હૈદરાબાદઃ ઈ.સ. 1755માં હુગલી નદીના પૂર્વ કિનારે સ્થિત બંને બાજુએ ખજૂર, વડ અને કેરીના સુંદર વૃક્ષો વચ્ચે આવેલ મહેલમાં યુવાન નવાબની મોહમ્મદી બેગે ખંજર મારી હત્યા કરી દીધી હતી. ફોર્ટ વિલિયમમાં સિરાજના સૈનિકોને કેદ કરવામાં આવ્યા હતા. 2 વર્ષ પછી બંગાળ અને ભારતનું ભાગ્ય પ્લાસીના યુદ્ધ પર નક્કી થવાનું હતું.
23 જૂન 1757ના રોજ પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઈવની સેના દ્વારા બંગાળ પર કબજો કરવામાં આશ્ચર્યજન રીતે સફળ રહી હતી. આ યુદ્ધમાં લગભગ 3,000 સૈનિકો, 9 તોપો, 900 યુરોપિયનો, 2,100થી વધુ પાયદળ સિપાહીઓથી સજ્જ બંગાળ સેના પોતાનાથી 20 ગણી મોટી સેના વિરુદ્ધ લડી હતી. સામે પક્ષે લગભગ 50,000 પાયદળ, 15,000 ઘોડેસવાર સૈનિકો, 300 તોપો અને 300 હાથીઓનો સમાવેશ થતો હતો. પ્લાસીનું યુદ્ધ અંગ્રેજોની સૌથી અવિશ્વસનીય જીત હતી.
પ્લાસીનું યુદ્ધએ દક્ષિણ એશિયામાં ખેલાયેલા ષડયંત્ર અને કાવતરાથી ભરેલું હતું. જે રીતે જ્યોર્જ આલ્ફ્રેડ હેન્ટીએ 1894માં લખ્યું હતું, "જે રીતે નાખુશ યુવકને વૈકલ્પિક રીતે બરબાદ કરીને ઠંડા કલેજે તેની હત્યા કરવામાં આવી હતી અને ઘૃણાસ્પદ વિશ્વાસઘાત કરાયો જેમાં તેની આસપાસના લોકોની અંગ્રેજો સાથે મિલીભગત હતી. જેમાં મીર જાફરે કરેલા ગુનાઓને અંગ્રેજ ઈતિહાસમાં સૌથી કાળા ગણાવ્યા હતા.
તાજેતરમાં જ મનુ પિલ્લાઈએ પ્લાસીને "આધુનિક ભારતની વ્યાખ્યા કરનાર યુદ્ધ" તરીકે વર્ણવ્યું છે. પ્લાસીના યુદ્ધની દંતકથાઓ બંગાળ, ભારત અને બાંગ્લાદેશમાંથી બહાર આવતી રહે છે. આ દંતકથાઓ મહાભારત જેવા મહાકાવ્યને પડકારતી કરૂણાંતિકા બની શકે છે. કારણ કે, પ્લાસીના યુદ્ધમાં દક્ષિણ એશિયાના સૌથી ભયાનક ષડયંત્રો થયા હતા. વર્ષ 2020માં સુદીપ ચક્રવર્તીના પુસ્તક પ્લાસીનું યુદ્ધ પુસ્તક અને બ્રિજેન કે. ગુપ્તાના ક્લાસિક નોવેલ સિરાજુદ્દૌલાહને 1966 અને 2020ને પુનઃમુદ્રીત કરવામાં આવ્યા છે. જેમાં સિરાજની હારને કારણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લગભગ રૂ. 23 મિલિયનની રકમ તરીકે મળી હતી આ ઉપરાંત રૂ.60 લાખની રોકડ ભેટ તરીકે અને ક્લાઈવે પોતે રૂ. 3,00,000ની જાગીર પચાવી પાડી હતી.
15 વર્ષ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળની રાજકીય અસ્થિરતાનો લાભ વધુનો નફો મેળવવા માટે કર્યો. આ નફાના લીધે કંપની 100 મિલિયનથી વધુની સમૃદ્ધ બની. આ યુદ્ધ બાદ બંગાળમાં બ્રિટિશ ટંકશાળની સ્થાપના થઈ હતી. આ યુદ્ધની બીજી અસર એ હતી કે, ગનપાવડરના મુખ્ય ઘટક સોલ્ટપેપરનો ઈજારો બ્રિટિશ પાસે આવી ગયો. જેનાથી ડચ અને ફ્રેન્ચ પર બ્રિટિશર્સ હાવી થઈ ગયા.
પ્લાસીના યુદ્ધમાં રચાયેલ ષડયંત્રમાં સિરાજને તેના કાકા મીર જાફર સામે અને જાફરને તેના જમાઈ મીર કાસિમ સામે ઉભો કરવામાં અંગ્રેજી કંપનીની કૂટનીતિ કામ કરી ગઈ હતી. દિલ્હીના શાહઆલમ II, અવધના શુજાઉદ્દૌલાહ અને બાદમાં મરાઠાઓ સામે અંગ્રેજોની શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક જીત આ યુદ્ધ બાદ થઈ હતી. અઢારમી સદીમાં અહમદ શાહ અબ્દાલીની આગળ વધી રહેલી સેનાઓને ભગાડવા માટે 1765માં કંપનીને બંગાળની દિવાની આપવાથી તેના આર્થિક અને સૈન્ય લાભોના સંદર્ભમાં પ્રાંતને અલગ કરી દેવામાં આવ્યો. જેનાથી વસાહતીકરણના પ્રોજેક્ટ માટે આ પ્રાંત આદર્શ બની ગયો.
પ્લાસીનું યુદ્ધ 1756-1763 દરમિયાન 7 વર્ષ દરમિયાન થયું હતું. જેમાં યુરોપીયન સત્તાઓ સામેલ હતી. ખાસ કરીને ફ્રેન્ચ અને બ્રિટિશ સત્તાનો સમાવેશ થતો હતો. આ સત્તાઓએ કર્ણાટક અને બંગાળ સુધી તેમનું શાસન ફેલાવ્યું હતું. જદુનાથ સરકાર જેવા રાષ્ટ્રવાદી ઈતિહાસકારોએ પ્લાસીમાં અંગ્રેજોની જીતને બંગાળના "પુનરુજ્જીવન"ની શરૂઆતના પ્રતીક સમાન ગણે છે. જેને રવીન્દ્રનાથ ટાગોરના ઉદ્યોગપતિ પૂર્વજ-દ્વારકાનાથ ટાગોર પણ સત્ય માનતા હતા. સામ્રાજ્યવાદી ઈતિહાસલેખન રુદ્રાંગશુ મુખર્જી કહે છે કે, "સિરાજ-ઉદ-દૌલાને અવિચારી ખલનાયક તરીકે દર્શાવવા માટે પ્લાસનું યુદ્ધ પ્રબળ પરિબળ છે." જગત શેઠ, ખત્રી શીખ ઓમીચુંદ અને મીર જાફર અને મીર કાસિમ જેવા વેપારી જેવા શક્તિશાળી બેન્કરો સાથે ક્લાઈવનું કાવતરું, નાયકો અને ખલનાયકોની વાર્તા તરીકે ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું હોઈ શકે છે.
સિરાજ સામેના સમગ્ર કાવતરામાં માથાદીઠ જવાબદારીનો તર્ક લાગુ કરવામાં આવે તો મીર જાફર કરતા જગત શેઠ અને ખસેતી બેગમની ભૂમિકા વધુ મોટી છે. સિરાજના વિશ્વાસઘાત માટે જાફરને જવાબદાર ઠેરવવામાં આવ્યો કારણ કે, તે સિરાજની સૌથી નજીક હતો. અન્ય કાવતરાખોરોથી વિપરીત, તેને પ્લાસી પછી કંપનીનું રક્ષણ મળ્યું હતું. ખસેતી બેગમે પોતાના પ્રેમીના મૃત્યુનો બદલો લેવા મીર જાફરના હિતમાં કામ કર્યુ હતું. તેણીએ મીર જાફરને ઉશ્કેરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે યુદ્ધભૂમિ પર લડી શકતી ન હોવાથી તેણે જાફરનો ઉપયોગ કઠપૂતળી તરીકે કર્યો. સિરાજની ફ્રેન્ચો સાથે જોડાણ કરવાની યોજનાને ટાળવા અને છેવટે બંગાળની સેના સામે ક્લાઈવની આગળ વધવામાં મદદ કરી.
બીજા ક્રમે આર્મેનિયનો હતા. જેમણે બ્રિટીશને મજબૂત થવામાં અને એકીકૃત કરવામાં મદદ કરી હતી. વેપારી સમુદાય હોવાને કારણે, જેઓ પર્શિયામાં થતી પજવણીથી ભાગી ગયા હતા. 16મી સદીથી ભારતના સુરત અને મુર્શિદાબાદમાં સ્થાયી થવા લાગ્યા. આર્મેનિયન બંગાળ બ્રિટિશરો માટે ગુપ્ત માહિતી એકત્ર કરવામાં અને તેમના સૈનિકોને રાશનપાણી પહોંચાડવામાં નિમિત્ત હતા. આ ઉપરાંત, વેપારીઓ અને વ્યાજખોરો હોવાને કારણે તેઓ સ્થાનિક લોકોની લાગણીઓને પણ સમજતા હતા. આનાથી તેઓ મુર્શિદાબાદના દરબારીઓને વિશ્વાસમાં લેવા તેઓ સક્ષમ બન્યા. ક્લાઈવને ટેકો આપનાર બંગાળના વેપારી ખોજા વાજિદની પાછળથી ફ્રેન્ચો પ્રત્યે વફાદારીની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ખોજાના અંગ્રેજી કંપનીના સાથી પેટ્રસ અરાટૂન કદાચ બંગાળના નવાબ તરીકે મીર કાસિમના અનુગામી બની શકત પરંતુ 1763માં તેમની હત્યા કરી દેવાઈ.
મીર જાફરનું નામ શા માટે દેશદ્રોહીનો પર્યાય બની ગયું છે તેની માટે કેટલીક તર્ક સંગત બાબતો કારણભૂત છે. જો કે ઓમીચુંદ, જગત સેઠ, ખસેતી બેગમ અને આર્મેનિયનોની જટિલ ભૂમિકાઓ હજુ પણ પ્લાસીના યુદ્ધમાં નિર્ણાયક રહી છે.