ETV Bharat / state

સિંહણે માસુમને ફાડી ખાધો, વિખરાયેલી હાલતમાં મળ્યા 6 વર્ષના બાળકના અવશેષ

જાફરાબાદ વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવેલા પરિવારના બાળક ઉપર સિંહણે હુમલો કર્યો હતો. પરિણામે ગંભીર ઇજા થતાં બાળકનું મૃત્યુ થયું હતું.

વીખરાયેલી હાલતમાં મળ્યા 6 વર્ષના બાળકના અવશેષ
વીખરાયેલી હાલતમાં મળ્યા 6 વર્ષના બાળકના અવશેષ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમરેલી: જિલ્લાના જાફરાબાદમાં એક નાનકડા બાળક સાથે ઘાતકી ઘટના બની હતી. અહીં જીકાદ્રી ગામમાં રહેતા પરિવારના નાના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણે ખેત મજુરના 6 વર્ષના બાળકને ફાડી ખાધો છે. વાસ્તવમાં ઘટના એમ બની હતી કે, રાત્રિના સમયે મોટા ભાઈ સાથે જતા બહાર જતાં નાના ભાઈને સિંહણ ઉપાડી ગઈ હતી. સિંહણે 6 વર્ષના બાળકને ફાડી ખાવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ ઘટનાસ્થળે પોહચ્યું હતું. આ દરમિયાન સંપૂર્ણ ઘટનાની તપાસ કરતાં બાળકના હાથના અવશેષો મળી આવ્યા હતા. સાથે સાથે ગરદન અને અન્ય અવશેષ પણ મળી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ પરિવારને સાથે રાખી અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હાલ આ સિંહણને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે ગ્રામજનોમાં રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક બાળકના અવશેષોને જાફરાબાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી શરૂ થઈ છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, મૃતક બાળકનું નામ આયુષ લાલજી જોળીયા છે.

આ પણ વાંચો:

  1. 16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર", જાણો કેટલા જિલ્લામાં હાથ માર્યો
  2. લ્યો બોલો... હવે નકલી કોર્ટ ઝડપાઈ, ભેજાબાજે કર્યુ આવું કારસ્તાન

અમરેલી: જિલ્લાના જાફરાબાદમાં એક નાનકડા બાળક સાથે ઘાતકી ઘટના બની હતી. અહીં જીકાદ્રી ગામમાં રહેતા પરિવારના નાના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણે ખેત મજુરના 6 વર્ષના બાળકને ફાડી ખાધો છે. વાસ્તવમાં ઘટના એમ બની હતી કે, રાત્રિના સમયે મોટા ભાઈ સાથે જતા બહાર જતાં નાના ભાઈને સિંહણ ઉપાડી ગઈ હતી. સિંહણે 6 વર્ષના બાળકને ફાડી ખાવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ ઘટનાસ્થળે પોહચ્યું હતું. આ દરમિયાન સંપૂર્ણ ઘટનાની તપાસ કરતાં બાળકના હાથના અવશેષો મળી આવ્યા હતા. સાથે સાથે ગરદન અને અન્ય અવશેષ પણ મળી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ પરિવારને સાથે રાખી અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હાલ આ સિંહણને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે ગ્રામજનોમાં રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક બાળકના અવશેષોને જાફરાબાદ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી શરૂ થઈ છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, મૃતક બાળકનું નામ આયુષ લાલજી જોળીયા છે.

આ પણ વાંચો:

  1. 16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર", જાણો કેટલા જિલ્લામાં હાથ માર્યો
  2. લ્યો બોલો... હવે નકલી કોર્ટ ઝડપાઈ, ભેજાબાજે કર્યુ આવું કારસ્તાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.