ETV Bharat / bharat

'મન કી બાત'ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના સાચા શિલ્પી છે: પીએમ મોદી - MANN KI BAAT

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાતના 114મા એપિસોડને સંબોધિત કર્યો છે. આ માસિક રેડિયો કાર્યક્રમ દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

પીએમ મોદી મન કી બાત રેડિયો કાર્યક્રમ
પીએમ મોદી મન કી બાત રેડિયો કાર્યક્રમ (Etv Bharat)

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 114મા એપિસોડ દરમિયાન સંબોધન કર્યો છે. આજનો એપિસોડ જૂની યાદો સાથે જોડાયેલો છે. મન કી બાત કાર્યક્રમને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 'મન કી બાત'ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના સાચા શિલ્પી છે.

પીએમ મોદીએ કહ્યું, મારા વ્હાલા દેશવાસીઓ, આજનો એપિસોડ મને ભાવુક કરી દેશે. આ ઘણી જૂની યાદોથી ભરેલો છે. તેનું કારણ એ છે કે મન કી બાતમાં અમારી સફર 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. 10 વર્ષ પહેલા 3જી ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે 'મન કી બાત' શરૂ કરવામાં આવી હતી અને આ એક પવિત્ર સંયોગ છે કે આ વર્ષે 3જી ઓક્ટોબરે 'મન કી બાત'ના 10 વર્ષ પૂર્ણ થશે ત્યારે નવરાત્રીનો પ્રથમ દિવસ હશે.

'મન કી બાત'ની આ લાંબી સફરમાં અનેક માઈલસ્ટોન છે, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. 'મન કી બાત'ના કરોડો શ્રોતાઓ અમારી સફરના એવા સાથી છે, જેમના તરફથી મને સતત સમર્થન મળતું રહ્યું. તેમણે દેશના ખૂણે ખૂણેથી માહિતી પૂરી પાડી.

'મન કી બાત'ના 114મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું, 'જ્યારે મને મન કી બાત સાથે જોડાયેલી દરેક ઘટના, દરેક પત્ર યાદ આવે છે ત્યારે મને એવું લાગે છે કે હું જનતા જનાર્દનના દર્શન કરી રહ્યો છું, જે લોકો મારી સાથે હતા. કેમ કે તે સર્વશક્તિમાન જેવા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદી મોસમ આપણને યાદ અપાવે છે કે 'જળ સંરક્ષણ' કેટલું મહત્વનું છે.

આ પણ વાંચો:

  1. 'મારી છેલ્લી ચૂંટણી રેલી'- PM મોદીએ JKમાં કહ્યું, પૂર્ણ બહુમતથી આવી રહી છે ભાજપ સરકાર - JK Assembly Election 2024

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 114મા એપિસોડ દરમિયાન સંબોધન કર્યો છે. આજનો એપિસોડ જૂની યાદો સાથે જોડાયેલો છે. મન કી બાત કાર્યક્રમને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 'મન કી બાત'ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના સાચા શિલ્પી છે.

પીએમ મોદીએ કહ્યું, મારા વ્હાલા દેશવાસીઓ, આજનો એપિસોડ મને ભાવુક કરી દેશે. આ ઘણી જૂની યાદોથી ભરેલો છે. તેનું કારણ એ છે કે મન કી બાતમાં અમારી સફર 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. 10 વર્ષ પહેલા 3જી ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે 'મન કી બાત' શરૂ કરવામાં આવી હતી અને આ એક પવિત્ર સંયોગ છે કે આ વર્ષે 3જી ઓક્ટોબરે 'મન કી બાત'ના 10 વર્ષ પૂર્ણ થશે ત્યારે નવરાત્રીનો પ્રથમ દિવસ હશે.

'મન કી બાત'ની આ લાંબી સફરમાં અનેક માઈલસ્ટોન છે, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. 'મન કી બાત'ના કરોડો શ્રોતાઓ અમારી સફરના એવા સાથી છે, જેમના તરફથી મને સતત સમર્થન મળતું રહ્યું. તેમણે દેશના ખૂણે ખૂણેથી માહિતી પૂરી પાડી.

'મન કી બાત'ના 114મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું, 'જ્યારે મને મન કી બાત સાથે જોડાયેલી દરેક ઘટના, દરેક પત્ર યાદ આવે છે ત્યારે મને એવું લાગે છે કે હું જનતા જનાર્દનના દર્શન કરી રહ્યો છું, જે લોકો મારી સાથે હતા. કેમ કે તે સર્વશક્તિમાન જેવા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદી મોસમ આપણને યાદ અપાવે છે કે 'જળ સંરક્ષણ' કેટલું મહત્વનું છે.

આ પણ વાંચો:

  1. 'મારી છેલ્લી ચૂંટણી રેલી'- PM મોદીએ JKમાં કહ્યું, પૂર્ણ બહુમતથી આવી રહી છે ભાજપ સરકાર - JK Assembly Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.