ETV Bharat / bharat

દસમા દિવસે પણ બંધ રહ્યો જોશીમઠ-નીતિ બોર્ડર રોડ, જુઓ 250 લોકોના કેવી રીતે બચ્યા જીવ

author img

By

Published : Aug 24, 2021, 12:30 PM IST

Updated : Aug 24, 2021, 1:57 PM IST

ભારત-ચીન સરહદને જોડતો જોશીમઠ-નીતી બોર્ડર રોડ છેલ્લા 10 દિવસથી તમક નજીક બંધ છે. સોમવારે ઘાટીની બન્ને બાજુએ ફસાયેલા લગભગ 30 લોકોને હેલિકોપ્ટર દ્વારા પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

જોશીમઠ-નીતિ બોર્ડર રોડ
જોશીમઠ-નીતિ બોર્ડર રોડ
  • ઘાટીની બન્ને બાજુ ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા
  • મરખૂડા ખાતે ભારે ભૂસ્ખલનના કારણે હજુ પણ રસ્તો બંધ છે
  • SDRF અને NDRF ની રેસ્ક્યૂ ટીમે ગામમાં ફસાયેલા 250થી વધુ લોકોને બચાવ્યા

ચમોલી: ભારત-ચીન સરહદને જોડતો જોશીમઠ-નીતી બોર્ડર રોડ તમક પાસેના મરખૂડા ખાતે ભારે ભૂસ્ખલનના કારણે હજુ પણ બંધ છે. સોમવારે ચમોલી જિલ્લા વહીવટીતંત્રની મદદથી ઘાટીની બન્ને બાજુ ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે NDRF, SDRF, BRO અને વહીવટીતંત્રની ટીમે પણ વૈકલ્પિક માર્ગો પરથી પગપાળા આવનજાવન શરૂ કર્યું છે અને 250 લોકોને આરપાર મોકલ્યા છે. ખીણના લોકો હવે વૈકલ્પિક પગપાળા માર્ગો પરથી પણ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો- હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનના કારણે 16 લોકોના મોત, આજે વધુ 2 મૃતદેહ મળ્યા

હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં મેડિકલ અને ખાદ્ય ટીમો મોકલવામાં આવી

જોશીમઠ-નીતી બોર્ડર રોડ છેલ્લા 10 દિવસથી તમક પાસેના મરખૂડામાં બંધ છે. તે જ સમયે, સોમવારે નીતી ઘાટીના ગામમાં ફસાયેલા 30 લોકોને હેલિકોપ્ટર દ્વારા તેમના લક્ષ્યસ્થાન પર મોકલવામાં આવ્યા હતા. આ સિવાય નીતી ઘાટીના અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સુવિધાઓ અને અનાજની સમસ્યાને દૂર કરવા માટે વહીવટીતંત્રે હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં મેડિકલ અને ખાદ્ય ટીમો મોકલી છે.

જોશીમઠ-નીતિ બોર્ડર

પહાડ પરથી સતત પથ્થરો પડવાથી માર્ગ ખોલવામાં વિલંબ થઇ રહ્યો છે

નીતી બોર્ડર હાઈવે પર ઉંચી પહાડી પરથી હજુ પણ પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે અહીં માર્ગ ખોલવામાં વિલંબ થઈ રહ્યો છે. BRO અહીં રસ્તો ખોલવામાં સતત વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ વૈકલ્પિક માર્ગોની શોધ કરતી વખતે SDRF અને NDRF ની રેસ્ક્યૂ ટીમે ગામમાં ફસાયેલા 250થી વધુ લોકોને બચાવી લીધા છે.

ભારત-ચીન સરહદ પર જતા સૈનિકોને પણ આ રસ્તેથી જવું પડે છે

તમને જણાવી દઈએ કે, આ વિસ્તાર વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત-ચીન સરહદ પર જતા સૈનિકોને પણ આ રસ્તેથી જવું પડે છે. આ માર્ગ ચીનની સરહદની નિકટતાને કારણે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્વનો છે. થોડા દિવસો પહેલા ભૂસ્ખલન બાદ BRO એ રસ્તો ખોલીને આવનજાવન સરળ બનાવ્યું હતું. પરંતુ સતત પથ્થર પડવાના કારણે છેલ્લા 10 દિવસથી રસ્તો બંધ છે.

આ પણ વાંચો- લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

પૂર્વ બ્લોક ચીફ આમરણાંત ઉપવાસ પર

રસ્તો ન ખોલવા અને ખીણમાં ફસાયેલા લોકો માટે હેલી સેવા શરૂ ન કરવાથી નારાજ જોશીમઠના પૂર્વ બ્લોક ચીફ ઠાકુર સિંહ રાણા સોમવારે તહસીલ પરિસરમાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ સિવાય રસ્તો ન ખોલવામાં આવતા રોષે ભરાયેલી નીતી ખીણના લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા છે અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.

  • ઘાટીની બન્ને બાજુ ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા
  • મરખૂડા ખાતે ભારે ભૂસ્ખલનના કારણે હજુ પણ રસ્તો બંધ છે
  • SDRF અને NDRF ની રેસ્ક્યૂ ટીમે ગામમાં ફસાયેલા 250થી વધુ લોકોને બચાવ્યા

ચમોલી: ભારત-ચીન સરહદને જોડતો જોશીમઠ-નીતી બોર્ડર રોડ તમક પાસેના મરખૂડા ખાતે ભારે ભૂસ્ખલનના કારણે હજુ પણ બંધ છે. સોમવારે ચમોલી જિલ્લા વહીવટીતંત્રની મદદથી ઘાટીની બન્ને બાજુ ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે NDRF, SDRF, BRO અને વહીવટીતંત્રની ટીમે પણ વૈકલ્પિક માર્ગો પરથી પગપાળા આવનજાવન શરૂ કર્યું છે અને 250 લોકોને આરપાર મોકલ્યા છે. ખીણના લોકો હવે વૈકલ્પિક પગપાળા માર્ગો પરથી પણ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો- હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનના કારણે 16 લોકોના મોત, આજે વધુ 2 મૃતદેહ મળ્યા

હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં મેડિકલ અને ખાદ્ય ટીમો મોકલવામાં આવી

જોશીમઠ-નીતી બોર્ડર રોડ છેલ્લા 10 દિવસથી તમક પાસેના મરખૂડામાં બંધ છે. તે જ સમયે, સોમવારે નીતી ઘાટીના ગામમાં ફસાયેલા 30 લોકોને હેલિકોપ્ટર દ્વારા તેમના લક્ષ્યસ્થાન પર મોકલવામાં આવ્યા હતા. આ સિવાય નીતી ઘાટીના અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સુવિધાઓ અને અનાજની સમસ્યાને દૂર કરવા માટે વહીવટીતંત્રે હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં મેડિકલ અને ખાદ્ય ટીમો મોકલી છે.

જોશીમઠ-નીતિ બોર્ડર

પહાડ પરથી સતત પથ્થરો પડવાથી માર્ગ ખોલવામાં વિલંબ થઇ રહ્યો છે

નીતી બોર્ડર હાઈવે પર ઉંચી પહાડી પરથી હજુ પણ પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે અહીં માર્ગ ખોલવામાં વિલંબ થઈ રહ્યો છે. BRO અહીં રસ્તો ખોલવામાં સતત વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ વૈકલ્પિક માર્ગોની શોધ કરતી વખતે SDRF અને NDRF ની રેસ્ક્યૂ ટીમે ગામમાં ફસાયેલા 250થી વધુ લોકોને બચાવી લીધા છે.

ભારત-ચીન સરહદ પર જતા સૈનિકોને પણ આ રસ્તેથી જવું પડે છે

તમને જણાવી દઈએ કે, આ વિસ્તાર વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત-ચીન સરહદ પર જતા સૈનિકોને પણ આ રસ્તેથી જવું પડે છે. આ માર્ગ ચીનની સરહદની નિકટતાને કારણે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્વનો છે. થોડા દિવસો પહેલા ભૂસ્ખલન બાદ BRO એ રસ્તો ખોલીને આવનજાવન સરળ બનાવ્યું હતું. પરંતુ સતત પથ્થર પડવાના કારણે છેલ્લા 10 દિવસથી રસ્તો બંધ છે.

આ પણ વાંચો- લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

પૂર્વ બ્લોક ચીફ આમરણાંત ઉપવાસ પર

રસ્તો ન ખોલવા અને ખીણમાં ફસાયેલા લોકો માટે હેલી સેવા શરૂ ન કરવાથી નારાજ જોશીમઠના પૂર્વ બ્લોક ચીફ ઠાકુર સિંહ રાણા સોમવારે તહસીલ પરિસરમાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ સિવાય રસ્તો ન ખોલવામાં આવતા રોષે ભરાયેલી નીતી ખીણના લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા છે અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.

Last Updated : Aug 24, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.