જૂનાગઢ: વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ' ઉજવાય છે ત્યારે મિત્રતાનું ઉદાહરણ કહી શકાય તેવા જૂનાગઢમાં એકલવાયુ જીવન જીવતા અને સમગ્ર શહેરમાં કુતરા બાપુ તરીકે ઓળખાતા શ્વાનપ્રેમી આજે છેલ્લા 40 વર્ષથી જુનાગઢ શહેરમાં રખડતા શ્વાનો પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે. મિત્રતાના એક અનોખા સંબંધ બાંધીને જૂનાગઢ શહેરના શ્વાનો સાથે સુખ-દુઃખના સાથી બનીને મિત્રતાનું એક ઉત્તમ દ્રષ્ટાંત કંડારી રહ્યા છે.
![કુતરાવાળા બાપુ તરીકે ઓળખાતા શ્વાનપ્રેમી આજે છેલ્લા 40 વર્ષથી મિત્રતા નિભાવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-jnd-02-friend-vis-01-byte-01-pkg-7200745_03082024165647_0308f_1722684407_58.jpg)
કુતરાવાળા બાપુ મિત્રતાનું આદર્શ દ્રષ્ટાંત: આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર મિત્રતાને સમર્પિત કરીને આજના દિવસે મિત્રતાના જાણ્યા અજાણ્યા કિસ્સાઓ ઉજાગર થાય તે માટે ખાસ ઉજવવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શહેરમાં કુતરાબાપુના હુલામણા નામે ઓળખાતા શ્વાનપ્રેમી પાછલા 40 વર્ષથી એક અનોખી મિત્રતાનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત કંડારી રહ્યા છે.
![કુતરાવાળા બાપુ તરીકે ઓળખાતા શ્વાનપ્રેમી આજે છેલ્લા 40 વર્ષથી મિત્રતા નિભાવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-jnd-02-friend-vis-01-byte-01-pkg-7200745_03082024165647_0308f_1722684407_628.jpg)
40 વર્ષથી અનોખી મિત્રતા: પાછલા 40 વર્ષથી કુતરા બાપુ અન્ય કોઈ સાથે નહીં પરંતુ જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર રહેતા રખડતા શ્વાનો પ્રત્યે એક અનોખી મિત્રતાના બંધને બંધાયેલા છે. 40 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ મિત્રતા આજે પણ દર વર્ષે ગાઢ મજબૂતાઈ તરફ આગળ વધી છે.કુતરાવાળા બાપુના હુલામણા નામથી ઓળખાતા જૂનાગઢના આ અનોખા વ્યક્તિ રખડતા શ્વાનોના જન્મ થવાથી લઈને તેના મૃત્યુ સુધીની તમામ દેખભાળ અને જવાબદારી પોતે પરિવારના એક સભ્ય ગણીને નિભાવી રહ્યા છે.
![શ્વાનોના અનોખા મિત્ર કુતરાબાપુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2024/gj-jnd-02-friend-vis-01-byte-01-pkg-7200745_03082024165647_0308f_1722684407_914.jpg)
શ્વાનોની તમામ પ્રકારની દેખભાળ: કુતરાબાપુ શ્વાનોના બચ્ચાનો જન્મ થતાં જ તેની દેખભાળમાં લાગી જાય છે અને કોઈપણ શ્વાનનું મૃત્યુ થાય તો તેની વિધિ પણ તેઓ કરે છે. દરરોજ તે રખડતા શ્વાનોને દૂધ, બિસ્કીટ અને રોટલી ખવડાવીને પોતાની મિત્રતાની સાથે સેવા કાર્ય પણ કરી રહ્યા છે. આની પાછળ તેમને ખર્ચ પણ આવે છે. પરંતુ જૂનાગઢ શહેરના લોકો કુતરાવાળા બાપુને દૂધ બિસ્કીટ કે રોટલી માટેનો ખર્ચ કે તે ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. જેને કારણે આજે આ મિત્રતાનો સંબંધ દર વર્ષે મજબૂત બંધનથી બંધાઈને આગળ વધી રહ્યો છે.
જામનગરમાં મહિલા બની સાઇબર ફ્રોડનો શિકાર, 15 લાખનો ચૂનો લાગ્યો... - cyber fraud in Jamnagar