસેથી ટ્રોલી બેગમાંથી 47 જીવતા અજગર અને 2 ગરોળી મળી આવી છે. મુસાફરની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 31, 2023, 7:24 PM IST

તમિલનાડુ : ત્રિચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 47 જીવંત અજગર અને 2 ગરોળી દાણચોરીનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, એક મુસાફર તેમને ટ્રોલી બેગમાં છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મુહમ્મદ મોઈદીન તરીકે ઓળખાયેલ મુસાફર બાટિક એરની ફ્લાઈટમાં કુઆલાલંપુર મલેશિયાથી ત્રિચી એરપોર્ટ પર આવ્યો હતો.

બેગમાંથી 47 અજગર : કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓએ પેસેન્જરની બેગમાં કંઈક શંકાસ્પદ જોયું, ત્યારબાદ બેગની તપાસ કર્યા બાદ સત્ય બહાર આવ્યું. ટ્રોલી બેગની અંદર અનેક છિદ્રિત બોક્સમાં છુપાયેલા વિવિધ પ્રજાતિઓના જીવંત સરિસૃપ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. કસ્ટમ અધિકારીઓએ તાત્કાલિક ફોરેસ્ટ અધિકારીઓને સ્થળ પર બોલાવી ઘટનાની જાણ કરી હતી. તેઓએ 47 અજગર અને 2 ગરોળી સુરક્ષિત રીતે બહાર કાઢી. નિયમોનું પાલન કરીને, વન વિભાગે સરિસૃપને તેમના મૂળ દેશ મલેશિયા પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે.

પેસેન્જરની પૂછપરછ કરાઇ : પેસેન્જર મુહમ્મદ મોઈદીનને દાણચોરીના પ્રયાસના સંબંધમાં પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. વન્યજીવ તસ્કરી નેટવર્ક સાથેની કોઈપણ સંભવિત લિંકને બહાર લાવવા માટે કેસની વધુ તપાસ હજુ પણ ચાલુ છે. આ ઘટના ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર અને દાણચોરીના આવા પ્રયાસોને રોકવા માટે એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવાની જરૂરિયાત અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

અગાઉ પણ આવા બનાવ બન્યા : અગાઉ ગયા મહિનાની 23મી તારીખે ત્રિચી એરપોર્ટ પર મલેશિયાથી દાણચોરી કરાયેલા 6,850 કાચબાના બચ્ચાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પરના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ વન્યજીવ તસ્કરીનો સામનો કરવા અને લુપ્તપ્રાય પ્રજાતિઓને શોષણથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે.

  1. Tamilnadu News: મહિલાને હિજાબ ઉતારવાની ફરજ પાડનારા સાત લોકોની ધરપકડ
  2. Tamilnadu News: તમિલનાડુમાં દહીં પર રાજકારણ, FSSAI એ તેના 'દહીં' નિર્દેશને પાછો ખેંચ્યો

તમિલનાડુ : ત્રિચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 47 જીવંત અજગર અને 2 ગરોળી દાણચોરીનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, એક મુસાફર તેમને ટ્રોલી બેગમાં છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મુહમ્મદ મોઈદીન તરીકે ઓળખાયેલ મુસાફર બાટિક એરની ફ્લાઈટમાં કુઆલાલંપુર મલેશિયાથી ત્રિચી એરપોર્ટ પર આવ્યો હતો.

બેગમાંથી 47 અજગર : કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓએ પેસેન્જરની બેગમાં કંઈક શંકાસ્પદ જોયું, ત્યારબાદ બેગની તપાસ કર્યા બાદ સત્ય બહાર આવ્યું. ટ્રોલી બેગની અંદર અનેક છિદ્રિત બોક્સમાં છુપાયેલા વિવિધ પ્રજાતિઓના જીવંત સરિસૃપ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. કસ્ટમ અધિકારીઓએ તાત્કાલિક ફોરેસ્ટ અધિકારીઓને સ્થળ પર બોલાવી ઘટનાની જાણ કરી હતી. તેઓએ 47 અજગર અને 2 ગરોળી સુરક્ષિત રીતે બહાર કાઢી. નિયમોનું પાલન કરીને, વન વિભાગે સરિસૃપને તેમના મૂળ દેશ મલેશિયા પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે.

પેસેન્જરની પૂછપરછ કરાઇ : પેસેન્જર મુહમ્મદ મોઈદીનને દાણચોરીના પ્રયાસના સંબંધમાં પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. વન્યજીવ તસ્કરી નેટવર્ક સાથેની કોઈપણ સંભવિત લિંકને બહાર લાવવા માટે કેસની વધુ તપાસ હજુ પણ ચાલુ છે. આ ઘટના ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર અને દાણચોરીના આવા પ્રયાસોને રોકવા માટે એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવાની જરૂરિયાત અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

અગાઉ પણ આવા બનાવ બન્યા : અગાઉ ગયા મહિનાની 23મી તારીખે ત્રિચી એરપોર્ટ પર મલેશિયાથી દાણચોરી કરાયેલા 6,850 કાચબાના બચ્ચાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પરના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ વન્યજીવ તસ્કરીનો સામનો કરવા અને લુપ્તપ્રાય પ્રજાતિઓને શોષણથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે.

  1. Tamilnadu News: મહિલાને હિજાબ ઉતારવાની ફરજ પાડનારા સાત લોકોની ધરપકડ
  2. Tamilnadu News: તમિલનાડુમાં દહીં પર રાજકારણ, FSSAI એ તેના 'દહીં' નિર્દેશને પાછો ખેંચ્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.