ETV Bharat / assembly-elections

ફોર્મ પાછું ન ખેંચાય એ માટે AAPએ ઉમેદવારોને અજાણ્યા સ્થળે ભેગા કર્યા

author img

By

Published : Nov 17, 2022, 1:25 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly electoin 2022) મતદાન દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાર્ટીઓ પોતાના ઉમેદવારને લઈને પગલાં લઈ રહી છે. ખાસ કરીને સુરત આમ આદમી પાર્ટીમાંથી (Aam Admi party Surat) કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચતા આમ આદમી પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો. આ સ્થિતિને હવે થાળે પાડવા માટે પ્રચારના નામે આમ આદમી પાર્ટીએ (AAP Meeting) યુદ્ધના ધોરણે બેઠક ગોઠવી દીધી છે. એ પણ સુરત શહેરની બહાર.

ફોર્મ પાછું ન ખેંચાય એ માટે AAPએ ઉમેદવારોને અજાણ્યા સ્થળે ભેગા કર્યા
ફોર્મ પાછું ન ખેંચાય એ માટે AAPએ ઉમેદવારોને અજાણ્યા સ્થળે ભેગા કર્યા

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly electoin 2022) મતદાન દિવસ નજીક આવતા કોઈ ઉમેદવાર કોઈ રીતે ફોર્મ પાછું ન ખેંચી લે એ માટે પાર્ટી સતર્ક થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. સુત્રો તરફથી મળી રહેલી જાણકારી (Aam Admi party Surat) અનુસાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ગણિત બગડે નહીં એ માટે પાર્ટીએ કેટલાક ઉમેદવારોને અજાણ્યા સ્થળે ખસેડ્યા છે. બેઠકના નામે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને એક જગ્યાએ ભેગા કરી દીધા છે. પોતાના વિધાનસભા મતવિસ્તારથી દૂર નવસારીમાં બેઠક હેતું બોલાવી લીધા છે.

શું કહે છે પ્રવક્તાઃ પરંતુ, પ્રવક્તા યોગેશ જાદવાણી કહે છે કે, તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. કેટલાકને બેઠકને હેતું નવસારી બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. જેની સમયમર્યાદા બપોરે 3 વાગ્યા સુધીની છે. સુરત પૂર્વમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ અચાનક નોમિનેશન ફોર્મ પાછું ખેંચી લીધું છે જેના કારણે આમ આદમી પાર્ટી હવે કોઈ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી.

સુરતમાં આપ મજબુતઃ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થતા વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. પરંતુ, આ ચૂંટણી પહેલા કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં મોટી સફળતા પ્રાપ્ત કર્યા બાદ વિધાનસભા ચૂંટણી લડવા માટેનુું આયોજન કર્યું હતું. પણ છેલ્લા ચાર મહિનાથી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સભા ગજવી રહ્યા છે. રોડ શૉ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતે પણ પોતના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ સુરતમાંથી આમ આદમી પાર્ટી મજબુત સ્થિતિમાં છે.

કતારગામથી ઈટાલિયાઃ આમ આદમી પાર્ટી સુપ્રીમોએ ગોપાલ ઈટાલિયાને કતારગામેથી ટિકિટ આપી છે. જોકે, મુખ્યપ્રધાન પદનો ચહેરો જાહેર થયા બાદ ઈસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે એ સસ્પેન્સ રાખ્યું હતું. પણ ખંભાળીયાની જવાબદારી સોંપતા જાતિગત સમીકરણ યોગ્ય કરવા માટે સોગઠાં ગોઠવાયાનું રાજકીય લોબીમાં ચર્ચા છે. પણ મુદ્દો એ છે કે, આમ આદમી પાર્ટી કોઈ જ્ઞાતિ-જાતિ કરતા વાયદાનો પિટારો વધારે આગળ ધપાવી રહી છે.

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly electoin 2022) મતદાન દિવસ નજીક આવતા કોઈ ઉમેદવાર કોઈ રીતે ફોર્મ પાછું ન ખેંચી લે એ માટે પાર્ટી સતર્ક થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. સુત્રો તરફથી મળી રહેલી જાણકારી (Aam Admi party Surat) અનુસાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ગણિત બગડે નહીં એ માટે પાર્ટીએ કેટલાક ઉમેદવારોને અજાણ્યા સ્થળે ખસેડ્યા છે. બેઠકના નામે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને એક જગ્યાએ ભેગા કરી દીધા છે. પોતાના વિધાનસભા મતવિસ્તારથી દૂર નવસારીમાં બેઠક હેતું બોલાવી લીધા છે.

શું કહે છે પ્રવક્તાઃ પરંતુ, પ્રવક્તા યોગેશ જાદવાણી કહે છે કે, તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. કેટલાકને બેઠકને હેતું નવસારી બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. જેની સમયમર્યાદા બપોરે 3 વાગ્યા સુધીની છે. સુરત પૂર્વમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ અચાનક નોમિનેશન ફોર્મ પાછું ખેંચી લીધું છે જેના કારણે આમ આદમી પાર્ટી હવે કોઈ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી.

સુરતમાં આપ મજબુતઃ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થતા વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. પરંતુ, આ ચૂંટણી પહેલા કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં મોટી સફળતા પ્રાપ્ત કર્યા બાદ વિધાનસભા ચૂંટણી લડવા માટેનુું આયોજન કર્યું હતું. પણ છેલ્લા ચાર મહિનાથી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સભા ગજવી રહ્યા છે. રોડ શૉ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતે પણ પોતના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ સુરતમાંથી આમ આદમી પાર્ટી મજબુત સ્થિતિમાં છે.

કતારગામથી ઈટાલિયાઃ આમ આદમી પાર્ટી સુપ્રીમોએ ગોપાલ ઈટાલિયાને કતારગામેથી ટિકિટ આપી છે. જોકે, મુખ્યપ્રધાન પદનો ચહેરો જાહેર થયા બાદ ઈસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે એ સસ્પેન્સ રાખ્યું હતું. પણ ખંભાળીયાની જવાબદારી સોંપતા જાતિગત સમીકરણ યોગ્ય કરવા માટે સોગઠાં ગોઠવાયાનું રાજકીય લોબીમાં ચર્ચા છે. પણ મુદ્દો એ છે કે, આમ આદમી પાર્ટી કોઈ જ્ઞાતિ-જાતિ કરતા વાયદાનો પિટારો વધારે આગળ ધપાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.