ETV Bharat / bharat

એ પ્રાચીન સ્થળ જ્યાં મળી શૂન્યની પ્રથમ લેખિત સાબિતી,  ETV Bharat નો વિશેષ અહેવાલ... - Earliest inscription of Zero

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 3:54 PM IST

ઝીરો એટલે કે શૂન્ય, જે નંબરને વિશ્વભરમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના કારણે ઓળખ મળી. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં પ્રથમ શૂન્ય અભિલેખ ક્યારે જોવા મળ્યો? જો નહીં, તો ચાલો તમને ભારતના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લઈ જઈએ, જ્યાં વિશ્વનો સૌથી જૂનો અને પ્રથમ લિખિત શૂન્ય છે. ETV Bharat ના સંવાદદાતા પિયુષ શ્રીવાસ્તવનો વિશેષ અહેવાલ...

શૂન્યની પ્રથમ લેખિત સાબિતી
શૂન્યની પ્રથમ લેખિત સાબિતી (ETV Bharat)

મધ્યપ્રદેશ : સંગીત સમ્રાટ તાનસેનનું શહેર ગ્વાલિયર કલા, સંસ્કૃતિ અને સંગીત માટે જાણીતું છે. સાથે જ સમગ્ર વિશ્વમાં આ એવી જગ્યા છે જેની ઈતિહાસમાં મોટી ભૂમિકા છે. કારણ કે સમગ્ર વિશ્વમાં પ્રથમ શૂન્યનો લેખિત પુરાવો ગ્વાલિયર શહેરમાં મળ્યો છે. આ શિલાલેખ ગ્વાલિયરના સુંદર અને ઐતિહાસિક કિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુના પ્રાચીન ચતુર્ભુજ મંદિરમાં હાજર છે. આ મંદિરનું નિર્માણ પ્રતિહાર રાજા ભોજદેવે સન્ 876 ઈ. માં કરાવ્યું હતું.

ગ્વાલિયરનો પ્રાચીન શિલાલેખ
ગ્વાલિયરનો પ્રાચીન શિલાલેખ (ETV Bharat)

ગ્વાલિયરનો પ્રાચીન શિલાલેખ : ખૂબ જ સુંદર કોતરણી અને શિલ્પોથી સુશોભિત આ મંદિર પ્રાચીન કળાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં નૃત્ય કરતા ગણેશ, કાર્તિકેય, પંચાગ્નિક પાર્વતી, નવગ્રહ, વિષ્ણુ ત્રિવેન્દ્રમ અને અષ્ટાદિકપાલોનું નિરૂપણ જોઈ શકાય છે. આ સાથે મંદિરના મુખ મંડપના અંદરના ભાગમાં કૃષ્ણલીલાના દ્રશ્યો કોતરવામાં આવ્યા છે. મંદિરની અંદર ભગવાન હરિ વિષ્ણુની શ્વેતાંબર પ્રતિમા છે. તેની બરાબર પાસે એક શિલાલેખ છે, જેમાં પ્રાચીન દેવનાગરી લિપિ સંસ્કૃતમાં માહિતી લખેલી છે અને આ માહિતીમાં શૂન્યનું વર્ણન પણ છે.

શૂન્યની પ્રથમ લેખિત સાબિતી : પૂર્વ પુરાતત્વ અધિકારી અને ઇતિહાસકાર લાલ બહાદુરસિંહ સોમવંશી કહે છે, "આ શિલાલેખમાં ઉલ્લેખ છે કે આ મંદિરને દરરોજ 50 માળા આપવામાં આવતી અને તેના બદલામાં પૂજારીને 270 હાથ જમીન આપવામાં આવતી હતી. આ રીતે શિલાલેખમાં બે જગ્યાએ શૂન્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રથમ નંબર 50 અને બીજો 270 લખવા માટે. આ પ્રથમ વખત હતું જ્યારે શૂન્યનો અભિલેખ પ્રમાણિત થયો હતો. હવે લોકો તેને ઝીરો મંદિરના નામથી પણ જાણવા લાગ્યા છે.

ગ્વાલિયર પ્રાચીન ચતુર્ભુજ મંદિર
ગ્વાલિયર પ્રાચીન ચતુર્ભુજ મંદિર (ETV Bharat)

પ્રથમ શૂન્ય અભિલેખને મળી માન્યતા : સોમવંશીએ વધુમાં કહ્યું કે, "ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે વિશ્વને પ્રથમ વખત શૂન્ય વિશે વાકેફ કર્યા. આ પછી 11મી સદીમાં યુરોપમાં કાલગણના કરવામાં આવી, ભારત દ્વારા આપવામાં આવેલા શૂન્યથી ગણતરી કરવામાં આવી હતી. લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ માન્યતા આપવામાં આવી કે ગ્વાલિયર કિલ્લાની નીચે સ્થિત ચતુર્ભુજ મંદિરમાં શૂન્યનો અભિલેખ પ્રાચીનતમ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પણ 1903માં તેના અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરી છે. તેથી, હવે ભારતને સંપૂર્ણ રીતે માન્યતા મળી છે.

ગણિતશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય : ઇતિહાસની દ્રષ્ટિએ આ એક મોટી ઉપલબ્ધિ ગણાય છે. ચતુર્ભુજ મંદિરમાં હાજર શિલાલેખ પર શૂન્યની શોધ ઘણા ગણિતશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય છે. તેથી જ ગણિતના ઘણા વિદ્વાનો અહીં સંશોધન માટે સમયાંતરે આવતા રહે છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પણ આ મંદિરના મહત્વથી સારી રીતે વાકેફ છે. એટલા માટે આ મંદિર હવે ખાસ પ્રસંગોએ જ ખોલવામાં આવે છે.

મધ્યપ્રદેશ : સંગીત સમ્રાટ તાનસેનનું શહેર ગ્વાલિયર કલા, સંસ્કૃતિ અને સંગીત માટે જાણીતું છે. સાથે જ સમગ્ર વિશ્વમાં આ એવી જગ્યા છે જેની ઈતિહાસમાં મોટી ભૂમિકા છે. કારણ કે સમગ્ર વિશ્વમાં પ્રથમ શૂન્યનો લેખિત પુરાવો ગ્વાલિયર શહેરમાં મળ્યો છે. આ શિલાલેખ ગ્વાલિયરના સુંદર અને ઐતિહાસિક કિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુના પ્રાચીન ચતુર્ભુજ મંદિરમાં હાજર છે. આ મંદિરનું નિર્માણ પ્રતિહાર રાજા ભોજદેવે સન્ 876 ઈ. માં કરાવ્યું હતું.

ગ્વાલિયરનો પ્રાચીન શિલાલેખ
ગ્વાલિયરનો પ્રાચીન શિલાલેખ (ETV Bharat)

ગ્વાલિયરનો પ્રાચીન શિલાલેખ : ખૂબ જ સુંદર કોતરણી અને શિલ્પોથી સુશોભિત આ મંદિર પ્રાચીન કળાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં નૃત્ય કરતા ગણેશ, કાર્તિકેય, પંચાગ્નિક પાર્વતી, નવગ્રહ, વિષ્ણુ ત્રિવેન્દ્રમ અને અષ્ટાદિકપાલોનું નિરૂપણ જોઈ શકાય છે. આ સાથે મંદિરના મુખ મંડપના અંદરના ભાગમાં કૃષ્ણલીલાના દ્રશ્યો કોતરવામાં આવ્યા છે. મંદિરની અંદર ભગવાન હરિ વિષ્ણુની શ્વેતાંબર પ્રતિમા છે. તેની બરાબર પાસે એક શિલાલેખ છે, જેમાં પ્રાચીન દેવનાગરી લિપિ સંસ્કૃતમાં માહિતી લખેલી છે અને આ માહિતીમાં શૂન્યનું વર્ણન પણ છે.

શૂન્યની પ્રથમ લેખિત સાબિતી : પૂર્વ પુરાતત્વ અધિકારી અને ઇતિહાસકાર લાલ બહાદુરસિંહ સોમવંશી કહે છે, "આ શિલાલેખમાં ઉલ્લેખ છે કે આ મંદિરને દરરોજ 50 માળા આપવામાં આવતી અને તેના બદલામાં પૂજારીને 270 હાથ જમીન આપવામાં આવતી હતી. આ રીતે શિલાલેખમાં બે જગ્યાએ શૂન્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રથમ નંબર 50 અને બીજો 270 લખવા માટે. આ પ્રથમ વખત હતું જ્યારે શૂન્યનો અભિલેખ પ્રમાણિત થયો હતો. હવે લોકો તેને ઝીરો મંદિરના નામથી પણ જાણવા લાગ્યા છે.

ગ્વાલિયર પ્રાચીન ચતુર્ભુજ મંદિર
ગ્વાલિયર પ્રાચીન ચતુર્ભુજ મંદિર (ETV Bharat)

પ્રથમ શૂન્ય અભિલેખને મળી માન્યતા : સોમવંશીએ વધુમાં કહ્યું કે, "ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે વિશ્વને પ્રથમ વખત શૂન્ય વિશે વાકેફ કર્યા. આ પછી 11મી સદીમાં યુરોપમાં કાલગણના કરવામાં આવી, ભારત દ્વારા આપવામાં આવેલા શૂન્યથી ગણતરી કરવામાં આવી હતી. લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ માન્યતા આપવામાં આવી કે ગ્વાલિયર કિલ્લાની નીચે સ્થિત ચતુર્ભુજ મંદિરમાં શૂન્યનો અભિલેખ પ્રાચીનતમ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પણ 1903માં તેના અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરી છે. તેથી, હવે ભારતને સંપૂર્ણ રીતે માન્યતા મળી છે.

ગણિતશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય : ઇતિહાસની દ્રષ્ટિએ આ એક મોટી ઉપલબ્ધિ ગણાય છે. ચતુર્ભુજ મંદિરમાં હાજર શિલાલેખ પર શૂન્યની શોધ ઘણા ગણિતશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય છે. તેથી જ ગણિતના ઘણા વિદ્વાનો અહીં સંશોધન માટે સમયાંતરે આવતા રહે છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પણ આ મંદિરના મહત્વથી સારી રીતે વાકેફ છે. એટલા માટે આ મંદિર હવે ખાસ પ્રસંગોએ જ ખોલવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.