ETV Bharat / bharat

Farmers Protest : ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ BJP અધ્યક્ષ સુનીલ જાખરનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું...

ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. દેશભરના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે પંજાબ BJP અધ્યક્ષ સુનીલ જાખરે ખેડૂતો અંગે ભારપૂર્વક જણાવ્યું કે, પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર હાલના મુદ્દાઓથી સંપૂર્ણપણે વાકેફ છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2024, 11:38 AM IST

ખેડૂત આંદોલન મુદ્દે સુનીલ જાખરનું નિવેદન
ખેડૂત આંદોલન મુદ્દે સુનીલ જાખરનું નિવેદન

ચંદીગઢ : મોદી સરકાર ખેડૂતોના મુદ્દાઓથી સંપૂર્ણપણે વાકેફ છે તે વાતને રેખાંકિત કરતા પંજાબ ભાજપના પ્રમુખ સુનીલ જાખરે કહ્યું કે, ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ચોક્કસપણે અસરકારક નિવારણ તરફ દોરી જશે.

સુનીલ જાખરે એક નિવેદનમાં જણાવ્યું કે, મને ખાતરી છે કે આપણા ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ અને મુદ્દાઓ ખૂબ જ ગંભીર છે, તેનું નિરાકરણ સમજણ અને સંવાદ દ્વારા આવે તે જરૂરી છે. માત્ર એક ખેડૂત જ આજની કૃષિના મુદ્દાઓ અને પડકારોનો સાચો સાર જાણે છે. મોદીની આગેવાની હેઠળની NDA સરકાર માટે ખેડૂતો રાષ્ટ્રીય વિકાસના માર્ગમાં પ્રચંડ આધારસ્તંભો પૈકીના એક હોવાના પુનરોચ્ચાર કરતા સુનીલ જાખરે જણાવ્યું કે, ખેડૂતોની ચિંતા વિશે ક્યારેય કોઈ પ્રશ્ન ન હોઈ શકે તથા એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણને ખોરાક પ્રદાન કરતા ખેડૂતોને એ બધું જ મળે જે કૃષિને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે.

સુનીલ જાખરે વધુમાં જણાવ્યું કે, આપણા ખેડૂતોનું સન્માન એજ આપણું ગૌરવ છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન શોધી રહ્યા હતા, ત્યારે મહત્વપૂર્ણ મહત્વના સમયમાં રાષ્ટ્ર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપણા અન્નદાતાના બલિદાનને સમગ્ર રાષ્ટ્ર જાણે છે. આપણા ખેડૂતો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, આ મુદ્દાઓ પરની ચર્ચા થવી જોઈએ. પોતાના નાના રાજકીય લાભ જોતા લોકો દ્વારા નિર્દોષ ખેડૂતોનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ કરવા જોઈએ.

પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ અંગેના કાયદા અને લોન માફી સહિતની ખેડૂતોની માંગણી માટે કેન્દ્ર પર દબાણ લાવવા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા દિલ્હી ચલો આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. પંજાબના ખેડૂતોએ મંગળવારે દિલ્હી તરફ કૂચ શરૂ કરી હતી. પરંતુ હરિયાણા અને પંજાબની સરહદ પર શંભુ અને ખનૌરી પોઈન્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. ત્યારથી આંદોલનકારી ખેડૂતોએ સરહદ પર ધામા નાખ્યા છે.

MSP ની કાનૂની ગેરંટી ઉપરાંત દેશભરના ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણના અમલીકરણ, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેત દેવું માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, પોલીસ કેસ પાછા ખેંચવા અને 2021 ના પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. ઉપરાંત લખીમપુર ખેરી હિંસા, જમીન સંપાદન અધિનિયમ, 2013 ની પુનઃસ્થાપના અને 2020-21માં અગાઉના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે.

  1. Farmers Protest Live : ખેડૂત આગેવાનોએ ​​'ગ્રામીણ ભારત બંધ'નું એલાન કર્યું, સરકાર સાથે ચર્ચાનો ત્રીજો રાઉન્ડ અનિર્ણિત
  2. Farmers Protest: ખેડૂત આંદોલનથી પંજાબમાં 4 કલાક રેલ વ્યવહાર ખોરવાયો

ચંદીગઢ : મોદી સરકાર ખેડૂતોના મુદ્દાઓથી સંપૂર્ણપણે વાકેફ છે તે વાતને રેખાંકિત કરતા પંજાબ ભાજપના પ્રમુખ સુનીલ જાખરે કહ્યું કે, ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ચોક્કસપણે અસરકારક નિવારણ તરફ દોરી જશે.

સુનીલ જાખરે એક નિવેદનમાં જણાવ્યું કે, મને ખાતરી છે કે આપણા ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ અને મુદ્દાઓ ખૂબ જ ગંભીર છે, તેનું નિરાકરણ સમજણ અને સંવાદ દ્વારા આવે તે જરૂરી છે. માત્ર એક ખેડૂત જ આજની કૃષિના મુદ્દાઓ અને પડકારોનો સાચો સાર જાણે છે. મોદીની આગેવાની હેઠળની NDA સરકાર માટે ખેડૂતો રાષ્ટ્રીય વિકાસના માર્ગમાં પ્રચંડ આધારસ્તંભો પૈકીના એક હોવાના પુનરોચ્ચાર કરતા સુનીલ જાખરે જણાવ્યું કે, ખેડૂતોની ચિંતા વિશે ક્યારેય કોઈ પ્રશ્ન ન હોઈ શકે તથા એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણને ખોરાક પ્રદાન કરતા ખેડૂતોને એ બધું જ મળે જે કૃષિને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે.

સુનીલ જાખરે વધુમાં જણાવ્યું કે, આપણા ખેડૂતોનું સન્માન એજ આપણું ગૌરવ છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન શોધી રહ્યા હતા, ત્યારે મહત્વપૂર્ણ મહત્વના સમયમાં રાષ્ટ્ર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપણા અન્નદાતાના બલિદાનને સમગ્ર રાષ્ટ્ર જાણે છે. આપણા ખેડૂતો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, આ મુદ્દાઓ પરની ચર્ચા થવી જોઈએ. પોતાના નાના રાજકીય લાભ જોતા લોકો દ્વારા નિર્દોષ ખેડૂતોનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ કરવા જોઈએ.

પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ અંગેના કાયદા અને લોન માફી સહિતની ખેડૂતોની માંગણી માટે કેન્દ્ર પર દબાણ લાવવા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા દિલ્હી ચલો આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. પંજાબના ખેડૂતોએ મંગળવારે દિલ્હી તરફ કૂચ શરૂ કરી હતી. પરંતુ હરિયાણા અને પંજાબની સરહદ પર શંભુ અને ખનૌરી પોઈન્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. ત્યારથી આંદોલનકારી ખેડૂતોએ સરહદ પર ધામા નાખ્યા છે.

MSP ની કાનૂની ગેરંટી ઉપરાંત દેશભરના ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણના અમલીકરણ, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેત દેવું માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, પોલીસ કેસ પાછા ખેંચવા અને 2021 ના પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. ઉપરાંત લખીમપુર ખેરી હિંસા, જમીન સંપાદન અધિનિયમ, 2013 ની પુનઃસ્થાપના અને 2020-21માં અગાઉના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે.

  1. Farmers Protest Live : ખેડૂત આગેવાનોએ ​​'ગ્રામીણ ભારત બંધ'નું એલાન કર્યું, સરકાર સાથે ચર્ચાનો ત્રીજો રાઉન્ડ અનિર્ણિત
  2. Farmers Protest: ખેડૂત આંદોલનથી પંજાબમાં 4 કલાક રેલ વ્યવહાર ખોરવાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.