ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી પંથકમાં આકાશી વીજળી પડતા ચાર પશુઓના મોત - Four animals died due to lightning

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 10:37 PM IST

બનાસકાંઠાના સરહદી વાવ પંથકમાં વીજળી પડવાના બનાવ સામે આવ્યો છે જોકે વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વીજળી પડતાં બે ભેસો તેમજ બે નંદીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જાણો સંપૂર્ણ બાબત આ અહેવાલમાં. Four animals died due to lightning

આકાશી વીજળી પડતા ચાર પશુઓના મોત
આકાશી વીજળી પડતા ચાર પશુઓના મોત (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: જિલ્લામાં સોમવારને સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ધોધમાર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. જો કે બપોરના એક-બે વાગ્યાના આસપાસ ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. વીજળી પણ પડી રહી હતી. પરિણામે વાવ તાલુકાના બાલુંત્રી ગામે બે ભેશો પર આકાશી વીજળી પડતા ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે વાવના કુંડાળિયા ગામે આકાશી વીજળી પડતા બે નંદીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.

બે ભેસોના મોત: વાસ્તવમાં સંપૂર્ણ ઘટના એમ હતી કે, વાવ તાલુકાના બાલુંત્રીના ખેડુત ધેગાભાઈ મોહનભાઈ ગલસરના ખેતરમાં બાંધેલી બે ભેંસો ઉપર આકાશી વીજળી પડતા ભેસોના મોત થયા હતા. જોકે બે ભેસોના મોત થતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આથી આ થયેલા નુકસાનનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. જોકે ભેંસોના મોત થતાની સાથે જવાબદારી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.

બે નંદીઓના મોત: બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકામાં પણ સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. જેમાં વાવ તાલુકાના કુંડાળીયા ગામના ભુરાભાઈ ધર્માભાઇ ધાણકના થળિયા ખેતરમાં આકાશી વીજળી પડતા બે નંદીઓના મોત થયા હતા.

  1. માંગરોળના શાહ ગામે હડકાયા કૂતરાનો આતંક, એક સાથે 6 લોકોને હડકાયું કૂતરુ કરડ્યું - dog bite in mangrol
  2. સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત, 476 મેટ્રીક ટન ઘનકચરાનો નિકાલ - Cleanup begins after floods

બનાસકાંઠા: જિલ્લામાં સોમવારને સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ધોધમાર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. જો કે બપોરના એક-બે વાગ્યાના આસપાસ ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. વીજળી પણ પડી રહી હતી. પરિણામે વાવ તાલુકાના બાલુંત્રી ગામે બે ભેશો પર આકાશી વીજળી પડતા ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે વાવના કુંડાળિયા ગામે આકાશી વીજળી પડતા બે નંદીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.

બે ભેસોના મોત: વાસ્તવમાં સંપૂર્ણ ઘટના એમ હતી કે, વાવ તાલુકાના બાલુંત્રીના ખેડુત ધેગાભાઈ મોહનભાઈ ગલસરના ખેતરમાં બાંધેલી બે ભેંસો ઉપર આકાશી વીજળી પડતા ભેસોના મોત થયા હતા. જોકે બે ભેસોના મોત થતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આથી આ થયેલા નુકસાનનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. જોકે ભેંસોના મોત થતાની સાથે જવાબદારી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.

બે નંદીઓના મોત: બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકામાં પણ સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. જેમાં વાવ તાલુકાના કુંડાળીયા ગામના ભુરાભાઈ ધર્માભાઇ ધાણકના થળિયા ખેતરમાં આકાશી વીજળી પડતા બે નંદીઓના મોત થયા હતા.

  1. માંગરોળના શાહ ગામે હડકાયા કૂતરાનો આતંક, એક સાથે 6 લોકોને હડકાયું કૂતરુ કરડ્યું - dog bite in mangrol
  2. સુરતમાં ખાડી પૂર બાદ સાફસફાઇની શરૂઆત, 476 મેટ્રીક ટન ઘનકચરાનો નિકાલ - Cleanup begins after floods
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.