ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છના રોગાન કારીગરે 400 વર્ષ જૂની કળાથી બનાવ્યો યોગ દિવસ લોગો - Yoga logo made from 400 year oldart

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 12:51 PM IST

21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. આ દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં યોગ કરીને કરવામાં આવે છે. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે કચ્છના રોગાન કારીગર આશિષ કંસારાએ વિશ્વ યોગ દિવસના લોગોને 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે કંડાર્યો છે. તો ચાલો જોઈએ અને જાણીએ આ કળા અને કલાકારને. International Yoga Day Logo by Rogan Art

કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો
કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો (Etv Bharat Gujarat)

કચ્છ: યોગ એ ભારતની આગવી ઓળખ છે. ભારતની સાંસ્કૃતિમાં યોગ એ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવે છે. જેને આજે સંપૂર્ણ વિશ્વ પણ સ્વીકારી રહ્યું છે અને આ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આમ, 21 જૂન જે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. વૈશ્વિક સ્તરે આની ઉજવણી થતાં આ દિવસ ઉજવવા માટે લોકો અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતાં હોય છે. ત્યારે કચ્છના રોગાન કારીગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના લોગોની કૃતિ તૈયાર કરવામાં આવી છે.

કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો (Etv Bharat Gujarat)

કળા અને કારીગરીનું હબ કચ્છ: ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ છે. કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે. ત્યારે 21 જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે સૂચવી હતી અને ત્યારબાદ 2015થી દર વર્ષે 21 જૂન કે જે વર્ષનો લાંબો દિવસ પણ છે તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો
કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો (Etv Bharat Gujarat)
  • 400 વર્ષ જૂની કળા મારફતે વિશ્વ યોગ દિવસના લોગોની પ્રતિકૃતિ તૈયાર કરાઈ

કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે. કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે જેની સાઈઝ 15 બાય 18 છે. આ કલાકૃતિની વિશેષતા એ છે કે, આ રોગાન કળા મારફતે કરવામાં આવી હોવાથી આ ડિઝાઇન 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગાડતી નથી. ઉપરાંત ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે.

કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી
કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી (Etv Bharat Gujarat)
  • રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લાં 6 વર્ષથી કરે છે રોગાન કળા

રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે. આમ તો રોગાન કળા ખૂબ અઘરી કળા માનવામાં આવે છે અને મોટેભાગના રોગાન કળાના કારીગરો ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ બનાવતા હોય છે. પરંતુ આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3, રામ દરબાર, ભારતમાતા, રામ મંદિર જેવી કૃતિઓ બનાવી છે. અને હાલમાં વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આશિષભાઇને રોગાન કારીગર તરીકે પોર્ટ્રેટ પ્રતિકૃતિ બનાવવાનું વધારે પસંદ છે. જોવામાં આકર્ષક લાગતી રોગાન કળા ખૂબ મેહનત માંગી લે છે. રોગાન કળામાં ખુબ બારીક કારીગરીની જરૂર પડે છે. કચ્છના રોગાન કળાના કારીગરો 400 વર્ષ જૂની આ રોગાન કળાને ફરી ઉજાગર કરવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે.

રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે
રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે (Etv Bharat Gujarat)
  1. જુનાગઢના આ વ્યક્તિ ગરીબોને આપે છે વિનામૂલ્ય દૂધ અને નાસ્તો, જાણો નિઃસ્વાર્થપણે સેવા કરવાનો ઉદ્દેશ્ય ? - disciple following the Guru path
  2. પૌરાણિક મૂર્તિઓને ખંડિત થવાને કારણે થયેલ જૈન સમાજનો વિરોધ થયો સમાપ્ત, રેલી કાઢી કચેરીએ પહોંચાડ્યો અભિવાદનપત્ર - Greeting letter given by Jain Samaj

કચ્છ: યોગ એ ભારતની આગવી ઓળખ છે. ભારતની સાંસ્કૃતિમાં યોગ એ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવે છે. જેને આજે સંપૂર્ણ વિશ્વ પણ સ્વીકારી રહ્યું છે અને આ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આમ, 21 જૂન જે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. વૈશ્વિક સ્તરે આની ઉજવણી થતાં આ દિવસ ઉજવવા માટે લોકો અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતાં હોય છે. ત્યારે કચ્છના રોગાન કારીગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના લોગોની કૃતિ તૈયાર કરવામાં આવી છે.

કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો (Etv Bharat Gujarat)

કળા અને કારીગરીનું હબ કચ્છ: ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ છે. કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે. ત્યારે 21 જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે સૂચવી હતી અને ત્યારબાદ 2015થી દર વર્ષે 21 જૂન કે જે વર્ષનો લાંબો દિવસ પણ છે તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો
કચ્છના રોગાન કારીગરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 400 વર્ષ જૂની કાલથી બનાવ્યો યોગ દિવસ લોગો (Etv Bharat Gujarat)
  • 400 વર્ષ જૂની કળા મારફતે વિશ્વ યોગ દિવસના લોગોની પ્રતિકૃતિ તૈયાર કરાઈ

કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે. કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે જેની સાઈઝ 15 બાય 18 છે. આ કલાકૃતિની વિશેષતા એ છે કે, આ રોગાન કળા મારફતે કરવામાં આવી હોવાથી આ ડિઝાઇન 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગાડતી નથી. ઉપરાંત ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે.

કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી
કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી (Etv Bharat Gujarat)
  • રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લાં 6 વર્ષથી કરે છે રોગાન કળા

રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે. આમ તો રોગાન કળા ખૂબ અઘરી કળા માનવામાં આવે છે અને મોટેભાગના રોગાન કળાના કારીગરો ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ બનાવતા હોય છે. પરંતુ આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3, રામ દરબાર, ભારતમાતા, રામ મંદિર જેવી કૃતિઓ બનાવી છે. અને હાલમાં વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આશિષભાઇને રોગાન કારીગર તરીકે પોર્ટ્રેટ પ્રતિકૃતિ બનાવવાનું વધારે પસંદ છે. જોવામાં આકર્ષક લાગતી રોગાન કળા ખૂબ મેહનત માંગી લે છે. રોગાન કળામાં ખુબ બારીક કારીગરીની જરૂર પડે છે. કચ્છના રોગાન કળાના કારીગરો 400 વર્ષ જૂની આ રોગાન કળાને ફરી ઉજાગર કરવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે.

રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે
રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે (Etv Bharat Gujarat)
  1. જુનાગઢના આ વ્યક્તિ ગરીબોને આપે છે વિનામૂલ્ય દૂધ અને નાસ્તો, જાણો નિઃસ્વાર્થપણે સેવા કરવાનો ઉદ્દેશ્ય ? - disciple following the Guru path
  2. પૌરાણિક મૂર્તિઓને ખંડિત થવાને કારણે થયેલ જૈન સમાજનો વિરોધ થયો સમાપ્ત, રેલી કાઢી કચેરીએ પહોંચાડ્યો અભિવાદનપત્ર - Greeting letter given by Jain Samaj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.