ETV Bharat / state

લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં મેઘ મહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ - Rain in Navsari district

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 3:53 PM IST

નવસારી શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં મેઘ મહેર
લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં મેઘ મહેર (Etv Bharat Gujarat)
લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં મેઘ મહેર (Etv Bharat Gujarat)

નવસારી: જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહેવા પામ્યો છે, જેમાં સવારે 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન નવસારી ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે લીધેલા લાંબા સમયના વિરામને લઈને ખેડૂતોના જીવ ટાળવે હતા, પરંતુ મેઘરાજાએ ફરી નવસારી જિલ્લા પર મેઘમહેર વરસાવી ખેડૂતોની ચિંતા દૂર કરી છે જેને લઇને ખેડૂતો પણ ખુશ છે.

હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે શ્રાવણીયો વરસાદ ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે જેના કારણે ડાંગરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. જ્યારે જિલ્લામાં વરસાદ નહીવત રહેતા ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ આ વરસાદના કારણે જિલ્લામાં ગરમી અને ઉકાળાથી લોકોને રાહત મળી છે. ધીમીધારે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારાથી આંશિક રાહત મળી છે.

ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, હાલ જે શ્રાવણીયો વરસાદ વરસી રહ્યો છે તે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ફાયદાકારક છે. લાંબા સમયના વિરામ ને લઈને ખેડૂતો ચિંતામાં હતા પરંતુ હાલ જે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં મેઘરાજાની રી-એન્ટ્રી : મહીસાગરના કડાણા તાલુકામાં 459 mm વરસાદ નોંધાયો - Gujarat rainfall update

લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં મેઘ મહેર (Etv Bharat Gujarat)

નવસારી: જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહેવા પામ્યો છે, જેમાં સવારે 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન નવસારી ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે લીધેલા લાંબા સમયના વિરામને લઈને ખેડૂતોના જીવ ટાળવે હતા, પરંતુ મેઘરાજાએ ફરી નવસારી જિલ્લા પર મેઘમહેર વરસાવી ખેડૂતોની ચિંતા દૂર કરી છે જેને લઇને ખેડૂતો પણ ખુશ છે.

હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે શ્રાવણીયો વરસાદ ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે જેના કારણે ડાંગરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. જ્યારે જિલ્લામાં વરસાદ નહીવત રહેતા ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ આ વરસાદના કારણે જિલ્લામાં ગરમી અને ઉકાળાથી લોકોને રાહત મળી છે. ધીમીધારે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારાથી આંશિક રાહત મળી છે.

ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, હાલ જે શ્રાવણીયો વરસાદ વરસી રહ્યો છે તે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ફાયદાકારક છે. લાંબા સમયના વિરામ ને લઈને ખેડૂતો ચિંતામાં હતા પરંતુ હાલ જે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં મેઘરાજાની રી-એન્ટ્રી : મહીસાગરના કડાણા તાલુકામાં 459 mm વરસાદ નોંધાયો - Gujarat rainfall update
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.