ETV Bharat / state

આ રીતે ઉંદર માર્યો તો 100 રૂપિયા દંડ અને વધુ વખત માર્યો તો જેલની સજા જાણો કેમ... - Ban on rat killing

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 8:01 PM IST

પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ઉંદરને મારવાની એક પદ્ધતિને પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે હાઇકોર્ટમાં થયેલી પીટીશન બાદ પ્રાણી કલ્યાણ બોર્ડે ઉંદર પકડવાની એક પદ્ધતિમાં તેના થતા મોતને લઈને પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં દંડ અને જેલની સજાની જોગવાઈ છે . જાણો...

પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ઉંદરને મારવાની એક પદ્ધતિને પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ઉંદરને મારવાની એક પદ્ધતિને પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો (Etv Bharat gujarat)
પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ઉંદરને મારવાની એક પદ્ધતિને પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો (Etv Bharat gujarat)

ભાવનગર: સામાન્ય રીતે ઘર અને દુકાનો તેમજ અન્ય એવા સ્થળો ઉપર ઉંદર નિકળતા હોય છે. જેને પકડવા માટે પણ પિંજરાઓ મૂકવામાં આવતા હોય છે. પરંતુ ઘણા સમયથી ઉંદરને પકડવાને પગલે નવી આવેલી પદ્ધતિને કારણે ઉંદરોના ક્રૂરતાપૂર્વક થતા મૃત્યુને પગલે રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત ઉંદરની પીડા અને વેદનાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રાણી કલ્યાણ બોર્ડેએ પ્રતિબંધ મૂક્યો: સામાન્ય રીતે દુકાનો ગોડાઉન અને ઘરોમાં નીકળતા ઉંદરને કારણે તેના રહેણાંકના સ્થાનિક લોકો પરેશાન હોય છે. જેથી કરીને ઉંદરને પકડવા માટે જૂની પદ્ધતિ પ્રમાણે નાના પિંજરા મુકવામાં આવતા હતા. ત્યારબાદ ઉંદરને બહાર જઈને છોડી મૂકવામાં આવતા હતા. પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં ઉંદરને પકડવાનો પગલે મારવાના ઉભા થયેલા ચીલાને પગલે લોકો ઉંદર ચીપકી જાય તેવી આવેલી પદ્ધતિને લઈને પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

શું છે ગ્લુ ટ્રેપ અને કેમ મૂકાયો પ્રતિબંધ: રાજ્યના પશુપાલન નિયામક દ્વારા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત હાઇકોર્ટમાં થયેલી પિટિશનને આધારે ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય જણાવ્યું છે. પરંતુ ગ્લુ ટ્રેપને કારણે જે રીતે ઉંદરનું મૃત્યુ થવાની ઘટના છે તે ક્રૂરતાવાળી હોવાને કારણે સરકારે ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગ્લુ ટ્રેપમાં ગુંદર જેવો ચીકણો પદાર્થ આવતો હોય જેમાં ઉંદર ચિપકી જાય છે અને ત્યારબાદ તરફડિયા મારીને મૃત્યુ પામે છે. આથી ક્રૂરતાપૂર્વક થતા મૃત્યુને કારણે હાઇકોર્ટમાં પિટિશન બાદ આવેલા નિર્ણયને આધારે ગ્લુટ્રેપના ઉત્પાદન,વેચાણ, અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પશુપાલન વિભાગે સજા અને દંડ વિશે આપી માહિતી: રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ફરમાવવામાં આવેલા ઉંદર મારવાના ગ્લુટ્રેપ પ્રતિબંધને પગલે ભાવનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી ડો કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપ ઉપર ઉંદર ચાલતા જ તે ચીપકી જાય છે અને ત્યારબાદ તેને હાઇડ્રેશન, ભૂખમરો અને ગુગળામણના કારણે તરફડીયા મારીને મૃત્યુ પામે છે, જેને પગલે ગ્લુ ટ્રેપ કે સ્ટીકી ટ્રેપના ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11 મુજબ શિક્ષાત્મક કાર્યવાહીમાં 100 દંડ અને જો બે કે વધુ વખત કોઈ ઝડપાય તો 1 થી 3 માસ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

  1. પાલનપુર નગરપાલિકાની સભામાં વિપક્ષે વોકઆઉટ કર્યું, ભ્રષ્ટાચારના બેનર પહેરીને રોડ પર ઉતર્યા - Opposition walkout in Assembly
  2. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર, મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ - Gujarat weather update

પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ઉંદરને મારવાની એક પદ્ધતિને પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો (Etv Bharat gujarat)

ભાવનગર: સામાન્ય રીતે ઘર અને દુકાનો તેમજ અન્ય એવા સ્થળો ઉપર ઉંદર નિકળતા હોય છે. જેને પકડવા માટે પણ પિંજરાઓ મૂકવામાં આવતા હોય છે. પરંતુ ઘણા સમયથી ઉંદરને પકડવાને પગલે નવી આવેલી પદ્ધતિને કારણે ઉંદરોના ક્રૂરતાપૂર્વક થતા મૃત્યુને પગલે રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત ઉંદરની પીડા અને વેદનાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રાણી કલ્યાણ બોર્ડેએ પ્રતિબંધ મૂક્યો: સામાન્ય રીતે દુકાનો ગોડાઉન અને ઘરોમાં નીકળતા ઉંદરને કારણે તેના રહેણાંકના સ્થાનિક લોકો પરેશાન હોય છે. જેથી કરીને ઉંદરને પકડવા માટે જૂની પદ્ધતિ પ્રમાણે નાના પિંજરા મુકવામાં આવતા હતા. ત્યારબાદ ઉંદરને બહાર જઈને છોડી મૂકવામાં આવતા હતા. પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં ઉંદરને પકડવાનો પગલે મારવાના ઉભા થયેલા ચીલાને પગલે લોકો ઉંદર ચીપકી જાય તેવી આવેલી પદ્ધતિને લઈને પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

શું છે ગ્લુ ટ્રેપ અને કેમ મૂકાયો પ્રતિબંધ: રાજ્યના પશુપાલન નિયામક દ્વારા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત હાઇકોર્ટમાં થયેલી પિટિશનને આધારે ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય જણાવ્યું છે. પરંતુ ગ્લુ ટ્રેપને કારણે જે રીતે ઉંદરનું મૃત્યુ થવાની ઘટના છે તે ક્રૂરતાવાળી હોવાને કારણે સરકારે ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગ્લુ ટ્રેપમાં ગુંદર જેવો ચીકણો પદાર્થ આવતો હોય જેમાં ઉંદર ચિપકી જાય છે અને ત્યારબાદ તરફડિયા મારીને મૃત્યુ પામે છે. આથી ક્રૂરતાપૂર્વક થતા મૃત્યુને કારણે હાઇકોર્ટમાં પિટિશન બાદ આવેલા નિર્ણયને આધારે ગ્લુટ્રેપના ઉત્પાદન,વેચાણ, અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પશુપાલન વિભાગે સજા અને દંડ વિશે આપી માહિતી: રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ફરમાવવામાં આવેલા ઉંદર મારવાના ગ્લુટ્રેપ પ્રતિબંધને પગલે ભાવનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી ડો કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપ ઉપર ઉંદર ચાલતા જ તે ચીપકી જાય છે અને ત્યારબાદ તેને હાઇડ્રેશન, ભૂખમરો અને ગુગળામણના કારણે તરફડીયા મારીને મૃત્યુ પામે છે, જેને પગલે ગ્લુ ટ્રેપ કે સ્ટીકી ટ્રેપના ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11 મુજબ શિક્ષાત્મક કાર્યવાહીમાં 100 દંડ અને જો બે કે વધુ વખત કોઈ ઝડપાય તો 1 થી 3 માસ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

  1. પાલનપુર નગરપાલિકાની સભામાં વિપક્ષે વોકઆઉટ કર્યું, ભ્રષ્ટાચારના બેનર પહેરીને રોડ પર ઉતર્યા - Opposition walkout in Assembly
  2. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર, મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ - Gujarat weather update
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.