ETV Bharat / state

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મગફળીના પાકોને બચાવવા ખેતી માટે 10 કલાક વીજળી અપાશે: કનુ દેસાઈ - electricity for agriculture

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

રાજ્ય સરકારે ઊર્જાના ક્ષેત્રમાં ત્રણ મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હોવાનું કનુ દેસાઈએ જણાવ્યું હતું. - 10 hours of electricity for agriculture

ઉર્જામંત્રી કનુ દેસાઈ
ઉર્જામંત્રી કનુ દેસાઈ (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતી માટે વીજળી આપવાની માગ ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. ત્યારે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી દ્વારા કેટલીક બાબતો અંગે વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીની સીઝનને લઈને દસ કલાક વીજળી આપવાની વાત મુકી હતી.

ઉર્જામંત્રી કનુ દેસાઈ (Etv Bharat Gujarat)

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ઊર્જાના ક્ષેત્રમાં ત્રણ મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ સપ્લાય કોડમાં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટે વીજ ભારની મર્યાદા 100 KW થી વધારી 150 KW સુધીનું પ્રાવધાન કર્યું છે.

ઋતુ અને જરૂરિયાત પ્રમાણે વીજપુરવઠોઃ સરકારી તંત્ર અનુસાર, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાતના રોટેશન પદ્ધતિ અનુસાર 8 કલાક વીજળી આપવામાં આવે છે. તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. સરકારના જણાવ્યા પ્રમાણે, જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકોને દિવસ દરમ્યાન ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે. વરસાદ ખેંચાતો હોય અથવા ઊભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.

હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે.

મંત્રાલય તરફથી મળતી આંકડાકીય વિગતો પ્રમાણે તા.27.08.2024 ના રોજ પીજીવીસીએલની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મીલીયન યુનીટસ નોંધાયેલા છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયો છે.

એવી જ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મીલીયન યુનીટસ નોંધાયેલો છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલો વધારો દર્શાવે છે.

તા. 27.08.2024 ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ 12157 મેગાવોટ અને વીજ વપરાશ 269 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 24205 મેગાવોટ અને 493 મીલીયન યુનીટસ નોંધાયેલો છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ઊભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એક્મોમાંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું છે.

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. તેનો પાવર અથવા એસેટ નાના અને મધ્યમ ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી 100 GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે.

વીજ સપ્લાય કોડ 2015 અંતર્ગત રાજ્યમાં ગ્રાહકોને 100 KW સુધીનું વીજ જોડાણ LT કેટેગરીમાં આપવામાં આવતું હતું. તેનાથી વધુ વીજભારના ગ્રાહકો માટે HT જોડાણનું પ્રાવધાન હતું. જે મુજબ 100 KW થી વધુના વીજ ભાર ધરાવતા ગ્રાહકોને તેમના ખર્ચે ટ્રાન્સફોર્મર અને તેના સંલગ્ન વીજ ઉપકરણો સ્થાપિત કરવાના રહેતા હતા. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ સપ્લાય કોડમાં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટે વીજ ભારની મર્યાદા 100 KW થી વધારી 150 KW સુધીનું પ્રાવધાન કરેલું છે. જે મુજબ 150 KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, LT સપ્લાયની પસંદગી કરી શકશે.

  1. પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ અપડેટ માટે વિદ્યાર્થીઓને ધરમના ધક્કા, લોકો રીતસર ત્રાહિમામ - Palanpur Aadhaar card update
  2. 'ગધામજૂરી કરાવે છે સરકાર', શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યાને લઈને શિક્ષક સંઘ થયું લાલઘૂમ - eKYC Problems in scholarship

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતી માટે વીજળી આપવાની માગ ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. ત્યારે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી દ્વારા કેટલીક બાબતો અંગે વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીની સીઝનને લઈને દસ કલાક વીજળી આપવાની વાત મુકી હતી.

ઉર્જામંત્રી કનુ દેસાઈ (Etv Bharat Gujarat)

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ઊર્જાના ક્ષેત્રમાં ત્રણ મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ સપ્લાય કોડમાં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટે વીજ ભારની મર્યાદા 100 KW થી વધારી 150 KW સુધીનું પ્રાવધાન કર્યું છે.

ઋતુ અને જરૂરિયાત પ્રમાણે વીજપુરવઠોઃ સરકારી તંત્ર અનુસાર, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાતના રોટેશન પદ્ધતિ અનુસાર 8 કલાક વીજળી આપવામાં આવે છે. તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. સરકારના જણાવ્યા પ્રમાણે, જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકોને દિવસ દરમ્યાન ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે. વરસાદ ખેંચાતો હોય અથવા ઊભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.

હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે.

મંત્રાલય તરફથી મળતી આંકડાકીય વિગતો પ્રમાણે તા.27.08.2024 ના રોજ પીજીવીસીએલની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મીલીયન યુનીટસ નોંધાયેલા છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયો છે.

એવી જ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મીલીયન યુનીટસ નોંધાયેલો છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલો વધારો દર્શાવે છે.

તા. 27.08.2024 ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ 12157 મેગાવોટ અને વીજ વપરાશ 269 મીલીયન યુનીટસ હતો. જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 24205 મેગાવોટ અને 493 મીલીયન યુનીટસ નોંધાયેલો છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ઊભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એક્મોમાંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું છે.

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. તેનો પાવર અથવા એસેટ નાના અને મધ્યમ ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી 100 GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે.

વીજ સપ્લાય કોડ 2015 અંતર્ગત રાજ્યમાં ગ્રાહકોને 100 KW સુધીનું વીજ જોડાણ LT કેટેગરીમાં આપવામાં આવતું હતું. તેનાથી વધુ વીજભારના ગ્રાહકો માટે HT જોડાણનું પ્રાવધાન હતું. જે મુજબ 100 KW થી વધુના વીજ ભાર ધરાવતા ગ્રાહકોને તેમના ખર્ચે ટ્રાન્સફોર્મર અને તેના સંલગ્ન વીજ ઉપકરણો સ્થાપિત કરવાના રહેતા હતા. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ સપ્લાય કોડમાં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટે વીજ ભારની મર્યાદા 100 KW થી વધારી 150 KW સુધીનું પ્રાવધાન કરેલું છે. જે મુજબ 150 KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, LT સપ્લાયની પસંદગી કરી શકશે.

  1. પાલનપુર જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ અપડેટ માટે વિદ્યાર્થીઓને ધરમના ધક્કા, લોકો રીતસર ત્રાહિમામ - Palanpur Aadhaar card update
  2. 'ગધામજૂરી કરાવે છે સરકાર', શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યાને લઈને શિક્ષક સંઘ થયું લાલઘૂમ - eKYC Problems in scholarship
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.