સિલિગુડી : ભારતી ઘોષનું જેઓ ભારતના ટેબલ ટેનિસની રમતમાં એક મોટું નામ છે તેમનું 83 વર્ષની વયે નિધન થયું છે. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. સોમવારે સવારે તેમણે એક નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા. રમતગમત અને રાજકીય હસ્તીઓ તેમની સારવારમાં મદદ કરવા આગળ આવ્યા હતા, પરંતુ તેઓ વધુ જીવી શક્યા નહીં.
સિલિગુડીના મેયર ગૌતમ દેબે તેમની સારવાર માટે તમામ વ્યવસ્થા કરી. તેમની દરમિયાનગીરીને કારણે જ ભારતી ઘોષને માટીગરા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા. ભારતી ઘોષના નિધનથી રમતગમત ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તેમને આ ખાસ ઉપલબ્ધિ મળી હતી:
ભારતી ઘોષને 2019 માં રાજ્ય સરકાર દ્વારા 'બંગ રત્ન' પુરસ્કાર અને 2021 માં રમતગમત વિભાગ દ્વારા 'ક્રિડા ગુરુ' પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કોચિંગ ડિગ્રી ન હોવા છતાં, ભારતી ઘોષે માત્ર ઉત્તરમાં જ નહીં પરંતુ રાજ્યમાં પણ શ્રેષ્ઠ ટેબલ ટેનિસ કોચ તરીકે પોતાની ઓળખ બનાવી છે.
તેમના ભાઈના મિત્રની મદદથી, તેમણે સિલિગુડીની પ્રખ્યાત સેહગલ સંસ્થામાં પ્રવેશ મળ્યો. પછી ભારતીજીએ કોચ વિના કેટલીક છોકરીઓ સાથે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તેમણે પહેલા સિનિયર ખેલાડીઓને રમતા જોઈને શીખ્યા અને બાદમાં મહાવીરસ્થાન ખાતે કોચિંગ કેમ્પમાં પ્રવેશ મેળવ્યો. ભારતી ઘોષે ખૂબ જ ઓછા સમયમાં આ રમતમાં નિપુણતા મેળવી લીધી.
টেবিল টেনিস জগতে নক্ষত্র পতন! প্রয়াত হলেন বাংলা গর্ব, 'বঙ্গরত্ন' প্রাপক কিংবদন্তি টেবিল টেনিস কোচ ভারতী ঘোষ ।
— West Bengal Pradesh Mahila Congress (@WestBengalPMC) February 24, 2025
আমরা তাঁর বিদেহী আত্মার শান্তি কামনা করছি এবং তাঁর শোক সন্তপ্ত পরিবারের প্রতি গভীর সমবেদনা জানাচ্ছি। 🙏#RIP #BharatiGhosh pic.twitter.com/jVwXDl28rj
નાના ખેલાડીઓને મફતમાં કોચિંગ આપતા:
આ મહાન કોચે દાર્જિલિંગ અને જલપાઈગુડીમાં બાળકોને ટેબલ ટેનિસ પણ શીખવ્યું. તેમણે પ્રતિભાશાળી ખેલાડીઓને મફત કોચિંગ આપવામાં કોઈ સંકોચ રાખ્યો નહીં જેઓ તેમની ફી ચૂકવી શકતા ન હતા. દિવ્યાંગ ખેલાડીઓએ પણ તેમની પાસેથી મફત તાલીમ મેળવી છે. તેમણે આ રીતે 5 દાયકા વિતાવ્યા. તેમણે લગ્ન પણ નહોતા કર્યા જેથી તેના રમવા અને કોચિંગમાં કોઈ અવરોધ ન આવે. 30 વર્ષની ઉંમરે તેમને રેલ્વેમાં નોકરી મળી હોવા છતાં, તેમણે કોચિંગ ચાલુ રાખ્યું. નિવૃત્તિ પછી તેમણે પોતાનો બધો સમય બાળકોને તાલીમ આપવામાં વિતાવ્યો. બીજા શબ્દોમાં કહીએ તો, તેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય ટેબલ ટેનિસ રમવામાં વિતાવ્યો છે. તેમણે જ 'અર્જુન' મન્ટુ ઘોષ અને ઓલિમ્પિયન સૌમ્યજીત ઘોષ જેવા સ્ટાર્સને ભારતીજીએ કોચિંગ આપી હતી.
ભારતી ઘોષ 'દેશબધુ પાડા'માં એક નાના ઘરમાં રહેતી હતી. તેઓ પોતે બધુ કામ કરતાં અને સાથે સાથે બાળકોને કોચિંગ સમયસર કોચિંગ આપતા. તે બધા કામ એકલા જ સંભાળતા હતા. ભારતી ઘોષ દ્વારા ઓછામાં ઓછા ત્રણ હજાર પેડલર્સને તાલીમ આપવામાં આવી હતી. તેમના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે.
ભારતી ઘોષના નિધન પર મન્ટુ ઘોષે કહ્યું, 'ભારતી દીનું નિધન રમત જગત માટે એક ન ભરવાપાત્ર નુકસાન છે. તેમની તાલીમ હેઠળ ઘણા સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડીઓ ઉભરી આવ્યા છે. આ દરમિયાન, મેયર ગૌતમ દેબે કહ્યું, 'અમે તેમને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે તેમને ઘણી સમસ્યાઓ હતી. તેમને 'ખેલ ગુરુ' અને 'બંગરત્નથી' સન્માનિત કરવામાં આવ્યા હતા. મને ખૂબ ખરાબ લાગે છે."
આ પણ વાંચો: