ETV Bharat / state

TRP ગેમ ઝોનમાં શરતભંગ મામલે કલેકટરની કોર્ટમાં થઈ સુનાવણી, અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ - Rajkot TRP game zone

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 9:20 PM IST

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં શરતભંગ થયાનું મામલતદારની તપાસમાં સામે આવતા કલેક્ટર દ્વારા જમીનમાલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જે મામલે કલેકટરની કોર્ટમાં સુનવણી હતી. જોકે, તેમાં જમીન માલિકો તરફથી 2 વકીલ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પોતાનો જવાબ રજૂ કરવા માટે મુદત માગવામાં આવી હતી. જેથી, કલેક્ટર દ્વારા માત્ર એક અઠવાડિયામાં જ જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટઃ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ SITની રચના કરવામાં આવતા તેના રીપોર્ટના આધારે ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત પૂર્વ TPO મનસુખ સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા અન્ય કર્મચારીઓ તેમજ ગેમઝોન ભાગીદારો સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા પશ્ચિમ મામલતદારને સોંપેલી તપાસમાં સામે આવ્યુ કે, TRP ગેમ ઝોનનું બાંઘકામ રેસીડેન્સિયલની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. જેથી, શરતભંગ થાય છે આ પ્રકારનો રિપોર્ટ પશ્ચિમ મામલતદાર દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે કલેક્ટર દ્વારા TRP ગેમ ઝોનના ત્રણ માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ શરતભંગનો કેસ સાબિત થશે તો જમીન માલિકોને દંડ સાથેની સજા ફટકારવામાં આવશે.


એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશઃ રાજકોટ કલેકટર પ્રભવ જોષીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમા આ કેસની સુનવણી હતી. આ દરમિયાન જમીન માલિક કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જાડેજાના 2 વકીલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા શરતભંગના આ કેસમાં જવાબ રજૂ કરવા માટે મુદત માગવામાં આવી હતી પરંતુ, કલેક્ટર દ્વારા એક અઠવાડિયામાં જ જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં TRP ગેમ ઝોન શરત ભંગ કેસમાં સુનવણી પર સૌની નજર રહશે.

  1. રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયા પાસેથી રુપિયા 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી - ACB RECOVERED 10 CRORE 55 LAKH
  2. રાજકોટ અગ્નિકાંડમાં રચાયેલ SIT પર ઈસુદાન ગઢવીના આકરા વાકપ્રહાર - Rajkot Game Zone Fire Accident

રાજકોટઃ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ SITની રચના કરવામાં આવતા તેના રીપોર્ટના આધારે ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત પૂર્વ TPO મનસુખ સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા અન્ય કર્મચારીઓ તેમજ ગેમઝોન ભાગીદારો સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા પશ્ચિમ મામલતદારને સોંપેલી તપાસમાં સામે આવ્યુ કે, TRP ગેમ ઝોનનું બાંઘકામ રેસીડેન્સિયલની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. જેથી, શરતભંગ થાય છે આ પ્રકારનો રિપોર્ટ પશ્ચિમ મામલતદાર દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે કલેક્ટર દ્વારા TRP ગેમ ઝોનના ત્રણ માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ શરતભંગનો કેસ સાબિત થશે તો જમીન માલિકોને દંડ સાથેની સજા ફટકારવામાં આવશે.


એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશઃ રાજકોટ કલેકટર પ્રભવ જોષીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમા આ કેસની સુનવણી હતી. આ દરમિયાન જમીન માલિક કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જાડેજાના 2 વકીલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા શરતભંગના આ કેસમાં જવાબ રજૂ કરવા માટે મુદત માગવામાં આવી હતી પરંતુ, કલેક્ટર દ્વારા એક અઠવાડિયામાં જ જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં TRP ગેમ ઝોન શરત ભંગ કેસમાં સુનવણી પર સૌની નજર રહશે.

  1. રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયા પાસેથી રુપિયા 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી - ACB RECOVERED 10 CRORE 55 LAKH
  2. રાજકોટ અગ્નિકાંડમાં રચાયેલ SIT પર ઈસુદાન ગઢવીના આકરા વાકપ્રહાર - Rajkot Game Zone Fire Accident
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.