ETV Bharat / state

ખેડૂતોને મૂખેથી કોળિયો છીનવાઈ જવાનો ભય!, ઓલપાડમાં ડાંગરના પાકમાં 'સુકારા' નામના રોગની એન્ટ્રી - surat news

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 11:41 AM IST

સુરતના ઓલપાડ તાલુકાના ગામો સહિત કાંઠા વિસ્તારમાં ડાંગર પકવતાં ખેડૂતોના ડાંગરના ઉભા પાકમાં જીવાણુથી થતો પાનનો સુકારો/ઝાળ(બેક્ટેરીઅલ લેફ બ્લાઈટ)નો રોગ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે., entry of a disease called 'Sukara' in paddy crop

ખેડૂતોને મૂખેથી કોળિયો છીનવાઈ જવાનો ભય
ખેડૂતોને મૂખેથી કોળિયો છીનવાઈ જવાનો ભય (ETV Bharat Gujarat)
ખેડૂતોને મૂખેથી કોળિયો છીનવાઈ જવાનો ભય (ETV Bharat Gujarat)

સુરત: સુરત જિલ્લામાં મોટાભાગના ડાંગરના પાકમાં હાલ કંઠી નીકળવાની અવસ્થાએ છે. ત્યારે હાલમાં ઓલપાડ તાલુકામાં ડાંગરના ઉભા પાકમાં પાનનો સુકારો/ઝાળનો રોગ જોવા મળતા કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વહારે આવ્યા છે. છેલ્લા બે દિવસથી કૃષિ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વૈજ્ઞાનિકો પૈકી ડો.જનકસિંહ રાઠોડ અને ડો.રાકેશ કે.પટેલે ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા વિવિધ ગામો પૈકી કુંભારી, સોંદલાખારા, નધોઈ, મીંઢી, ઓલપાડ, તળાદ, સોંસક, અંભેટા, સીમરથુ, પારડી, બોલાવ, સરોલી, વણકલા વગેરે ગામોમાં ડાંગરના ખેતરોની મુલાકાત ખેડૂતો સાથે લીઘી હતી.

ડાંગરના પાકમાં જીવાત
ડાંગરના પાકમાં જીવાત (ETV Bharat Gujarat)

આ મુલાકાત દરમિયાન પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારાના વૈજ્ઞાનિકો ડૉ.વિપુલ પટેલ અને ડો.કેદારનાથ પણ જોડાયા હતા. તે દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકોએ ડાંગરના ઘણા ખેતરોમાં સુક્ષ્મ જીવાણુઓથી થતો પાનનો સુકારો/ઝાળ નામનો રોગ જોવા મળ્યો હતો.

ડાંગરના પાકને નુકસાન
ડાંગરના પાકને નુકસાન (ETV Bharat Gujarat)

આ રોગ મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ફેલાય છે: વ્યારાના કૃષિ વૈજ્ઞાનિક ડૉ.વિપુલ પટેલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ રોગની સમજ આપતા કહ્યું કે, 'રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાનના ટોચના ભાગેથી ઉભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બંન્ને ધારેથી બદામી રંગમાં ઉંધા ચીપીયા આકારે સુકાતા નીચેની તરફ સુકારો આગળ વધે છે. આ રોગ અનુકૂળ વાતાવરણમાં કે ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. આ રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય અથવા ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. આ રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય તેવું દેખાય છે.

ડાંગરના પાકમાં રોગની એન્ટ્રી
ડાંગરના પાકમાં રોગની એન્ટ્રી (ETV Bharat Gujarat)

નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો: તેમણે વધુમાં જણાવ્યું કે આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે અને છોડ સુકાતા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહી જવાથી ડાંગરના ઉત્પાદનમાં મોટાપાયે આર્થિક નુકસાન થાય છે. જેથી આ રોગના નિયંત્રણ માટે પાકમાં ભલામણ કરેલા જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરો આપવા જોઈએ. જો ખેતરમાં સુકારાના રોગની શરૂઆત દેખાય તો નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો હપ્તો આ રોગ કાબૂમાં આવ્યા પછી જ આપવો જોઈએ.

જો રોગની શરૂઆત જણાય તો તરત જ શક્ય હોય તો રોગિષ્ટ પાન કે છોડને ઉખાડી અથવા બાળીને નાશ કરવો જોઈએ અને રોગવાળા ખેતરનું પાણી બાજુના રોગ વગરના ડાંગરના ખેતરમાં જાય ન જાય તેની કાળજી રાખવી જોઈએ. તેમજ તરત જ કોપર હાઈડ્રોક્સાઈડ 53.8%, ડીએફ નામની દવાનો 10 લીટર પાણીમાં 30 ગ્રામ મુજબ છંટકાવ કરવો જરૂરી છે. દવાનો છંટકાવ કરતી વખતે આખો છોડ ભીંજાઈ જાય તે રીતે એકરે અંદાજિત 200 લીટર પાણીનો વપરાશ કરવો જોઈએ. દવાનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયમાં કરવો ખેતરના શેઢાપાળ નીંદણમુક્ત અને સાફ રાખવા જરૂરી છે.

આ પણ વાંચો

  1. સુરતમાં સાવા પાટિયા નેશનલ હાઇવે પર ટ્રક પલટી, રસ્તા પર જમરૂખની રેલમછેલ - surat accident
  2. અમદાવાદ પોલીસ બની વધુ સતર્ક, ગણેશ પંડાલોની બહાર લગાવ્યા મુવેબલ CCTV કેમેરા - GANESH MAHOTSAV 2024

ખેડૂતોને મૂખેથી કોળિયો છીનવાઈ જવાનો ભય (ETV Bharat Gujarat)

સુરત: સુરત જિલ્લામાં મોટાભાગના ડાંગરના પાકમાં હાલ કંઠી નીકળવાની અવસ્થાએ છે. ત્યારે હાલમાં ઓલપાડ તાલુકામાં ડાંગરના ઉભા પાકમાં પાનનો સુકારો/ઝાળનો રોગ જોવા મળતા કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વહારે આવ્યા છે. છેલ્લા બે દિવસથી કૃષિ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વૈજ્ઞાનિકો પૈકી ડો.જનકસિંહ રાઠોડ અને ડો.રાકેશ કે.પટેલે ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા વિવિધ ગામો પૈકી કુંભારી, સોંદલાખારા, નધોઈ, મીંઢી, ઓલપાડ, તળાદ, સોંસક, અંભેટા, સીમરથુ, પારડી, બોલાવ, સરોલી, વણકલા વગેરે ગામોમાં ડાંગરના ખેતરોની મુલાકાત ખેડૂતો સાથે લીઘી હતી.

ડાંગરના પાકમાં જીવાત
ડાંગરના પાકમાં જીવાત (ETV Bharat Gujarat)

આ મુલાકાત દરમિયાન પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારાના વૈજ્ઞાનિકો ડૉ.વિપુલ પટેલ અને ડો.કેદારનાથ પણ જોડાયા હતા. તે દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકોએ ડાંગરના ઘણા ખેતરોમાં સુક્ષ્મ જીવાણુઓથી થતો પાનનો સુકારો/ઝાળ નામનો રોગ જોવા મળ્યો હતો.

ડાંગરના પાકને નુકસાન
ડાંગરના પાકને નુકસાન (ETV Bharat Gujarat)

આ રોગ મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ફેલાય છે: વ્યારાના કૃષિ વૈજ્ઞાનિક ડૉ.વિપુલ પટેલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ રોગની સમજ આપતા કહ્યું કે, 'રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાનના ટોચના ભાગેથી ઉભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બંન્ને ધારેથી બદામી રંગમાં ઉંધા ચીપીયા આકારે સુકાતા નીચેની તરફ સુકારો આગળ વધે છે. આ રોગ અનુકૂળ વાતાવરણમાં કે ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. આ રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય અથવા ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પણ ખેતરમાં ફેલાય છે. આ રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલું હોય તેવું દેખાય છે.

ડાંગરના પાકમાં રોગની એન્ટ્રી
ડાંગરના પાકમાં રોગની એન્ટ્રી (ETV Bharat Gujarat)

નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો: તેમણે વધુમાં જણાવ્યું કે આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે અને છોડ સુકાતા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહી જવાથી ડાંગરના ઉત્પાદનમાં મોટાપાયે આર્થિક નુકસાન થાય છે. જેથી આ રોગના નિયંત્રણ માટે પાકમાં ભલામણ કરેલા જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરો આપવા જોઈએ. જો ખેતરમાં સુકારાના રોગની શરૂઆત દેખાય તો નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો હપ્તો આ રોગ કાબૂમાં આવ્યા પછી જ આપવો જોઈએ.

જો રોગની શરૂઆત જણાય તો તરત જ શક્ય હોય તો રોગિષ્ટ પાન કે છોડને ઉખાડી અથવા બાળીને નાશ કરવો જોઈએ અને રોગવાળા ખેતરનું પાણી બાજુના રોગ વગરના ડાંગરના ખેતરમાં જાય ન જાય તેની કાળજી રાખવી જોઈએ. તેમજ તરત જ કોપર હાઈડ્રોક્સાઈડ 53.8%, ડીએફ નામની દવાનો 10 લીટર પાણીમાં 30 ગ્રામ મુજબ છંટકાવ કરવો જરૂરી છે. દવાનો છંટકાવ કરતી વખતે આખો છોડ ભીંજાઈ જાય તે રીતે એકરે અંદાજિત 200 લીટર પાણીનો વપરાશ કરવો જોઈએ. દવાનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયમાં કરવો ખેતરના શેઢાપાળ નીંદણમુક્ત અને સાફ રાખવા જરૂરી છે.

આ પણ વાંચો

  1. સુરતમાં સાવા પાટિયા નેશનલ હાઇવે પર ટ્રક પલટી, રસ્તા પર જમરૂખની રેલમછેલ - surat accident
  2. અમદાવાદ પોલીસ બની વધુ સતર્ક, ગણેશ પંડાલોની બહાર લગાવ્યા મુવેબલ CCTV કેમેરા - GANESH MAHOTSAV 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.