ETV Bharat / state

મોકરસાગરમાં કુંજ પક્ષીઓના શિકાર કરનાર છ શખશોને છ વર્ષે મળી સજા... વધુ વિગતો અહેવાલમાં - Punishment hunters of Common crane

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 6:36 PM IST

મોકરસાગર વેટલેન્ડમાં 16 અબોલ અને નિર્દોષ કુંજ પક્ષીઓના શિકાર કરનાર છ શખશોને છ વર્ષ બાદ સજા ફટકારવામાં આવી છે. છ વર્ષ પહેલા વન વિભાગે કુંજના મૃતદેહો સાથે એક શખસને ઝડપી લીધો હતો. જોકે મોકરસાગરમા 16 કુંજનો શિકાર કરનાર છ શખસોને હાલ રાણાવાવ કોર્ટે ૩ વર્ષની સજા ફ્ટકારી છે, જાણો સંપૂર્ણ બાબત. Punishment hunters of Common crane

16 નિર્દોષ કુંજ પક્ષીઓના શિકાર કરનાર છ શખશોને છ વર્ષે મળી સજા
16 નિર્દોષ કુંજ પક્ષીઓના શિકાર કરનાર છ શખશોને છ વર્ષે મળી સજા (Etv Bharat Gujarat)

પોરબંદર: જિલ્લાના રાણાવાવ વન વિભાગની રેંજમાં આવેલ મોકર બીટમાં આવેલ મોકર સાગરના લુશાળા પાળા વિસ્તારમાં ગત તરીખ 7 જાન્યુઆરી 2018નાં રોજ અબોલ કુંજ પક્ષીના શિકાર કરવાના ગુનામાં આરોપીઓને સજાઓ ફટકારવામાં આવી હતી. આ ગુનામાં જુમાભાઈ હારૂનભાઈ પટેલીયા, શબીરભાઈ હુશેનભાઈ લુચ્ચાણી હુશેન ઉર્ફે ડાડા હાસમભાઈ લુચ્ચાણી, હુશેનભાઈ હાસમભાઈ લુચ્ચાણી, અસગર નથુભાઈ લુચ્ચાણી તથા કાસમભાઈ ઓસમાણભાઈ લુચ્ચાણી કુંજ પક્ષીઓનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વાસ્તવિક ગુનો થઈ છે તે જગ્યાએ જઈ તપાસ કરતા છ શખ્સો કુંજ પક્ષીઓનો શિકાર કરતા હતા તેવી વિગતો મળી હતી.

છ વર્ષ પહેલા વન વિભાગે કુંજના મૃતદેહો સાથે એક શખસને ઝડપી લીધો હતો (Etv Bharat Gujarat)

આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી: વન વિભાગના સ્ટાફે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. બનાવ સ્થળેથી જુમા હારૂન પટેલીયા મૃત 16 કુંજ પક્ષીઓ સાથે બનાવના સ્થળેથી પકડાઈ ગયો હતો અને બાકીના પાંચ આરોપીઓ નાસી ગયા હતા. આથી પકડાયેલ આરોપી જુમાની સધન પુછપરછ કરતા તેણે અન્ય પાંચ આરોપીઓ નામ જણાવ્યા હતા. અને તે રીતે આરોપીઓ વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગના ઓફીસરે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ-2 (16), 9, 51 પર ફરીયાદ નોંધાવી હતી.

ર છ શખસોને હાલ રાણાવાવ કોર્ટે ૩ વર્ષની સજા ફ્ટકારી
ર છ શખસોને હાલ રાણાવાવ કોર્ટે ૩ વર્ષની સજા ફ્ટકારી (Etv Bharat Gujarat)

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની 1972ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદ:

આ ગુનાની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ.રામએ કરી હતી. ફરિયાદ મુજબ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા પુરાવાના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુર જયેશ એલ.ઓડેદરાની દલીલનાં આધારે કોર્ટે આરોપીઓને આરક્ષીત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અબોલ અને નિર્દોષ કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હોવાનું સાબિત કરવામાં આવ્યું હતું. પરિણામે આ તમામ છ આરોપીઓને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની 1972ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.

આ મુદ્દે વાત કરતાં જયેશભાઈ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે, 'અબોલ જીવના શિકાર કરનારા શખ્સો સામે આ પ્રકારની સજા દાખલા રૂપ સાબિત થશે, અને શિકારી શિકાર કરતા પહેલા સો વાર વિચાર કરશે.'

  1. સુરતમાં અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતો ઠગ ઝડપાયો, જાણો શું છે ઠગની મોડસ ઓપરેન્ડી - Arrest of fraudster
  2. ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી - Fire drive organized in Ambaji

પોરબંદર: જિલ્લાના રાણાવાવ વન વિભાગની રેંજમાં આવેલ મોકર બીટમાં આવેલ મોકર સાગરના લુશાળા પાળા વિસ્તારમાં ગત તરીખ 7 જાન્યુઆરી 2018નાં રોજ અબોલ કુંજ પક્ષીના શિકાર કરવાના ગુનામાં આરોપીઓને સજાઓ ફટકારવામાં આવી હતી. આ ગુનામાં જુમાભાઈ હારૂનભાઈ પટેલીયા, શબીરભાઈ હુશેનભાઈ લુચ્ચાણી હુશેન ઉર્ફે ડાડા હાસમભાઈ લુચ્ચાણી, હુશેનભાઈ હાસમભાઈ લુચ્ચાણી, અસગર નથુભાઈ લુચ્ચાણી તથા કાસમભાઈ ઓસમાણભાઈ લુચ્ચાણી કુંજ પક્ષીઓનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વાસ્તવિક ગુનો થઈ છે તે જગ્યાએ જઈ તપાસ કરતા છ શખ્સો કુંજ પક્ષીઓનો શિકાર કરતા હતા તેવી વિગતો મળી હતી.

છ વર્ષ પહેલા વન વિભાગે કુંજના મૃતદેહો સાથે એક શખસને ઝડપી લીધો હતો (Etv Bharat Gujarat)

આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી: વન વિભાગના સ્ટાફે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. બનાવ સ્થળેથી જુમા હારૂન પટેલીયા મૃત 16 કુંજ પક્ષીઓ સાથે બનાવના સ્થળેથી પકડાઈ ગયો હતો અને બાકીના પાંચ આરોપીઓ નાસી ગયા હતા. આથી પકડાયેલ આરોપી જુમાની સધન પુછપરછ કરતા તેણે અન્ય પાંચ આરોપીઓ નામ જણાવ્યા હતા. અને તે રીતે આરોપીઓ વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગના ઓફીસરે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ-2 (16), 9, 51 પર ફરીયાદ નોંધાવી હતી.

ર છ શખસોને હાલ રાણાવાવ કોર્ટે ૩ વર્ષની સજા ફ્ટકારી
ર છ શખસોને હાલ રાણાવાવ કોર્ટે ૩ વર્ષની સજા ફ્ટકારી (Etv Bharat Gujarat)

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની 1972ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદ:

આ ગુનાની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ.રામએ કરી હતી. ફરિયાદ મુજબ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા પુરાવાના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુર જયેશ એલ.ઓડેદરાની દલીલનાં આધારે કોર્ટે આરોપીઓને આરક્ષીત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અબોલ અને નિર્દોષ કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હોવાનું સાબિત કરવામાં આવ્યું હતું. પરિણામે આ તમામ છ આરોપીઓને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની 1972ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.

આ મુદ્દે વાત કરતાં જયેશભાઈ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે, 'અબોલ જીવના શિકાર કરનારા શખ્સો સામે આ પ્રકારની સજા દાખલા રૂપ સાબિત થશે, અને શિકારી શિકાર કરતા પહેલા સો વાર વિચાર કરશે.'

  1. સુરતમાં અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતો ઠગ ઝડપાયો, જાણો શું છે ઠગની મોડસ ઓપરેન્ડી - Arrest of fraudster
  2. ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી - Fire drive organized in Ambaji
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.