ETV Bharat / state

લ્યો બોલો...ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ પણ મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી - Dengue cases in Bhavnagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 9:46 PM IST

ભાવનગર શહેરમાં વરસાદ થોભ્યા બાદ શેરી ગલીઓમાં શરદી, તાવના કેસો શરૂ થયા છે. ત્યારે મહાનગરપાલિકાનું અર્બન વિભાગ દવા છટકાવ, ફોગીંગના દાવા કરે છે, પરંતુ દવા છટકાવ ફોગીંગ થતું હોય તો તાવના કેસો ઓછા જોવા મળે, પરંતુ મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી. ETV BHARATએ ખાનગી બોરતળાવ વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા તબીબ સાથે વાત કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. જાણો. Dengue cases in Bhavnagar

જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે
જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે (Etv Bharat Gujarat)
જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે (Etv Bharat Gujarat)

ભાવનગર: શહેરમાં છેલ્લા અઠવાડિયામાં તાવ અને ડેન્ગ્યુના કેસે ભરડો લીધો હોય તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બરમાં હજુ એક પણ ડેન્ગ્યુનો કેસ નોંધાયો નથી. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા રોજના એક થી બે શંકાસ્પદ અને ડેન્ગ્યુ હોય તેવા કેસો સામે આવી રહ્યા છે. સવાલ એ છે કે મહાનગરપાલિકાના ચોપડે કશું નથી, આખરે કેમ ? જાણો.

મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)

મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બર કેસ નથી: ભાવનગર મહાનગરપાલિકાના અર્બન વિભાગના અધિકારી ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુની પરિસ્થિતિ જોવા જઈએ તો આ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે જેમાંથી જુલાઈમાં 4 અને ઓગસ્ટમાં 7 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તાવના કેસ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં કુલ 1531 તાવના કેસો નોંધાયેલા છે. જે સપ્ટેમ્બરમાં 1થી 9 તારીખ સુધીમાં કુલ 344 કેસ નોંધાયેલા છે.

મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)

ડેન્ગ્યુ માટે કયો ટેસ્ટ જરૂરી તંત્રના મતે: અર્બન વિભાગના ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે એલઆઇજા ટેસ્ટ કરવો પડે જે સર્ટિફાઇડ હોસ્પિટલમાં થાય છે. બ્લડ રીપોર્ટમાં પ્લેટ રેટ કાઉન્ટના આધારે પોઝિટિવ અથવા શંકાસ્પદ ડેન્ગ્યુ પણ જાહેર કરી શકાય છે.

ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ
ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ (Etv Bharat Gujarat)

કામગીરી શરૂ હોવાનો દાવો તંત્રનો: મચ્છરોનો ત્રાસ વધે એટલે તાવ અને ડેન્ગ્યુ મલેરીયાના કેસો વધે છે. ત્યારે મહાનગરપાલિકાનું અર્બન વિભાગ કામગીરી કરવાની વાત કરે છે. ત્યારે ડો. વિજય કાપડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં તમામ વિસ્તાર કવર થાય એ રીતે ટીમો બનાવી કામગીરી શરૂ કરેલી છે તેમજ પોઝિટિવ કેસ નોંધાય તો તાત્કાલિક સ્થળ આસપાસના વિસ્તારમાં ફોગિંગ થાય છે. આ ઉપરાંત જ્યાં પણ પાણી ભરાયેલા હોય ત્યાં દવા છટકાવ અને બીજી જરૂરિયાતની જગ્યાએ ફોગીંગ કામગીરી પણ શરૂ છે.

મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)

ખાનગી હોસ્પિટલમાં રોજના કેટલા કેસ: ભાવનગર બોરતળાવ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવનાર ડો. રમેશ મોરડીયાએ જણાવ્યું હતું કે, આમ જોઈએ તો મહિનામાં લગભગ દર વર્ષે ડેન્ગ્યુના કેસો નોંધાતા હોય છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પોઝિટિવ ડેન્ગ્યુના કેસ આવ્યા છે પણ માઇલ્ડ કેસ છે જે દવા અને આરામથી ઠીક થઈ જતા હોય છે. એમ ચોક્કસ તો નથી કે પણ રોજનું એકાદું કે બે પેશન્ટસ હોય છે એમ 10 દિવસમાં 10 થી 12 જેટલા પેશન્ટ થાય છે.

આ પણ વાંચો:

  1. વાહ શું વાત છે ! 42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ, 52 કરોડના ખર્ચે તોડવામાં આવશે - Ahmedabad Hatkeswar Bridge
  2. અમદાવાદમાં ડેન્ગ્યુનો રાફડો ફાટ્યો, 7 દિવસમાં 172 કેસ નોંધાયા - AHMEDABAD HEALTH UPDATES

જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે (Etv Bharat Gujarat)

ભાવનગર: શહેરમાં છેલ્લા અઠવાડિયામાં તાવ અને ડેન્ગ્યુના કેસે ભરડો લીધો હોય તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બરમાં હજુ એક પણ ડેન્ગ્યુનો કેસ નોંધાયો નથી. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા રોજના એક થી બે શંકાસ્પદ અને ડેન્ગ્યુ હોય તેવા કેસો સામે આવી રહ્યા છે. સવાલ એ છે કે મહાનગરપાલિકાના ચોપડે કશું નથી, આખરે કેમ ? જાણો.

મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)

મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બર કેસ નથી: ભાવનગર મહાનગરપાલિકાના અર્બન વિભાગના અધિકારી ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુની પરિસ્થિતિ જોવા જઈએ તો આ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે જેમાંથી જુલાઈમાં 4 અને ઓગસ્ટમાં 7 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તાવના કેસ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં કુલ 1531 તાવના કેસો નોંધાયેલા છે. જે સપ્ટેમ્બરમાં 1થી 9 તારીખ સુધીમાં કુલ 344 કેસ નોંધાયેલા છે.

મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)

ડેન્ગ્યુ માટે કયો ટેસ્ટ જરૂરી તંત્રના મતે: અર્બન વિભાગના ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે એલઆઇજા ટેસ્ટ કરવો પડે જે સર્ટિફાઇડ હોસ્પિટલમાં થાય છે. બ્લડ રીપોર્ટમાં પ્લેટ રેટ કાઉન્ટના આધારે પોઝિટિવ અથવા શંકાસ્પદ ડેન્ગ્યુ પણ જાહેર કરી શકાય છે.

ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ
ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ (Etv Bharat Gujarat)

કામગીરી શરૂ હોવાનો દાવો તંત્રનો: મચ્છરોનો ત્રાસ વધે એટલે તાવ અને ડેન્ગ્યુ મલેરીયાના કેસો વધે છે. ત્યારે મહાનગરપાલિકાનું અર્બન વિભાગ કામગીરી કરવાની વાત કરે છે. ત્યારે ડો. વિજય કાપડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં તમામ વિસ્તાર કવર થાય એ રીતે ટીમો બનાવી કામગીરી શરૂ કરેલી છે તેમજ પોઝિટિવ કેસ નોંધાય તો તાત્કાલિક સ્થળ આસપાસના વિસ્તારમાં ફોગિંગ થાય છે. આ ઉપરાંત જ્યાં પણ પાણી ભરાયેલા હોય ત્યાં દવા છટકાવ અને બીજી જરૂરિયાતની જગ્યાએ ફોગીંગ કામગીરી પણ શરૂ છે.

મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી
મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી (Etv Bharat Gujarat)

ખાનગી હોસ્પિટલમાં રોજના કેટલા કેસ: ભાવનગર બોરતળાવ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવનાર ડો. રમેશ મોરડીયાએ જણાવ્યું હતું કે, આમ જોઈએ તો મહિનામાં લગભગ દર વર્ષે ડેન્ગ્યુના કેસો નોંધાતા હોય છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પોઝિટિવ ડેન્ગ્યુના કેસ આવ્યા છે પણ માઇલ્ડ કેસ છે જે દવા અને આરામથી ઠીક થઈ જતા હોય છે. એમ ચોક્કસ તો નથી કે પણ રોજનું એકાદું કે બે પેશન્ટસ હોય છે એમ 10 દિવસમાં 10 થી 12 જેટલા પેશન્ટ થાય છે.

આ પણ વાંચો:

  1. વાહ શું વાત છે ! 42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ, 52 કરોડના ખર્ચે તોડવામાં આવશે - Ahmedabad Hatkeswar Bridge
  2. અમદાવાદમાં ડેન્ગ્યુનો રાફડો ફાટ્યો, 7 દિવસમાં 172 કેસ નોંધાયા - AHMEDABAD HEALTH UPDATES
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.