ETV Bharat / state

રાજકોટના ધોરાજીમાં પાણીમાં તણાઈ જવાથી યુવકનું મોત, મૃતક પાંચ સંતાનનો પિતા - man died due to drowning

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 7:14 AM IST

રાજકોટ જિલ્લામાં રવિવાર પડેલા વરસાદમાં ધોરાજીના યુવકનું પાણીમાં તણાઈ જવાથી મોત થયું હતું. man died due to drowning

વરસાદી ઋતુ પુરજોરમાં શરૂઆત, રાજકોટમાં પાણીમાં તળાઈ જવાથી થયું યુવકનું મોત
વરસાદી ઋતુ પુરજોરમાં શરૂઆત, રાજકોટમાં પાણીમાં તળાઈ જવાથી થયું યુવકનું મોત (Etv Bharat Gujarat)
વરસાદી ઋતુ પુરજોરમાં શરૂઆત, રાજકોટમાં પાણીમાં તળાઈ જવાથી થયું યુવકનું મોત (Etv Bharat Gujarat)

રાજકોટ: રવિવારે રાજકોટ જીલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ગાજવીજ સાથે ખાબકેલા ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગામોના નદી નાળામાં નવા નીર આવ્યા હતા, જોકે આ દરમિયાન એક જિલ્લાના ધોરાજી પંથકમાં એક અનિચ્છનીય ઘટનાએ લોકોને શોકમાં મૂકી દીધા છે.

પાણીમાં તળાઈને મૃત્યુ પામનાર યુવક
પાણીમાં તળાઈને મૃત્યુ પામનાર યુવક (Etv Bharat Gujarat)

મૃતક પાંચ સંતાનના પિતા: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામના 36 વર્ષીય ભરતભાઈ પરબતભાઈ પરમાર નામના વ્યક્તિનું પાણીમાં તણાઈ જવાથી મોત થયું છે. મૃતક ભરતભાઈ પાંચ સંતાનોના પિતા હતા, ભરતભાઈના મોતથી પાંચેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ તેમના પરિવાર પર પણ આભ ફાટી પડ્યું છે અને સમગ્ર ગામમાં ઘટનાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે.

ચોમાસાના વરસાદના કારણે હવે અકસ્માતોનું પ્રમાણ પણ વધશે તેવું પ્રતીત થાય છે
ચોમાસાના વરસાદના કારણે હવે અકસ્માતોનું પ્રમાણ પણ વધશે તેવું પ્રતીત થાય છે (Etv Bharat Gujarat)

ગામમાં સન્નાટો: આ ઘટનાથી સમગ્ર ગામની અંદર સન્નાટો છવાઈ ચૂક્યો છે. ત્યારે ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. જુનાગઢમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં નવી આશાનો સંચાર - JUNAGADH RAIN
  2. રાજકોટના 4 મંદિરોમાં ચોરી કરનારો ઝડપાયો, આરોપીએ અન્ય ચોરીના ગુના પણ કબુલ્યા - Theft in the temple

વરસાદી ઋતુ પુરજોરમાં શરૂઆત, રાજકોટમાં પાણીમાં તળાઈ જવાથી થયું યુવકનું મોત (Etv Bharat Gujarat)

રાજકોટ: રવિવારે રાજકોટ જીલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ગાજવીજ સાથે ખાબકેલા ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગામોના નદી નાળામાં નવા નીર આવ્યા હતા, જોકે આ દરમિયાન એક જિલ્લાના ધોરાજી પંથકમાં એક અનિચ્છનીય ઘટનાએ લોકોને શોકમાં મૂકી દીધા છે.

પાણીમાં તળાઈને મૃત્યુ પામનાર યુવક
પાણીમાં તળાઈને મૃત્યુ પામનાર યુવક (Etv Bharat Gujarat)

મૃતક પાંચ સંતાનના પિતા: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામના 36 વર્ષીય ભરતભાઈ પરબતભાઈ પરમાર નામના વ્યક્તિનું પાણીમાં તણાઈ જવાથી મોત થયું છે. મૃતક ભરતભાઈ પાંચ સંતાનોના પિતા હતા, ભરતભાઈના મોતથી પાંચેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ તેમના પરિવાર પર પણ આભ ફાટી પડ્યું છે અને સમગ્ર ગામમાં ઘટનાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે.

ચોમાસાના વરસાદના કારણે હવે અકસ્માતોનું પ્રમાણ પણ વધશે તેવું પ્રતીત થાય છે
ચોમાસાના વરસાદના કારણે હવે અકસ્માતોનું પ્રમાણ પણ વધશે તેવું પ્રતીત થાય છે (Etv Bharat Gujarat)

ગામમાં સન્નાટો: આ ઘટનાથી સમગ્ર ગામની અંદર સન્નાટો છવાઈ ચૂક્યો છે. ત્યારે ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. જુનાગઢમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં નવી આશાનો સંચાર - JUNAGADH RAIN
  2. રાજકોટના 4 મંદિરોમાં ચોરી કરનારો ઝડપાયો, આરોપીએ અન્ય ચોરીના ગુના પણ કબુલ્યા - Theft in the temple
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.