ETV Bharat / bharat

જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી: નાગપુર ડાઈવર્ટ થયુ વિમાન - INDIGO FLIGHT BOMB THREAT

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2024, 5:06 PM IST

જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7308 બોમ્બની ધમકીને કારણે નાગપુર તરફ વાળવામાં આવી હતી. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા છે.

જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી
જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી (IANS)

હૈદરાબાદઃ જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7308ને બોમ્બની ધમકીને કારણે નાગપુર તરફ વાળવામાં આવી હતી. ઉતરાણ પછી, તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ફરજિયાત સુરક્ષા તપાસ તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.

અગાઉ 22 ઓગસ્ટે મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટ સવારે લગભગ 8 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશનમાં લઈ જવામાં આવી હતી અને સવારે 8.44 વાગ્યા સુધીમાં મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સવારે લગભગ 7.30 વાગ્યે પ્લેન તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચ્યું ત્યારે પાયલટે આ ખતરાની જાણકારી આપી હતી. આ પ્લેનમાં 135 પેસેન્જર સવાર હતા. પ્લેનના ટોઇલેટમાં ટિશ્યુ પેપર પર 'ધેર ઇઝ અ બોમ્બ ઇન ધ ફ્લાય' મેસેજ લખાયેલો જોવા મળ્યો હતો.

તપાસ બાદ જાણવા મળ્યું કે ધમકી માત્ર એક અફવા હતી. આ મામલે એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે મુંબઈથી તિરુવનંતપુરમ જતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI657માં વિશેષ સુરક્ષા ચેતવણી મળી હતી. પ્લેન તિરુવનંતપુરમમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું અને સુરક્ષા એજન્સીઓએ ફરજિયાત તપાસ શરૂ કરી. તપાસ બાદ પ્લેનમાં કંઈ મળ્યું ન હતું.

  1. મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો, સુરક્ષિત રીતે લેન્ડ થઈ - MUMBAI BOUND INDIGO FLIGHT THREAT
  2. વડોદરા અને પટના એરપોર્ટને મળી બોમ્બની ધમકી, અથોરીટી દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી - Bomb threat Vadodara Patna airports

હૈદરાબાદઃ જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7308ને બોમ્બની ધમકીને કારણે નાગપુર તરફ વાળવામાં આવી હતી. ઉતરાણ પછી, તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ફરજિયાત સુરક્ષા તપાસ તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.

અગાઉ 22 ઓગસ્ટે મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટ સવારે લગભગ 8 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશનમાં લઈ જવામાં આવી હતી અને સવારે 8.44 વાગ્યા સુધીમાં મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સવારે લગભગ 7.30 વાગ્યે પ્લેન તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચ્યું ત્યારે પાયલટે આ ખતરાની જાણકારી આપી હતી. આ પ્લેનમાં 135 પેસેન્જર સવાર હતા. પ્લેનના ટોઇલેટમાં ટિશ્યુ પેપર પર 'ધેર ઇઝ અ બોમ્બ ઇન ધ ફ્લાય' મેસેજ લખાયેલો જોવા મળ્યો હતો.

તપાસ બાદ જાણવા મળ્યું કે ધમકી માત્ર એક અફવા હતી. આ મામલે એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે મુંબઈથી તિરુવનંતપુરમ જતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI657માં વિશેષ સુરક્ષા ચેતવણી મળી હતી. પ્લેન તિરુવનંતપુરમમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું અને સુરક્ષા એજન્સીઓએ ફરજિયાત તપાસ શરૂ કરી. તપાસ બાદ પ્લેનમાં કંઈ મળ્યું ન હતું.

  1. મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો, સુરક્ષિત રીતે લેન્ડ થઈ - MUMBAI BOUND INDIGO FLIGHT THREAT
  2. વડોદરા અને પટના એરપોર્ટને મળી બોમ્બની ધમકી, અથોરીટી દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી - Bomb threat Vadodara Patna airports
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.