ETV Bharat / bharat

Resignation of ias abhishek singh: સની લિયોની સાથે આલ્બમ બનાવનાર IASની રાજીનામું મંજૂર, જૌનપુરથી લડી શકે છે ચૂંટણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 10:19 PM IST

પૂર્વ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું કેન્દ્ર સરકારે સ્વીકારી લીધું છે. અભિષેકે ફિલ્મ અભિનેત્રી સની લિયોની સાથે આલ્બમમાં કામ કર્યું હતું. જેના કારણે તેઓ ખુબ ચર્ચાઓમાં રહ્યાં છે.

Resignation of ias abhishek singh
Resignation of ias abhishek singh

લખનઉઃ કેન્દ્ર સરકારે પૂર્વ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. અભિષેકે ફિલ્મ અભિનેત્રી સની લિયોની સાથે આલ્બમમાં કામ કર્યું હતું. જેના કારણે તેઓ ખુબજ ચર્ચાઓમાં છવાયા હતાં. અભિષેક પહેલા ફિલ્મ અભિનેતા બનવા માંગતા હતા, પરંતુ હવે તેમણે જૌનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું અભિયાન અલગ રીતે ચાલુ છે. અભિષેક ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવવા ઇચ્છુક છે. અને આ દિવસોમાં જૌનપુરના લોકોને ફ્રી બસ સેવા દ્વારા અયોધ્યાના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. તેઓ ખેડૂતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ રીતે મદદ પણ કરી રહ્યા છે.

રાજીનામું સ્વીકાર થયાં બાદ હવે ચૂંટણી લડી શકશેઃ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું ઉત્તર પ્રદેશના નિમણૂક અને કર્મચારી વિભાગની ભલામણ સાથે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT)ને મોકલવામાં આવ્યું હતું. નિમણૂક અને કર્મચારી વિભાગના સૂત્રોનું કહેવું છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન અભિષેક સિંહે તેમનું રાજીનામું સરકારને મોકલી આપ્યું હતું. પરંતુ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કોઈપણ અધિકારીનું રાજીનામું સ્વીકારી શકાય નહીં. આવી સ્થિતિમાં, રાજ્યના નિમણૂક અને કર્મચારી વિભાગે કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગને તેની ભલામણ મોકલી હતી. આખરે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. નિમણૂક વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને હવે તેઓ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.

2011 બેચના યુપી કેડરના IAS અધિકારી છેઃ IAS અધિકારીઓની નિમણૂક સંબંધિત તમામ નિર્ણયો કેન્દ્ર સરકારના DOPT મંત્રાલય દ્વારા લેવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે આ અભિષેકનું રાજીનામું જલ્દી સ્વીકારવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2011 બેચના યુપી કેડરના આઈએએસ અધિકારી અભિષેક સિંહ ફેબ્રુઆરી 2023થી સસ્પેન્ડ છે. તેઓ અન્ય ઘણા વિવાદો સાથે પણ જોડાયેલા રહ્યા છે. IAS અભિષેકની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે અને હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે.

અભિનેત્રી સની લિયોની સાથે આલ્બમમાં કર્યું છે કામઃ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં (2023), તેમણે ખાનગીકરણને ટાંકીને નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. એવી ચર્ચા છે કે તેઓ જૌનપુર લોકસભા સીટ પરથી કોઈપણ રાજકીય પક્ષની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. તાજેતરમાં IAS અભિષેક સિંહે પણ પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી સની લિયોન સાથે એક આલ્બમ લોન્ચ કર્યો છે. હાલમાં જ બંને વારાણસી આવ્યા હતા અને દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. હવે કેન્દ્ર સરકારના DOPT વિભાગ દ્વારા યુપીના નિમણૂક અને કર્મચારી વિભાગની ભલામણ સાથે રાજીનામું સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. Netflix Releases's Slate Plan: નેટફ્લિકસે વર્ષ 2024માં ભારતમાં રજૂ થનાર કંટેટનો સ્લેટ પ્લાન રજૂ કર્યો
  2. Good News: મા બનવા જઈ રહી છે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સાથે ફેન્સને આપ્યા ખુશખબર, 7 મહિના બાદ બાળકને આપશે જન્મ

લખનઉઃ કેન્દ્ર સરકારે પૂર્વ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. અભિષેકે ફિલ્મ અભિનેત્રી સની લિયોની સાથે આલ્બમમાં કામ કર્યું હતું. જેના કારણે તેઓ ખુબજ ચર્ચાઓમાં છવાયા હતાં. અભિષેક પહેલા ફિલ્મ અભિનેતા બનવા માંગતા હતા, પરંતુ હવે તેમણે જૌનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું અભિયાન અલગ રીતે ચાલુ છે. અભિષેક ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવવા ઇચ્છુક છે. અને આ દિવસોમાં જૌનપુરના લોકોને ફ્રી બસ સેવા દ્વારા અયોધ્યાના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. તેઓ ખેડૂતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ રીતે મદદ પણ કરી રહ્યા છે.

રાજીનામું સ્વીકાર થયાં બાદ હવે ચૂંટણી લડી શકશેઃ IAS અધિકારી અભિષેક સિંહનું રાજીનામું ઉત્તર પ્રદેશના નિમણૂક અને કર્મચારી વિભાગની ભલામણ સાથે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT)ને મોકલવામાં આવ્યું હતું. નિમણૂક અને કર્મચારી વિભાગના સૂત્રોનું કહેવું છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન અભિષેક સિંહે તેમનું રાજીનામું સરકારને મોકલી આપ્યું હતું. પરંતુ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન કોઈપણ અધિકારીનું રાજીનામું સ્વીકારી શકાય નહીં. આવી સ્થિતિમાં, રાજ્યના નિમણૂક અને કર્મચારી વિભાગે કેન્દ્ર સરકારના ડીઓપીટી વિભાગને તેની ભલામણ મોકલી હતી. આખરે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. નિમણૂક વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને હવે તેઓ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.

2011 બેચના યુપી કેડરના IAS અધિકારી છેઃ IAS અધિકારીઓની નિમણૂક સંબંધિત તમામ નિર્ણયો કેન્દ્ર સરકારના DOPT મંત્રાલય દ્વારા લેવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે આ અભિષેકનું રાજીનામું જલ્દી સ્વીકારવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2011 બેચના યુપી કેડરના આઈએએસ અધિકારી અભિષેક સિંહ ફેબ્રુઆરી 2023થી સસ્પેન્ડ છે. તેઓ અન્ય ઘણા વિવાદો સાથે પણ જોડાયેલા રહ્યા છે. IAS અભિષેકની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે અને હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે.

અભિનેત્રી સની લિયોની સાથે આલ્બમમાં કર્યું છે કામઃ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં (2023), તેમણે ખાનગીકરણને ટાંકીને નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. એવી ચર્ચા છે કે તેઓ જૌનપુર લોકસભા સીટ પરથી કોઈપણ રાજકીય પક્ષની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. તાજેતરમાં IAS અભિષેક સિંહે પણ પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી સની લિયોન સાથે એક આલ્બમ લોન્ચ કર્યો છે. હાલમાં જ બંને વારાણસી આવ્યા હતા અને દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. હવે કેન્દ્ર સરકારના DOPT વિભાગ દ્વારા યુપીના નિમણૂક અને કર્મચારી વિભાગની ભલામણ સાથે રાજીનામું સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. Netflix Releases's Slate Plan: નેટફ્લિકસે વર્ષ 2024માં ભારતમાં રજૂ થનાર કંટેટનો સ્લેટ પ્લાન રજૂ કર્યો
  2. Good News: મા બનવા જઈ રહી છે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સાથે ફેન્સને આપ્યા ખુશખબર, 7 મહિના બાદ બાળકને આપશે જન્મ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.