ETV Bharat / bharat

જગન્નાથ પુરીમાં રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, એકનું મોત, ઘણા ભાવિકો ઈજાગ્રસ્ત - puri rath yatra 2024 - PURI RATH YATRA 2024

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિને કારણે એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા છે. મૃતકની ઓળખ બલાંગીરના રહેવાસી લલિત બાગરતી તરીકે થઈ છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે. stampede like situation during puri rath yatra

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા
પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 7:00 AM IST

પુરી: ઓડિશાના પુરીમાં રવિવારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. જ્યારે રથયાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિને કારણે, એક શ્રદ્ધાળુંનું મોત નીપજ્યું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ બલાંગીરના રહેવાસી લલિત બાગરતી તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દરમિયાન ઘાયલ લોકોને સારવાર માટે પુરી જિલ્લા મુખ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચતી વખતે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓડિશાના આરોગ્યપ્રધાન મુકેશ મહાલિંગ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેમણે હોસ્પિટલ પ્રશાસનને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

રાજ્ય સરકારે પુરીમાં રથ ખેંચતી વખતે જીવ ગુમાવનારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય રકમ અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં લગભગ 10 લાખ ભક્તોએ ભાગ લીધો હતો. જેમાં ઓડિશા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા.

પુરી: ઓડિશાના પુરીમાં રવિવારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. જ્યારે રથયાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિને કારણે, એક શ્રદ્ધાળુંનું મોત નીપજ્યું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ બલાંગીરના રહેવાસી લલિત બાગરતી તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દરમિયાન ઘાયલ લોકોને સારવાર માટે પુરી જિલ્લા મુખ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચતી વખતે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓડિશાના આરોગ્યપ્રધાન મુકેશ મહાલિંગ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેમણે હોસ્પિટલ પ્રશાસનને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

રાજ્ય સરકારે પુરીમાં રથ ખેંચતી વખતે જીવ ગુમાવનારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય રકમ અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં લગભગ 10 લાખ ભક્તોએ ભાગ લીધો હતો. જેમાં ઓડિશા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.