ETV Bharat / state

ટોલ પ્લાઝા પર કાર ચાલક અને ટોલકર્મી વચ્ચે બબાલ, CCTVમાં કેદ થઈ માથાકૂટ - Fight at toll plaza

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 11:40 AM IST

Updated : Aug 13, 2024, 1:12 PM IST

પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા પર મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જાણો વિગતો આ અહેવાલમાં. Fight at pithadiya toll plaza

વાહન ચાલક અને ટોલ કર્મી વચ્ચે બબાલ
વાહન ચાલક અને ટોલ કર્મી વચ્ચે બબાલ (Etv Bharat Gujarat)
વાહન ચાલક અને ટોલ કર્મી વચ્ચે બબાલ (Etv Bharat Gujarat)

રાજકોટ: સૌરાષ્ટ્રના ટોલ પ્લાઝા છેલ્લા ઘણા સમયથી વિવિધ વિષયો પર પ્રખ્યાત છે જેમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકાઓ ઘણી વખત વિવાદમાં આવતા હોય છે ત્યારે આવો જ એક વિવાદ પીઠડીયા ટોલ પ્લાઝા પર આવેલો છે કે જે ટોલ પ્લાઝા પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલ છે ત્યારે આ ટોલ પ્લાઝા પર મારામારી થઈ હોવાની બાબત સામે આવતા સમગ્ર પંથક ની અંદર ફરી વખત ટોલ પ્લાઝા ના વિવાદને લઈને ચર્ચા અને વિવાદનો દોર શરૂ થયો છે.

પીઠડીયા ટોલ પ્લાઝા પર અનેક બાબતોની ઝપાઝપી તેમજ માથાકૂટો થતી હોય છે જેમાં વધુ એક ઉમેરો થતાં પીઠડીયા ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની એક બાબત સામે આવી છે. માથાકૂટ અને મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ત્યારે આ ઘટના બાદ મારામારીની ઘટના બાદ ટોલ પ્લાઝાના કર્મચારીને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં પોલીસે તેમના નિવેદન નોંધવા માટેની પણ કામગીરી હાથ ધરી હતી.

ટોલ પ્લાઝાની ઈમરજન્સી લાઈનમાં એમ્બ્યુલન્સ આવતી હતી તે લાઈનમાં એક ગાડી વચ્ચે આવી હતી. આ ગાડીને સાઈડમાં લેવાનું કહેતા અમુક વ્યક્તિઓ તેમાંથી ઉતરી ગયા હતા અને મારપાટી કરવા લાગ્યા હતા. જેના પગલે સ્ટાફે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એ લોકોએ કેમેરામાં દેખાય તે રીતે પણ માર મારેલ હતો. સ્ટાફના અન્ય લોકો તેમને છોડાવવા આવ્યા ત્યારે ખ્યાલ આવેલ કે માથાકૂટમાં સ્ટાફના વ્યક્તિને લાગેલ છે જેને વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવેલ હતો જે બાદ સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી દીધી હતી જે બાદ પોલીસ પણ હાલ કાર્યવાહી કરી રહી છે. - હસમુખ ગઢવી, મેનેજર,ટોલ પ્લાઝા-પીઠડીયા

  1. ટોલ ટેક્સ ઓછો કરીને વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરો, પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન માંડવિયાને ભાજપના નેતાની રજૂઆત - toll tax issue
  2. Gujarat Toll Tax: ગુજરાતમાં 49 ટોલ બુથ પર ટેક્સમાં વધારો, વર્ષે 3600 કરોડ ટોલ ટેક્સની આવક

વાહન ચાલક અને ટોલ કર્મી વચ્ચે બબાલ (Etv Bharat Gujarat)

રાજકોટ: સૌરાષ્ટ્રના ટોલ પ્લાઝા છેલ્લા ઘણા સમયથી વિવિધ વિષયો પર પ્રખ્યાત છે જેમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકાઓ ઘણી વખત વિવાદમાં આવતા હોય છે ત્યારે આવો જ એક વિવાદ પીઠડીયા ટોલ પ્લાઝા પર આવેલો છે કે જે ટોલ પ્લાઝા પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલ છે ત્યારે આ ટોલ પ્લાઝા પર મારામારી થઈ હોવાની બાબત સામે આવતા સમગ્ર પંથક ની અંદર ફરી વખત ટોલ પ્લાઝા ના વિવાદને લઈને ચર્ચા અને વિવાદનો દોર શરૂ થયો છે.

પીઠડીયા ટોલ પ્લાઝા પર અનેક બાબતોની ઝપાઝપી તેમજ માથાકૂટો થતી હોય છે જેમાં વધુ એક ઉમેરો થતાં પીઠડીયા ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની એક બાબત સામે આવી છે. માથાકૂટ અને મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ત્યારે આ ઘટના બાદ મારામારીની ઘટના બાદ ટોલ પ્લાઝાના કર્મચારીને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં પોલીસે તેમના નિવેદન નોંધવા માટેની પણ કામગીરી હાથ ધરી હતી.

ટોલ પ્લાઝાની ઈમરજન્સી લાઈનમાં એમ્બ્યુલન્સ આવતી હતી તે લાઈનમાં એક ગાડી વચ્ચે આવી હતી. આ ગાડીને સાઈડમાં લેવાનું કહેતા અમુક વ્યક્તિઓ તેમાંથી ઉતરી ગયા હતા અને મારપાટી કરવા લાગ્યા હતા. જેના પગલે સ્ટાફે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એ લોકોએ કેમેરામાં દેખાય તે રીતે પણ માર મારેલ હતો. સ્ટાફના અન્ય લોકો તેમને છોડાવવા આવ્યા ત્યારે ખ્યાલ આવેલ કે માથાકૂટમાં સ્ટાફના વ્યક્તિને લાગેલ છે જેને વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવેલ હતો જે બાદ સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી દીધી હતી જે બાદ પોલીસ પણ હાલ કાર્યવાહી કરી રહી છે. - હસમુખ ગઢવી, મેનેજર,ટોલ પ્લાઝા-પીઠડીયા

  1. ટોલ ટેક્સ ઓછો કરીને વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરો, પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન માંડવિયાને ભાજપના નેતાની રજૂઆત - toll tax issue
  2. Gujarat Toll Tax: ગુજરાતમાં 49 ટોલ બુથ પર ટેક્સમાં વધારો, વર્ષે 3600 કરોડ ટોલ ટેક્સની આવક
Last Updated : Aug 13, 2024, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.