ETV Bharat / state

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 68 મોત, રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સઘન સર્વે શરુ - Chandipura virus

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 4:32 PM IST

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે ભરડો લીધો છે. ધીરે ધીરે વધી રહેલા વાયરસના પ્રકોપને નાથવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે. જુઓ ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ આ અહેવાલમાં...

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 68 મોત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 68 મોત (ETV Bharat)

ગાંધીનગર : ગુજરાત આરોગ્ય વિભાગની સત્તાવાર માહિતી અનુસાર હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસ એટલે કે, ચાંદીપુરા વાયરસના કુલ 157 કેસ છે. જે પૈકી સાબરકાંઠામાં 16 કેસ, અરવલ્લીમાં 7 કેસ, મહીસાગરમાં 4 કેસ, ખેડામાં 7 કેસ, મહેસાણામાં 10 કેસ, રાજકોટમાં 7 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, પંચમહાલમાં 16 કેસ અને જામનગરમાં 7 કેસ છે.

ચાંદીપુરાના શંકાસ્પદ કેસ : રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો મોરબીમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયેલા છે. આ સાથે દાહોદમાં 4 કેસ, વડોદરામાં 7 કેસ, બનાસકાંઠામાં 7 કેસ, ભાવનગરમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, અમદાવાદમાં 2 કેસ તથા જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ તેમજ અમરેલીમાં એક-એક શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચાંદીપુરાના પોઝિટિવ કેસ : રાજ્યમાં નોંધાયેલા કુલ શંકાસ્પદ કેસ પૈકી પંચમહાલમાં 7 કેસ, સાબરકાંઠામાં 6 કેસ, મહેસાણામાં 5 કેસ, કચ્છ અને ખેડામાં 4 કેસ નોંધાયા છે. ઉપરાંત દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ, અરવલ્લી અને મહીસાગરમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. સાથે જ ગાંધીનગર, સુરત કોર્પોરેશન અને બનાસકાંઠામાં 2-2 કેસ તથા જામનગર, મોરબી, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ કોર્પોરેશન, ભરૂચ, અમદાવાદ, પોરબંદર તેમજ પાટણ જિલ્લામાં એક-એક કેસ, એમ ચાંદીપુરા વાયરસના કુલ 59 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.

રાજ્યમાં કુલ મૃત્યુ : ગુજરાત રાજ્યના 157 કેસ પૈકી કુલ 68 દર્દી મૃત્યુ પામ્યા છે. જેમાં સાબરકાંઠમાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણા અને રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 4 તથા ભરૂચ, જામનગર કોર્પોરશન, પાટણ તેમજ ગીર સોમનાથમાં એક-એક કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગની કામગીરી : ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 20 દર્દી દાખલ છે તથા 69 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 52,125 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી છે. વધુમાં વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે.

રેપિડ રિસ્પોન્સ ટીમ : આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતે દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે. રાજ્યકક્ષાએથી ગાઈડલાઈન જાહેર કરી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી કરવા જણાવી, દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા માટે જણાવ્યું છે. જે એરિયામાં આવા કેસ મળ્યા છે તે વિસ્તારના વ્યક્તિઓએ પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.

  1. રાજ્યમાં ચાદીપુરા વાયરસથી ભરડો!, અત્યાર સુધી 148 કેસો નોંધાયા, 61 મોત
  2. પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત - Chandipura virus

ગાંધીનગર : ગુજરાત આરોગ્ય વિભાગની સત્તાવાર માહિતી અનુસાર હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસ એટલે કે, ચાંદીપુરા વાયરસના કુલ 157 કેસ છે. જે પૈકી સાબરકાંઠામાં 16 કેસ, અરવલ્લીમાં 7 કેસ, મહીસાગરમાં 4 કેસ, ખેડામાં 7 કેસ, મહેસાણામાં 10 કેસ, રાજકોટમાં 7 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, પંચમહાલમાં 16 કેસ અને જામનગરમાં 7 કેસ છે.

ચાંદીપુરાના શંકાસ્પદ કેસ : રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો મોરબીમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયેલા છે. આ સાથે દાહોદમાં 4 કેસ, વડોદરામાં 7 કેસ, બનાસકાંઠામાં 7 કેસ, ભાવનગરમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, અમદાવાદમાં 2 કેસ તથા જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ, ગીર સોમનાથ તેમજ અમરેલીમાં એક-એક શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચાંદીપુરાના પોઝિટિવ કેસ : રાજ્યમાં નોંધાયેલા કુલ શંકાસ્પદ કેસ પૈકી પંચમહાલમાં 7 કેસ, સાબરકાંઠામાં 6 કેસ, મહેસાણામાં 5 કેસ, કચ્છ અને ખેડામાં 4 કેસ નોંધાયા છે. ઉપરાંત દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ, અરવલ્લી અને મહીસાગરમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. સાથે જ ગાંધીનગર, સુરત કોર્પોરેશન અને બનાસકાંઠામાં 2-2 કેસ તથા જામનગર, મોરબી, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ કોર્પોરેશન, ભરૂચ, અમદાવાદ, પોરબંદર તેમજ પાટણ જિલ્લામાં એક-એક કેસ, એમ ચાંદીપુરા વાયરસના કુલ 59 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.

રાજ્યમાં કુલ મૃત્યુ : ગુજરાત રાજ્યના 157 કેસ પૈકી કુલ 68 દર્દી મૃત્યુ પામ્યા છે. જેમાં સાબરકાંઠમાં 5, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણા અને રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 4 તથા ભરૂચ, જામનગર કોર્પોરશન, પાટણ તેમજ ગીર સોમનાથમાં એક-એક કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગની કામગીરી : ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના 20 દર્દી દાખલ છે તથા 69 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 52,125 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવી છે. વધુમાં વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે.

રેપિડ રિસ્પોન્સ ટીમ : આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતે દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે. રાજ્યકક્ષાએથી ગાઈડલાઈન જાહેર કરી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી કરવા જણાવી, દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા માટે જણાવ્યું છે. જે એરિયામાં આવા કેસ મળ્યા છે તે વિસ્તારના વ્યક્તિઓએ પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.

  1. રાજ્યમાં ચાદીપુરા વાયરસથી ભરડો!, અત્યાર સુધી 148 કેસો નોંધાયા, 61 મોત
  2. પાટણમાં ચાંદીપુરા વાયરસથી 7 વર્ષીય બાળકનું મોત - Chandipura virus
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.