ETV Bharat / state

સુરાગપરા ગામે બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસુમ 17 કલાક બાદ બહાર આવી, પણ... - baby girl fell into borewell - BABY GIRL FELL INTO BOREWELL

ગુજરાત જ નહીં દેશભરમાં અત્યાર સુધીમાં ન જાણે કેટલાં બાળકો બોરવેલમાં પડીને પોતાનો જીવ ગુમાવ્યો હશે. છાશવારે આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ અમરેલી જિલ્લાના સુરગપરા ગામે બોરમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મૃત્યું થયું છે. બાળકીના મૃત્યુંના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ પ્રસરી ગયો છે.

બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસુમનું રેસ્ક્યૂ
બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસુમનું રેસ્ક્યૂ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 9:29 AM IST

Updated : Jun 15, 2024, 9:38 AM IST

બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસુમનું મોત (Etv bharat gujarat)

અમરેલી: ગઈકાલે શુક્રવારે બપોરના 12:00 વાગ્યાની આસપાસ અમરેલી જિલ્લાના સુરાગપરા ગામના ખેતરમાં આવેલા એક બોરવેલમાં દોઢ વર્ષની આરોહી રમતા-રમતા અચાનક બોરમા ગરકાવ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ ખેડૂત અને ખેતમજૂરો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવતા બપોરે 12 વાગ્યે આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાનુ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં ખાસ રોબોટ કેમેરા, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે જિલ્લા વહીવટી તંત્રનો કાફલો પણ કામે લાગ્યો હતો, જોકે, 17 કલાકની ભારે જહેમત બાદ બોરમાંથી આરોહી બહાર તો આવી પણ મૃત હાલતમાં. બાળકીનો નિષ્પ્રાણ દેહ બોરમાંથી બહાર આવતા સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

બોરવેલમાં પડેલી બાળકીને જીવતી બહાર કાઢવા માટે એનડીઆરએફ ફાયર ટીમ દ્વારા અર્થાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા સાંજના સમયે રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ સફળ થતો દેખાતો હતો પરંતુ અચાનક રોબોટ પણ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહેતા અંતે NDRFએ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઓપરેશન રાત્રિના બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયુ હતુ

17 કલાકની જહેમત બાદ આરોહી બહાર કાઢવામાં આવી અને સ્થળ પર હાજર રહેલા તબીબોએ તેને બચાવવાના પ્રયાસ કરવાની શરૂઆત કરી હતી પરંતુ પચાસ ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી આરોહીના પ્રાણ બોરની અંદર જ ઉડી ગયા હતા અને સ્થળ પરના તબીબોએ દોઢ વર્ષની માસુમ આરોહીને મૃત જાહેર કરી હતી. બાળકીના મૃત્યુંથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસુમનું મોત (Etv bharat gujarat)

અમરેલી: ગઈકાલે શુક્રવારે બપોરના 12:00 વાગ્યાની આસપાસ અમરેલી જિલ્લાના સુરાગપરા ગામના ખેતરમાં આવેલા એક બોરવેલમાં દોઢ વર્ષની આરોહી રમતા-રમતા અચાનક બોરમા ગરકાવ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ ખેડૂત અને ખેતમજૂરો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવતા બપોરે 12 વાગ્યે આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાનુ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં ખાસ રોબોટ કેમેરા, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે જિલ્લા વહીવટી તંત્રનો કાફલો પણ કામે લાગ્યો હતો, જોકે, 17 કલાકની ભારે જહેમત બાદ બોરમાંથી આરોહી બહાર તો આવી પણ મૃત હાલતમાં. બાળકીનો નિષ્પ્રાણ દેહ બોરમાંથી બહાર આવતા સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

બોરવેલમાં પડેલી બાળકીને જીવતી બહાર કાઢવા માટે એનડીઆરએફ ફાયર ટીમ દ્વારા અર્થાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા સાંજના સમયે રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ સફળ થતો દેખાતો હતો પરંતુ અચાનક રોબોટ પણ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહેતા અંતે NDRFએ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઓપરેશન રાત્રિના બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયુ હતુ

17 કલાકની જહેમત બાદ આરોહી બહાર કાઢવામાં આવી અને સ્થળ પર હાજર રહેલા તબીબોએ તેને બચાવવાના પ્રયાસ કરવાની શરૂઆત કરી હતી પરંતુ પચાસ ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી આરોહીના પ્રાણ બોરની અંદર જ ઉડી ગયા હતા અને સ્થળ પરના તબીબોએ દોઢ વર્ષની માસુમ આરોહીને મૃત જાહેર કરી હતી. બાળકીના મૃત્યુંથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Last Updated : Jun 15, 2024, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.